SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ગાદિસપુર બા દિને સૂર્ય પ્રજાની ઉપમા આપી, તે યથાચિત છે. કારણ કે તારા કરતાં સૂર્યનો પ્રકાશ અનેકગણે બળવાન હોય છે, તેમ છઠ્ઠી કાંતા દષ્ટિ કરતાં સાતમી પ્રમા દઇનું દર્શન–બોધપ્રકાશ અનેકગુણવિશિષ્ટ બળવાન, પરમ અવગાઢ હોય છે. આને પ્રભા” નામ આપ્યું તે પણ યથાર્થ છે. પ્ર+માં અર્થાત્ પ્રકૂટ બોધપ્રકાશ જેનો છે તે પ્રભા જેમ સૂર્યના પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી છે, તેમ આ દષ્ટિની બેધ-પ્રભાં અતિ ઉગ્ર તેજ રવી, બળવાન ક્ષપશમ સંપન્ન હોય છે. સૂર્ય પ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, સમસ્ત વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બધપ્રકાશથી સર્વ પદાર્થ સાથેનું યથાર્થ દર્શન થાય છે. - યોગનું સાતમું અંગ ધ્યાન અને આ હષ્ટિને આ પ્રકૃણ બોધ-પ્રકાશ હોય છે, તેથી જ આ બોધ નિરંતર માનનો હેતુ થઈ પડે છે, કારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે, જેવું જ્ઞાન બળવાન તેવું ખાન પણ બળવાન હોય છે. આમ આ દષ્ટિ ધ્યાનપ્રિયા હોય છે, ધ્યાનની હાલી પ્રિયતમા જેવી હોય છે, જ્યાં ધ્યાન યોગીને અત્યંત પ્રિય હોય છે એવી હેાય છે. એટલે અહીં સ્થિતિ કરતો યેરી જ્ઞાની પુરુષ પિતાને પરમ પ્રિય એવું અખંડ આત્મધ્યાન બાવે છે. અને આ આમધ્યાન તીક્ષણ આમેપગવાળું-આત્મજાગ્રતિવાળું હોવાથી, તેમાં પ્રાયે-ઘણું કરીને કંઈ પણ વિકપ ઊઠવાને અવકાશ હોતો નથી, એવું તે નિવિકલ્પ હોય છે. ધારણ નામનું છઠું ગાંગ સાંપડયા પછી સ્વાભાવિક ક્રમે સાતમું ધ્યાન નામનું ગાંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ધારણું એટલે અમુક વિષયમાં-પ્રદેશમાં ચિરબંધ થાય, એટલે તેના પુનઃ પુનઃ સંસ્કારથી તેના અંતસ્તવ પ્રત્યે ચિત્ત દોરાય છે, અને તેમાં જ એકાગ્ર થાય છે. આત્માને આત્મસ્વભાવ અભિમુખ ધારી રાખવારૂપ ધારણાથી આત્મામાં એકાગ્રતારૂપ.. ધ્યાન પ્રગટે છે. “થોનશ્ચિકૃત્તિનિરોધઃ” (પા૨-૧), ધારણામાં સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિમાં ચિત્તનું અવધારણ હોય છે, અને ધ્યાનમાં શુદ્ધ આત્મતત્વનું સાક્ષાનું અનુસંધાન હોય છે. “તર કરતાનતા દાનમ્ ' (પા. ૨-૨). ચિત્તના ધારણા-દેશમાં પ્રત્યયની એકતાનતા થવી અર્થાત્ ધારણું પ્રદેશમાં એક સરખા અખંડ પરિણામની ધારા રહેવી તે ધ્યાન છે. ( જુઓ. દ્વા. દ્વા.) “જે સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે, અને અરિથર ચિત્ત તે ભાવના, અનુપ્રેક્ષા, વા ચિંતા એમ ત્રણ પ્રકારે છે. એક અર્થમાં મનની અંતર્મુહૂર્ણ સ્થિતિ તે ધ્યાન છે. અનેક અર્થસંક્રમમાં લાંબી પણ સ્થિતિ હોય, તે અછિન્ન-અખંડ એવી ધ્યાનસંતતિ છે.” (જુઓ અધ્યાત્મસાર). ૬ - વનના મુખ્ય ચાર ભેદ છે–(૧) આર્ત, (૨) રોદ્ર, (૩) ધર્મ, (૪) થકલ. તેમાં આ રોદ્ર એ બે દુષ્પન સંસારના કારણ હોઈ અપ્રશસ્ત અને અનિષ્ટ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy