SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદ : અજ્ઞાનીને બંધ, જ્ઞાની અબંધ (૫૦૩) વૈરાગ્યને બાધ આવતો નથી; એટલે “વિષયોના બંધ ઉત્પાદનમાં નિયમ છે નહિં. અજ્ઞાનીઓને તેનાથી બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી-નિર્જરા જ છે; કારણ કે જ્ઞાની સેવતાં છતાં સેવતા નથી –ભેગવતાં છતાં ભોગવતા નથી ! અને “અજ્ઞાની નહિં સેવતાં છતાં સેવે છે”—નહિં ભગવતાં છતાં ભેગવે છે! આ આશ્ચર્યકારક પણ સત્ય ઘટના છે. કારણ કે જેમ કોઈ વાણેતર શેઠની વતી વ્યાપાર કરે–લેવડદેવડ કરે, પણ તે કાંઈ લાભહાનિને સ્વામી થતો નથી, તેના નફા-ટોટામાં તેને કાંઈ લેવાદેવા નથી, તે તો માત્ર ચીઠ્ઠીન ચાકર છે, અને શેઠ પોતે બેસી રહે છે, ને કાંઈ કરતો નથી, છતાં તે નફા-ટોટાને માલીક છે, લાભ-હાનિનો સ્વામી છે; તેમ સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષ પૂર્વ કર્મોદયથી સાંપડેલા વિષયો સેવતાં છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષયસેવનફલના સ્વામિત્વના અભાવથી અસેવક જ-નહિં સેવનાર છે; અને મિથ્યાષ્ટિ તો વિષય નહિં સેવતાં છતાં રાગાદિ ભાના સદુભાવે વિષયસેવનફલના સ્વામિત્વને લીધે સેવક-સેવનારો છે. આમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ ભેગ ભેગવે છે છતાં બંધાતા નથી ને કર્મ નિજરે જ છે ! ને અજ્ઞાની ભોગવતાં બંધાય છે! કારણ કે “પદ્રવ્ય ઉપભેગવતાં સતાં તેના નિમિત્તે સાત-અસાત વેદનાના ઉદયથી જીવને સુખરૂપ વા દુઃખરૂપ જ્ઞાન-વૈરાગ્યનું ભાવ નિયમથી ઉદયમાં આવે છે. પણ તે જ્યારે વેદાય છે ત્યારે સામર્થ્ય મિથ્યાષ્ટિને રાગાદિ ભાવોના સદભાવથી બંધનિમિત્ત થઈને નિર્જ રાતે છતાં અજીર્ણ હેઈ બંધ જ થાય છે; પણ સમ્યગૃષ્ટિને રાગાદિ ભાવના અભાવથી બંધનિમિત્ત થયા વિના કેવળ નિજ રાતે સતે જીર્ણ થઈને નિર્જરા જ થાય છે. આમ કઈ કમ ભોગવતાં છતાં કર્મોથી બંધાતો નથી! તે જ્ઞાનનું જ સામર્થ્ય છે કે વિરાગનું જ સામર્થ્ય છે: (૧) જેમ વિષ ખાતાં વૈદ્ય પુરુષ મરણ નથી પામતે, તેમ પુદગલ કર્મને ઉદય જ્ઞાની ભગવે છે પણ બંધાતો નથી. કોઈ વિષ વૈદ્ય, બીજાઓને મરણનું કારણ એવું વિષ ખાતાં છતાં, અમેઘ વિદ્યાના સામર્થ્ય વડે તેની *“વિવાળાં તો ધંધનને નિયમોત ના અજ્ઞાનિનાં તતો ધંધો શનિનાં ઉંદિર છે सेवतेऽसेवमानोऽपि सेवमानो न सेवते। कोऽपि पारजनो न स्याच्छयन् परजनानपि॥" શ્રી અધ્યાત્મસાર “सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवगो कोई। grળા વાસ્તવિ જ ય વાયોત્તિ હો ”– શ્રી સમયસાર * આ વિષય વિસ્તારથી સમજવા માટે અત્રે આધારરૂપ લીધેલ શ્રી સમયસારની ગા૦ ૧૦૪૧૯૮ તથા તે પરની શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમસુંદર ટીકા અવગાહી,-તેમજ શ્રી અધ્યાત્મસારને વૈરાગ્ય અધિકાર અવલેક. । “ तद् ज्ञानस्यैव सामर्थ्य विरागस्य च वा किल । થોડા વર્મમિ વાર્મ મુલારોડ િર વ ” -- શ્રી સમયસાર કલશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy