SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ખભાષ્ટિ : શુશ્રૂષાશ્રવણેચ્છાના દાખલા ( ૨૨૩) કાઇ નંદનવન જેવા રમ્ય ઉપવનમાં વિલસી રહ્યો છે. અને સુખસમુદ્રમાં નિમજ્જન કરી રહેલા આવા તરુણને એવા ઇચ્છાતરંગ ઉત્પન્ન થાય કે-આપણે તે હવે દિવ્ય સંગીત સાંભળવુ' છે. કાઇ કેાકિલકડી કિન્નર પોતાનું મધુર ગાયન સંભળાવે તે કેવું સારૂ ? ગાંધર્વાંના મધુર આલાપવાળા સંગીતના જોગ બની આવે તે કેવું સારૂં? વીણા, વેણુ વગેરે વાદ્યોના રણકારથી ગુજતું અને દિવ્યાંગનાએના નૃત્ય ઢણકારથી રુચતું, એવું દિવ્ય સૉંગીત સાંભળવાનું સૌભાગ્ય જો મને પ્રાપ્ત થાય તા કેવુ સારૂં? આમ તે રંગમાં આવી જઈને ઈચ્છે છે. ત્યાં દૈવાનુયાગે જો કેાઇ કિન્નર કે ગાંધર્વ આદિ આવી ચડે, ને હૃદયના તાર હલમલાવી નાંખે એવુ દ્વિવ્ય સંગીત છેડે, દિબ્ય સૉંગીતની રમઝટ ખેલાવે, તે તે તરુણ્ પુરુષ તે દિવ્ય સંગીત કેટલા ઉલ્લાસથી સાંભવવા ઇચ્છે? જાણે ચિત્રમાં આલેખાયેલે હાય એમ કેવી સ્થિર તન્મયતાથી તે હૃદયહારી ગાનનુ કણ્ પુટથી પાન કરે? જાણે થીજી ગયેલુ' પૂતળું હાય એમ કેવી એકતાનથી તે શ્રવણુ કરવાની ડાંસ ધરાવે? તેમ આ ષ્ટિમાં સ્થિત કરતા યાગી પુરુષ તત્ત્વ શ્રવણુ કરવા માટે તેવી તીવ્ર ઇચ્છાઉત્કંઠા ધરાવે છે, તાલાવેલી રાખે છે. જેવા ઉલ્લાસથી તે ભેગી દિવ્ય સંગીતનું શ્રવણુ ઇચ્છે છે, તેવા બલ્કે તેથી વધારે ઉચ્છ્વાસથી આ યાગી દિવ્ય તત્ત્વ શ્રવણેચ્છાના અમૃતનું શ્રવણેન્દ્રિયદ્વારા પાન કરવા ઇચ્છે છે. તે તરુણ્ પુરુષ જેમ ચિત્રવત્ સ્થિર થઈને સાંભળવા ચાહે છે, તેમ આ શ્રવણપિપાસુ જોગી જન સ્થિર તન્મયપણું તત્ત્વવાર્તા સાંભળવાની સહુજ ઇચ્છા-ઉલટ ધરાવે છે. અને તે સહજ શ્રવણેચ્છા સ્વાભાવિક અંતરાગારદ્વારા સરી પડે છે. જેમકે— દાખલા હે પરમ કૃપાળુ સદ્ગુરુ દેવ ! જીવ તે હૃષ્ટિમાં આવતા નથી. તેનું કાઇ રૂપ જણાતું નથી. બીજો પણ કઈ અનુભવ થતા નથી. માટે જીવનું સ્વરૂપ જ નથી. માટે આત્મા છે નહિ. એટલે મેાક્ષના ઉપાય મિથ્યા છે. આ મ્હારી અંતર્ શકાને આપ સપાય સમજાવે હે ભગવાન્ ! આત્મતત્ત્વનું સ્વરૂપ શું છે? આપે તે કેવું જાણ્યું-અનુભવ્યુ છે? તે તત્ત્વસ્વરૂપ સાંભળવા હું ઇચ્છું છું. કારણ કે નિર્મલ આત્મતત્ત્વ જાણ્યા વિના મ્હારૂ ચિત્ત કેાઈ રીતે સમાધિ પામે એમ નથી. આ ભિન્ન ભિન્ન વાદીએ તેનુ સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારે કહે છે, તે સાંભળીને તે મ્હારી મતિ મુંઝાઇ ગઇ છે. માટે સમાધાન કરવા આપ જ સમર્થ છે!, કૃપા કરા! હે પરમ પ્રભુ! આપના પરમ ધર્મ હું શી રીતે જાણું ? સ્વસમય શું ? અને પરસમય શું? તે આપના શ્રીમુખે શ્રવણુ કરવા હું ઇચ્છુ છુ. ડે મર્હિમાવત મહંત ! તે સમજાવવા કૃપા કરી ! હે પુરુષાત્તમ ! તે બ્રહ્મ શું છે? તે કર્મ શું છે ? તે અધ્યાત્મ શુ છે ? તે અષિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy