SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદ : પ્રત્યાહાર-વિષયવાસના ત્યાગે ચેતન ! ? (૪૯૧) મરપરિણતિભાવ છે. આ જડ ને ચલ જગતની એક છે મિત્ર! તને ભેગ ઘટતા નથી. આ પુલ સર્વ છએ અનંત વાર ભેગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ ભેજન જેવા છે, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિરૂપ એઠ કોણ ખાય ? ને પિતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કોણ ભ્રષ્ટ કરે? વળી હે ચેતન ! આ પુદગલભેગ અનિત્ય છે, ક્ષણવિવંસી છે. જે પોગલિક વિષયભેગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણ કે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુદ્દગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજસંપદાથી કે વર્ગસંપદાથી પ્રાપ્ત થતા ભેગ પણ દુર્ગધી કન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચેતન્યરસમય નિજાન્મસ્વરૂપને આસ્વાદ છેડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદને કોણ ચાખે? “કરો સાચા રંગ જિનેશ્વ, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તે દુરગંધિ કદન્ન રેકર સાચા આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂ૫ રે, વિણ સમકિત મત અભિલ, જિણે ચાખે શુદ્ધ સ્વરૂપ રે.....કરો સાચા ”—શ્રી દેવચંદ્રજી. પાંચ ઇન્દ્રિયના વિષયોગ પરિણામે અત્યંત દુઃખદાયી છે. “જે આપાતમા-આરંભ માત્રે સુખદાયક લાગે છે, તે વિષયોગ વિપાકે કિપાક ફલ જેવા દારુણ પરિણામી છે. આ ભેગ ખરેખર ! સાપની ફેણ જેવા આત્મઘાતી છે. વિષયમાં ને વિષયવાસના કાલકૂટ વિષમાં મેરુ ને સર્ષવ જેટલું અંતર છે.” એકેક ઇન્દ્રિયને ત્યાગ ચેતન!” પરવશપણાથી હાથી આદિને પ્રાપ્ત થતા આ પ્રત્યક્ષ ભયંકર પરિણામ તું જે ! (જુઓ. પૃ. ૩૧૮-૩૧૯) તો પછી પાંચ ઇન્દ્રિયના પ્રબળપણાથી તો કેટલું બધું દુઃખ થાય? માટે હે સચ્ચિદાનંદ આત્મન્ ! તું વિષયવાસના છેડીને નિજ સ્વભાવમાં સ્થિતિ કર ! વળી હે ચેતન ! આ અનાદિ સંસારમાં તેં અનેક વાર દેવલોકાદિના અનંત સુખ ભોગવ્યા, છતાં તને તૃમિ ઉપજી નથી, અને હજુ ભૂખાળવાની જેમ જાણે કોઈ દિવસ દીઠા ન હોય એમ તું આ મનુષ્યલકના તુચ્છ કામગની વાંછા કરે છે. તે તેથી તને શી રીતે તૃપ્તિ ઉપજશે ? સાગરજલથી જે તૃષા નથી છીપી, તે ગાગરજલથી કેમ છીપશે? પાણીના પૂરથી સમુદ્ર કઈ રીતે તૃપ્તિ પામે, ઇંધનોથી અગ્નિ તૃપ્તિ પામે, પણ અતિ ચિરકાળ ભોગવેલ અનંત કામગથી પણ પ્રાણી તૃપ્તિ પામતો નથી, માટે આવા તૃણું-તાપ ઉપજાવનારા દારુણ વિષયસુખથી સર્યું x-આમ આ પુદગલગ સર્વથા અશુચિ, અનિત્ય, દુઃખમય અને તૃષ્ણતાપ ઉપજાવનાર છે. અને હારું સ્વરૂપ તો હે ચેતન ! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય, ને આત્મતૃપ્તિજન્ય પરમ શાંતિ ઉપજાવનારું છે, માટે હવે તું પર પરિણતિરસરૂપ પુદગલ ભેગની આસક્તિ છોડી દે, ને સ્વસ્વરૂપરસના ભેગનો આસ્વાદ લે ! * વિશેષ આધાર માટે જુઓ જ્ઞાનાવ, અધ્યાત્મસાર આદિ ગ્રંથરત્નો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy