SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ ગણિતું સામાન્ય કથન બધ-દેહરૂપ સ્વયં જાણી રહેલા આ સમ્યગૃષ્ટિ પુરુષ જ બેધથી યુત થતા નથી ! આવું પરમ સાહસ તે સમ્યગદષ્ટિઓ જ કરી શકે !” રત્નના સ્થિર પ્રકાશને જેમ વાયુ સ્પશી શકતો નથી કે ઓલવી શકતો નથી, તેમ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાનીના સ્થિર બોધરત્નને ઉપસરૂપ વાયુ સ્પશી શકતા નથી કે ઓલવી શકતો નથી. અને એટલા માટે જ આ દષ્ટિને બોધ ૧. અપ્રતિપાતી–જેમ રત્નને પ્રકાશ અપ્રતિપાતી હોય છે-કદી ચાલ્યો જતો નથી, તેમ આ દષ્ટિને બંધ પણ અપ્રતિપાતી હોય છે, એક વાર આવ્યા પછી પાછા પડી જતો નથી. “જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ, જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કુશ રહે હે લાલ.”—શ્રી યશોવિજયજી ૨. પ્રવર્ધમાન–પ્રયોગ વગેરેની કસોટીથી જેમ રત્નની કાંતિ એર ને એર ઝળકતી જાય છે, તેમ આ સમ્યગદષ્ટિના બેધને આત્માનુભવરૂપ કસોટીએ ચઢાવી પ્રયોગ સિદ્ધ કરતાં તે ઉત્તરોત્તર બળવત્તર બનતો જાય છે, વૃદ્ધિ પામતો જાય છે. પાત્ર કરે નહિં હેઠ, સૂરજ તેજે નવિ છિપે છે લાલ, સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે તે લાલ.”–શ્રી યશોવિજયજી ૩. નિરપાય–તેલ ખૂટી જવાથી દીવો ઓલવાઈ જાય છે, પણ તે તેલ ખૂટી જવારૂપ અપાય (હાનિ) રત્નને નડતો નથી, તેથી તેને પ્રકાશ નિરપાય-નિબંધ હોય છે, કદી ઓલવાતો નથી; તેમ અત્રે બેધ પરાવલંબની નહિં હોવાથી નિરપાય હોય છે, તેને કોઈ પણ હાનિ-બાધા પહોંચતી નથી, તે કદી ઓલવાતો નથી–બૂઝાતો નથી; કારણ કે તેને કઈ પર અવલંબન નથી કે જે ખસી જતાં તેને હાનિ પહોંચે, તે તો સ્વાવલંબની–આત્માવલંબની જ છે, એટલે તે સર્વથા બાધા રહિત છે. આવો રતનદીપક મનમંદિરમાં પ્રગટ્યો કે બસ શત્રુબલ ખલાસ! મોહ અંધકારનો સર્વનાશ! ને અનુભવ તેજનો ઝળહળાટ ! તે દી જાગે તે જગ્યા ! ઓલવાય જ નહિં. “સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ, રાનદીપક અતિ દીપતે છે લાલ, સા, મુજ મનમંદિરમાંહી, આવે જે અરિબલ જપતો હે લાલ સારા મિટે તો મોહ અંધાર, અનુભવ તેજે ઝળહળે છે લાલ, સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણું નવિ ચલે હો લાલ, સારા પુદ્ગલ તેલ ન એપ, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ, સાવ શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઈણી પરે કહે હે લાલ.” - શ્રી યશોવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy