SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાણિ : ખસ ખણુનારા જેમ વિષય સાધના (૩૧૧) મતિ એની ખજવાળમાં, ખસ મટાડવા નહિ; ત્યમ તસ મતિ ભેગાંગમાં, ન તદિછા ક્ષયમાંહિ! અર્થ-આ બસને ખણુનારાઓની બુદ્ધિ જેમ ખજવાળમાં જ હોય છે, પણ ખસના મટાડવામાં હોતી નથી, તેમ આ ભવાભિનંદી જીની મતિ પણ ભેગના અંગરૂપ વિષયમાં જ હોય છે, પણ તે ભેગાંગની( વિષયની) ઈચ્છાના નાશમાં રહેતી નથી. વિવેચન અત્રે જે સુંદર આબેહૂબ દષ્ટાંત આપ્યું છે, (જુઓ વૃત્તિ) તે બહુ મનન કરવા જેવું છે, ને તેનો ઉપનયયુક્ત આ સાર ગ્રહણ કરવા યોગ્ય છે – ખસના દરદીને ખજવાળ-ચળ ઘણું જ મીઠી લાગે છે, અને તેથી તે ખણવામાં– ખેરી નાંખવામાં તેને એટલે બધો આનંદ આવે છે કે ખજવાળતાં ખજવાળતાં તેના નખ ઘસાઈ જાય, તો પણ તેની ખજવાળ ખૂટતી નથી! પછી તે ખજવાદ્રષ્ટાંતઃ ળવા માટે તૃણ વિગેરે બીજા સાધન પણ શોધે છે. હવે તેને જે કોઈ ઉપનય વૈદ્યરાજ મળી આવે અને તેને કહે કે–ભાઈ! હારો સમૂળગો ખસ રોગ જ હું કાઢી નાંખું, મને ત્રિફળાને પ્રગ કરવા દે, પછી ત્યારે ખજવાળવાની પણ પંચાત નહિં રહે. તે એ સામું કહેશે-મહારે તે આ હારી ખજવાળજ ભલી છે, તે જ મને મીઠી લાગે છે, માટે બરાબર ખજવાળાય તેવો તેનો ઉપાય હોય તે કરો. જો કે આ ખજવાળથી તાત્કાલિક કલ્પિત મીઠાશ લાગતાં છતાં પરિણામે તે બળતરાજ ઊઠે છે, ખજવાળ ઉલટી વધે જ છે, ને રોગ ઊંડા મૂળ નાખે છે. પણ પશુ જેવો મૂર્ખ તે ગામડીઓ ગમાર તેમ સમજતું નથી. તે જ પ્રકારે ભવાભિનંદીરૂપ રોગીને ભવરૂપ ખસને મહારોગ લાગુ પડ્યો છે. તેથી આ સંસારના કીડાને વિષયેચ્છારૂપ મીઠી ખુજલી-ખજવાળ આવે છે, અને વિષયસેવનથી તે ખજવાળ દૂર કરવા મથે છે, પણ ગમે તેટલા વિષયભેગથી તે મટતી નથી, અગ્નિમાં આહુતિની જેમ ઉલટી વધતી જાય છે, ને અંતસ્તાપરૂપ બળતરા ઊઠે છે. વિષય ભેગથી સંસાર રોગ ઊંડા મૂળ રાતમાં દૂર કરી દઉં. તું ત્રિફલાને યોગ કર. તેણે કહ્યું–ખસ મટી ગયે, કવિનેદના અભાવે (ખજવાળના અભાવે ) જીવવાનું ફળ શું? તેથી ત્રિફલાથી સયું ! આ કયાં મળે છે એ જ કહા ! એમ બ્લેક ગર્ભથે છે. અક્ષરગમનિકા (શબ્દાર્થ) તે--વથા વર્ષે પોર્ન ઇનિવર્તને તેવાં મોડુ ન છાપ -જેમ એની મતિ કંpયનમાં (ખજવાળના સાધનોમાં) હોય છે, પણ તે ખસના નિવર્તનમાં-મટાડવામાં હતી નથી; તેમ આ ભવાભિનંદીઓની મતિ ભોગાંગમાં હોય છે, પણ તેની ઇચ્છાના પરિક્ષયમાં-ભોગેચ્છાની નિવૃત્તિમાં નથી હોતી; તત્વના અનભિનપણથી જ ( અજાણુપણથી ) વયને પરિપાક થથે પણ, વાજીકરણુમાં આદર હોવાથી. અહીં ઈચ્છાનું ગ્રહણ ભોગક્રિયાના ઉપલક્ષણવાળું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy