SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૦) યોગદષ્ટિસમુચ્ચય જ્યાં લગી પર વસ્તુમાં આત્મબુદ્ધિ ટળતી નથી, પરભાવ-વિભાવ પ્રત્યેની અંતરંગ રમણતારૂપ દુષ્ટ દુર્વાસના જ્યાં લગી દૂર થતી નથી, જીવની પરિણતિ અને વૃત્તિ જ્યાં લગી પરભાવવિભાવમાં રાચી રહી છે, ત્યાં લગી તેનું સમસ્ત જ્ઞાન પણ અજ્ઞાન છે, અને તેની અનંત દ્રવ્ય ક્રિયા પણ નિષ્ફળ-નકામી છે. દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે મનમોહના.”–શ્રી દેવચંદ્રજી ફલ થકી આ જ કહે છે—— एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः। हिताहितविवेकान्धा खिद्यन्ते सांप्रतेक्षिणः ॥७८॥ એહીં જ કારણથી અહીં, અઘસવંત; વિપર્યાસમાં તત્પરા, એવા નહિવત. વળી તે હિત-અહિતના, વિવેકમાંહિ અંધ; ખેદ પ્રાપ્ત કરતા રહે, વત્તમાન દેખંત, ૭૮ અર્થ –એટલા માટે જ અહીં આ અદ્યપદવાળા મનુષ્ય વિપર્યાસપરાયણ હોય છે, એટલે હિત-અહિતના વિવેકમાં અંધ એવા તેઓ વર્તમાનને જ દેખનારા હેઈ, દિ પામે છે. વિવેચન એટલા માટે જ, ઉપરમાં જે કહ્યું તે કારણને લીધે, આ અઘસવેદ્ય પદમાં જે વર્તે છે, એવા મનુષ્ય આ લેકમાં વિપર્યાસપરાયણ હોય છે, એટલે કે વસ્તુસ્થિતિથી વિપરીત–ઉલટી બુદ્ધિ ધરાવે છે. તેઓ સને અસત્ જાણે છે, અસતને વિપર્યાત સત્ જાણે છે; તત્ત્વને અતત્વ જાણે છે, અતત્વને તત્ત્વ જાણે છે; - નિત્યને અનિત્ય જાણે છે, અનિત્યને નિત્ય જાણે છે, ધર્મને અધર્મ જાણે છે, અધર્મને ધર્મ જાણે છે, હિતને અહિત જાણે છે, અહિતને હિત જાણે છે; હેયને આદેય જાણે છે, અદેયને હેય જાણે છે, શેયને જ્ઞાન જાણે છે, જ્ઞાનને સેય જાણે છે, આત્માને અનાત્મા જાણે છે, અનાત્માને આત્મા જાણે છે. ઈત્યાદિ અનેક પ્રકારે તે વિપર્યાસન-ઊંધી બુદ્ધિનો આવિષ્કાર થાય છે, પ્રગટ ભાવ દેખાય છે. તાત્પર્ય કે વસ્તુ સ્થિતિથી વિપરીત–ઉલટી માન્યતા તેનું નામ વિપર્યાસ છે. - વૃત્તિ –ાત -આ અદ્યપદવાળા, ગત જીવ-આજ કારણથી, જુદું-અહીં, લેકમાં, વિ –વિપર્યાસપ્રધાન, નાક-નરે, મનુષ્ય, શું ? તે કે-તિતિવિરાઘા:-હિતાહિત વિવેકમાં અધ, આથી રહિત એમ અર્થ છે. એટલા માટે જ કહ્યું કે-ણિતે દક્ષિણ સાંપ્રતેક્ષીઓ ખેદ પામે છે, વર્તમાનદર્શી હોઈ ખેદ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy