________________
દીહઃિ પરતત્ત્વ નિર્વાણ ને તેના અન્વથ નામ
( ૩ ) અર્થઅને સંસારાતીત તત્વ તે “નિર્વાણ” સંજ્ઞાથી ઓળખાતું એવું પર તત્વ છે, અને તે તે શબ્દભેદ છતાં તત્વથી નિયમે કરીને એકજ છે.
વિવેચન - ઉપરમાં જે સંસારાતીત–સંસારથી પર એવું પર તત્વ કહ્યું, તે શું? તેનું અહીં
સ્પષ્ટીકરણ કર્યું છે તે પર તત્વ “નિર્વાણ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. અને તે તે સામાન્યથી નિયમે કરીને એક જ છે. નીચે કહેવામાં આવે છે એવો શબ્દભેદ છતાં તત્વથી–પરમાર્થથી તે નિવણ તત્વ એકજ છે, ગમે તે નામે ઓળખવામાં આવે, પણ પરમ એવા તે નિર્વાણ તત્વમાં કોઈ ભેદ છે જ નહિં. તે તત્વથી પર કઈ છે નહિં ને સર્વથી પર તે છે, તેટલા માટે તે “પરં તરવ” છે. કર્મરૂપ તેલ ખૂટી જવાથી સંસારરૂપ દીવો ત્યાં બૂઝાઈ જાય છે-નિવાણ પામે છે, તેટલા માટે તે તત્વને નિર્વાણ” નામ ઘટે છે. એજ કહે છે– सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च ।। કવૈતટુડવર્થોમવૈવામિ શરૂ૦ || સદાશિવ પર બ્રહ્મ ને, સિદ્ધાભ તથાતા ય;
આદિ શબ્દ અન્વર્થથી, એકજ તેહ કથાય. ૧૩૦ અર્થ:–સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, ઈત્યાદિ શબ્દોથી તે ઓળખાય છે, તે અન્વર્થથી (શબ્દના બરાબર અથે પ્રમાણે) એકજ છે,
વૃત્તિ -રાવિક–સદાશિવ, એટલે સર્વ કાળ શિવ, કદી પણ અશિવ નહિં તે –નિકાલ પરિશુદ્ધિ થકી સર્વ અશિવના અભાવને લીધે, ઘ–પરમ, પ્રધાન, ગ્રહ-બ્રહ્મ,-તથા પ્રકારે બૃહત્ત અને બૃહત્વવડે કરીને સદ્ભાવનું અવલંબનપણું હેવાથી, સિદ્ધારમા-સિદ્ધ આત્મા, કૃતકૃત્ય આત્મા, નિછિતાર્થ એમ અર્થ છે, તથતિ -અને તથાતા, આકાલ એટલે સકલ તથાભાવથી, સદાકાલ તેવા પ્રકારને ભાવ હોવાને લીધે, “તથાતા” કહેવાય છે. કહ્યું છે કે“ उपादाननिमित्ताभ्यामधिकारित्वता ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥ विसंयोगात्मिका चेयं त्रिदुःखपरिवर्जिता । भूतकोटिः परात्यन्तं भूतार्थफलदेति च ॥"
અર્થાત–ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારવતા ધુપ છે, અને સર્વકાલ તથાભાવને લીધે તે “તથાતા' કહેવાય છે અને આ અધિકારિત્વતા–તથાતા વિસંગસ્વરૂપ ને ત્રણ પ્રકારના દુઃખથી પરિવર્જિત-સર્વથા રહિત એવી છે; તે પરા ભૂતકરિ છે, અને અત્યંત ભૂતાઈ ફલ દેનારી છે. ઈત્યાદિ રોડ-શબ્દથી, તd-તે નિર્વાણ, ૩પ-કહેવાય છે, ઓળખાય છે, અન્યથ-અન્તર્થથી, અર્થને અનુસરતા, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, ઉકત નીતિથી, ઇલામેવ-તે એકજ હેઈ, gવારિમિટ એ આદિ શબ્દોથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org