SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષિણા : થાનાવશ્વક , દિયા થક, તલાવચકા (૧૫૯) અવિસંવાદી હેય. અને પછી પુરુષને તેવા સપુરુષસ્વરૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરવામાં આવે તે કિયાવંચક કહેવાય; તે ક્રિયા કદી વંચે નહિં-ફેગટ જાય નહિં, અચકપણે અવશ્ય ધર્મલાભદાયી થાય જ. અને આમ સપુરુષ સદ્દગુરુને તથારૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદનાદિ ક્રિયા કરવામાં આવી, તેનું ફલ પણ કદી વંચે નહિં, અમેઘ હોય, અચૂકપણે પ્રાપ્ત થાય, તે ફેલાવંચક જાણવું. આ ત્રણે અવંચક અહીં આ દ્રષ્ટિમાં દ્રવ્યથી હોય છે. સદગુરુ વેગે વંદન ક્રિયા, તેહથી ફલ હોય જે રે, વેગ ક્રિયા ફલ ભેદથી, ત્રિવિધ અવંચક એહ રે....વર”–શ્રી ગ૦ સઝાય ૨-૧ર આ અવંચક ત્રિપુટીને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા બરાબર ઘટે છે. જેમ લક્ષ્યને-નિશાનને બરાબર તાકીને છોડેલું બાણ લયને અવશ્ય વિધે, ચૂકે નહિ, ખાલી જાય નહિં–અફળ થાય નહિં, નિજ કાર્યની સિદ્ધિ કરે, તેમ શુદ્ધ બાણની લક્ષ્ય આત્મસિદ્ધિરૂપ લક્ષ્યને અનુલક્ષીને તાકીને કરવામાં આવેલા યોગ, ક્રિયા ક્રિયાની ઉપમા ને ફળ અવંચક હોય, અવશ્ય પિતાના સાબરૂપ લક્ષ્યને સાધે, અમોઘ અચૂક હાય, અવિસંવાદપણે સ્વકાર્યની ચોકકસ સિદ્ધિ કરે. આમાં નિશાનને બરાબર તાકીને બાણનો ધનુષ્ય સાથે ગ–જેડાણ થવું, અનુસંધાન થવું, તેની બરાબર ચગાવંચક છે. આમ બરાબર તાકેલા બાણની નિશાન પ્રત્યે ગમન કરવાની જે ક્રિયા, તેની બરાબર ક્રિયાવંચક છે. અને નિશાનને વિંધવારૂપ જે કાર્યસિદ્ધિ થવી, તેની બરાબર ફલાવંચક છે. આ દષ્ટાંત ઘણું અર્થ રહસ્ય ભરેલું છે, ને તેના પરથી નીચેના મુદ્દા તારવી શકાય છે – (૧) બાણનો ગઅનુસંધાને બરાબર નિશાન તાકીને ન હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી-વાંકીચૂકી હાય, ને નિશાન ચૂકી જવાય; તેમ આત્મસિદ્ધિનો લય બરાબર તાક્યા વિના જે ગ વંચક હોય, તો તેનો સાધક ક્રિયા પણ વંચક હોય અને ફલ પણ વંચક હેય. (૨) બાણનો યોગ-જોડાણ બરાબર નિશાનને તાકીને કરવામાં આવેલ હોય, તો જ નિશાન પ્રત્યેની તેની ગમનક્રિયા સીધી સડસડાટ હાય, ને નિશાન વિંધાય, ચકે નહિં; તેમ આત્મસિદ્ધિને લક્ષ્ય બરાબર તાકીને જે વેગ અવંચક કરવામાં આવે, તો પછી તેની સાધક ક્રિયા પણ અવંચક હય, અને સિદ્ધિરૂપ ફળ પણ અવંચક જ હોય. આમ આ ઉપરથી ભંગી ફલિત થાય છે -(૧) યોગ અવંચક હોય, તે ક્રિયાફલ અવંચક હોય. (૨) વેગ અવંચક હોય, તે પછીના ક્રિયા-કુલ વંચક ન હોય. (૩) ગ વંચક હોય, તે ક્રિયા-ફલ પણ વંચક હોય. (૪) યોગ વંચક હોય, તે ક્રિયા-ફલ અવંચક ન હોય. આ સર્વને નીચેની આકૃતિ પરથી બરાબર ખ્યાલ આવી શકશે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy