________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
કારકીર્દિ શરૂ કરી. બટાદ પ્રજા મંડળ સાથે સંકળાઈને વત- નના અનેકવિધ કામમાં આગળ પડતે ભાગ લીધે. બોટાદ સ્થાનકવાસી જૈનસંઘમાં રૂા. ૧પ૦૦ નું દાન આપ્યું. માતુશ્રીની સ્મૃતિમાં ત્રીસ હજારનું દાન આપી કન્યાશાળાનું મકાન બંધાવી આપ્યું. બોટાદમાં ૨. વિ ગોસળિયા જૈન છાત્રાલયના પ્રમુખ તરીકે અને અગાઉ ઝાલાવાડ સ્થા. જૈન સમાજમાં મેનેજીંગ કમિટિમાં હતા; બાટાદમાં ઉપાશ્રય બાંઘવા પિતા શ્રી જસરાજ નારણભાઈ વેરાને નામે રૂા. ૩૦,૦૦૦/- આપ્યા, બેટાદ કલેજમાં રૂા ૫૦૦૦ આપ્યા, તે રીતે બેટાદ જૈન ભેજનાલયમાં અને નાની મોટી અનેક સંસ્થાઓમાં યત્કિંચિત ફાળે આપી કુટુંબના નામને ઉજળું કર્યું છે. ધર્મપ્રેમી અને નિરાભીમાની શ્રી ઠાકરશીભાઈએ મન મૂકીને દાનગંગા વહાવી છે.
શ્રી જેશંકર ત્રીકમજી દીક્ષિતને આભારી છે તેમને પણ પરોપકારી સ્વભાવ બીજાના દુખે દુઃખી થવાની તેમની ભાવના અને સેવા પરાયણતા ઉપસી આવેલા જણાય છે ૧૯૩૨ થી આ પેઢીમાં સેવા આપવી શરૂ કરી તે પહેલા શિક્ષક તરીકેની સુંદર કામગીરી કરેલી ખંત મહેનત અને પ્રમાણીકતાંથી એક દશકામાંથી પેઢીને સધ્ધર પાયા ઉપર મુકી પોતે અજાણ્યા પ્રદેશમાંથી અહીં આવેલા પણ પોતાના રમુજી નિખાલસ અને મીલનસાર સ્વભાવથી સૌની સાથે મિત્રાચારીથી પ્રતિષ્ઠા જમાવતા ગયા પિતાના વ્યવહારિક કામોમાં પણ શેઠને મૂલ્યવાન ફાળે હોય જ. ગમે તે નિર્ણય લે શેઠને માન્ય હોય જ.
શ્રી તાહેરઅલી ઈમાઈલજીભાઈ
મુંબઈની દારૂખાના બજારમાં લોખંડના અગ્રણી વ્યાપારી તરીકેનું માનભર્યું સ્થાન પામનાર શ્રી તાહેરભાઈ અમરેલી જીલ્લાના બગસરાના વતની છે. ઘણા વર્ષોથી એટલે કે ૧૯૩૭ થી પિતાશ્રીના ધંધામાં જોડાયા મુંબઈ આવી સ્થિર થયાં અને ધંધાને પિતાની કુશાગ્ર બુદ્ધિથી વિકસાવ્યો. ધંધાદારી પ્રવૃત્તિઓ સાથે સામાજિક સેવાઓની ભાવના અને સેવાકાર્યની લગની છાના નથી રહ્યાં. મેઘાણી સ્મારક સમિતિ (મુંબઈ) ની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સારૂ એવું સ્થાન શોભાવ્યું છે. દારૂખાનુ આયર્ન મરચન્ટસ એસસીએશન લી. ના ડાયરેકટર તરીકે ઓલ્ડ આયર્ન મરચન્ટ એસેસીએશનના કાર્યવાહક મેમ્બર તરીકે રહીને સારૂ એવું કામ કર્યું છે. તેમના પિતાશ્રી પણ ધર્મભાવનાથી રંગાયેલા અને સ યમી હતા.
શ્રી તુલસીભાઈ કાનજીભાઈ શેઠ
રાજુલાનાં નગરશેઠ કુટુંબનાં નબીરા તુલસીદાસભાઈ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રત્યે કુટુંબ પરંપરાગત રસ ધરાવે છે. શેઠ કુટુંબ તરફથી રાજુલા ગામની પાણી પુરવઠા યેજના તથા ખાદી ગ્રામોદ્યોગ ભવન માટે તેમને તન મન અને ધનને ફાળે ઉલ્લેખનીય છે. મુંબઈ ખાતે વર્ષો સુધી કપળ જ્ઞાતિની મેનેજીંગ કમિટિમાં તથા ડીરેકટર તરીકે કળ કો ઓપરેટીવ બેન્ક માટેની તેમની સેવાઓ જાણીતી છે. તેઓ હાલમાં પણ મુંબઇની અનેક સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શ્રી તુલસીભાઈ ધંધામાં રાસાયણિક ખાતરના ઉત્પાદન ક્ષેત્રે પંકજ કેમિકલસ એન્ડ ફટલાઈઝરના નામથી તેમજ અન્ય રાસાયણિક (કેમી કલ્સ)ના ધંધામાં આર. તુલસીદાસ એન્ડ કાં.ના નામથી વિખ્યાત પેઢીનું સંચાલન કરે છે તેમજ રાજુલા ખાતે લાકડાના તથા ખાતરના બહોળા વેપાર ધંધાનું આયોજન કરે છે. તેઓ સ્વભાવે શાંત સૌમ્ય અને મીલનસાર પ્રકૃત્તિનાં હોવાથી સારું એવું મિત્ર વર્તુળ ધરાવે છે. શ્રી દામોદરદાસ રામજીભાઈ દાવડા
શ્રી ત્રિભોવનદાસ મોનદાસ ભુતા
રાજુલાના વતની અને ધંધાર્થે ઘણા વર્ષોથી મુંબઈ પૂના તરફ વસવાટ કરી રહ્યા હતા. નાની વયમાં વ્યાપારી ક્ષેત્રને બહોળો અનુભવ અને દીર્ઘદૃષ્ટિને લઈ ધંધામાં આગળ આવ્યા અને સત્કૃત્યમાં સંપત્તિનો ઉપયોગ કરતા રહ્યાં. ઘેલા સોમનાથ મંદિરમાં તેમને કાળો અનન્ય છે. લાપરના શંકરના મંદિરમાં રાજુલાની નાની-મોટી બધી જ સાર્વજનિક સંસ્થાઓમાં તુલસીશ્યામ અને અન્ય ધાર્મિક જગ્યાઓમાં તેમણે દાનને પ્રવાહ અવિરત ચાલુ રાખ્યું. શેઠ શ્રી ત્રિવનદાસભાઈને તા. ૧૯-૧૦-૭૩ ના રોજ અચાનક સ્વર્ગ વાસ થયો અને સુકૃત્યની સુવાસ મૂકતા ગયા રાજુલાની પાંજરાપોળ પ્રવૃત્તિમાં અને કેળવણીની સંસ્થાઓમાં પણ સારી સખાવત કરી છે. ભાવનગરમાં ધંધાકીય ક્ષેત્રે બી. ટી શાહ એન્ડ કુ ના નામની પેઢી ચાલે છે જે પેઢીનું સફળ સંચાલન
ઉદ્યોગપતિશ્રી દામોદરભાઈને જન્મ સંવત ૧૯૬૦ના શ્રાવણવદ ત્રીજના રોજ દ્વારકા ખાતે થયું હતું. દ્વારકા ખાતેજ ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ કરી તેઓશ્રી તેમના પિતાશ્રી સાથે અનાજ – કરિયાણાનાં વ્યવસાયમાં જોડાયા. ત્યારે તેમની વય માત્ર પંદર વર્ષની હતી. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયમાં વહાણવટાનું કામકાજ પણ હતું. સધિયા કંપનીના વહાણોના માલ ખાલી કરવાને તેમજ ભરવાને તેમની પાસે કોન્ટ્રાકટ હતો જ. એ. સી. સી. સીમેન્ટ કંપનીને માલ લાવવા લઈ જવાનું ટ્રાન્સપોર્ટનું કામકાજ તે તેઓ છેલ્લા ૪૦ વર્ષથી સંભાળે છે. પાંડવ સમાં સરખા પાંચ ભાઈઓએ પિતાશ્રીના કામકાજને સઘળે ભાર સુવ્યવસ્થિત રીતે માત્ર ઉપાડી લીધેજ નહિ પરંતુ તેનો વિકાસ કર્યો અને વિસ્તાર પણ વધાર્યો શ્રી તુલસીદાસભાઈએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org