SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૯૭૩ પ્રત્યેક વ્યકિતમાં રહેલ સદગુણે જોવાની તેમની વૃત્તિ અને તેનું પિતાના જીવનમાં વર્તનને કારણે તેઓ સૌના વધારે પ્રીતિપાત્ર બન્યા છે. દક્ષિણ-ઉત્તર અને પશ્ચિમ ભારતના દર્શનીય સ્થાનેને પ્રવાસ કરી ઘણે અનુભવ-જ્ઞાન સંપાદીત કર્યા છે. સહકારી ક્ષેત્રની સાથે ખેતી વિષયક પ્રવૃત્તિઓમાં પણ એટલી જ દીલચસ્પી ધરાવે છે. એ નાની દુનિયામાં ભાઈ ચારાની મહાબત મહેકે. એ વખતે બધા કપોળ કુટુંબમાં શેઠ વનમાળી જીવાનું પણ આગળ પડતું નામ. દેશ વિદેશની પેઢીઓ અને સરકારી કોડીઓને માલ-સામાન પૂરા પાડવાને મૂળ વ્યવસાય વિકસાવેલે પહેલી એબીસીનીયન લડાઈ વેળાએ મોટા જથ્થામાં ઘી પુરૂ પાડી સારી કમાણી કરી. જર-જમીન ને મકાનો વસાવ્યા. સમાજ અને જ્ઞાતિ હિતના બધા કાર્યોમાં સારો રસ ધરાવે, ધર્મનિષ્ઠ અને સાત્વિક વૃત્તિના સમય પ્રમાણે નાની મોટી સખાવતે કરી એક આગેવાન લેખાયા. તેમને એક પુત્ર દામોદરદાસ જન્મથી નાજુક તબીયતના અને આજાર. બાપીકે ધંધે કરી શકયા નહિ પણ મકાન મિતકના દેખીતા વહીવટ ભાડું અને બીજી આવક વધારી. તેમને એક પુત્ર તે શ્રી મુલજ સ્વ. શ્રી ઉત્તમલાલ મુલજીભાઈ જાગલા. આજના પચરંગી મુંબઈ શહેરના સર્વાગી વિકાસમાં ઘણી કે મને જુદી જુદી રીતે ફાળો છે અને તેના ઘણા આ ગેવાનોની કૂળકથા મુંબઈની વિકાસ ગાથા સાથે સંકળાએલી છે. તેમાં કપોળ કેમ અને તેના ઘણા અગ્રેસરને પણ યશસ્વી અને નોંધપાત્ર હિસે છે આવા યશભાગી અને હિતષિઓની ઉજજવળ કારકિર્દીનો ઈતિહાસ આપણે પૂરો જાણતા નથી. ઘણી કોમી અને તેથી વિશેષ બીન કમી વિવિધ સખાવતે સાથે જેમના નામ મરણ અંકિત થયેલા છે તેમની અને તે માટે જેમણે મોટા દાને આપ્યા છે તેવા દાતાઓની દૂરદર્શિતા ને દિલાવરી વિષે આપણને બહુ થોડી માહિતી છે. મુંબઈ શહેરની ઉત્કાતિના સમાન્તરે વિકસતા જતા આપણું સાંસ્કૃતિક ઉત્કર્ષને ઇતિહાસ જોઈએ એ રીતે આપણે સાચા નથી. પૂર ઝડપે બદલતી જતી આજની દુનિયા અને ન આકાર તેની સમાજ રચના વચ્ચે આપણી વારસાગત સંસ્કાર પ્રણાલિ અને પરંપરા ભૂલાતા જાય છે. ત્યારે કોઈ જૂની પેઢીને રહ્યા સહ્યા પ્રતિનિધિની સમાજ હિતની ઉત્કૃષ્ટ ભાવના સુકૃત્યરૂપે સાકાર પામે છે તેવે વખતે આવી સંભાવનાની પૃષ્ઠભૂમિમાં જૂની આખોને એ પરંપરાગત સંસ્કાર અને ઉચ્ચ પ્રણાલિના દર્શન થાય છે. ભવ્ય ભૂતકાળ સજીવન થઈ આનંદ અને ગૌરવની ઝલક ઉપસાવી જાય છે. વર્ષો જૂની વાત છે, ત્યારે મુ બઈના મધ્યમાં આવેલા બારભાઈ મહોલ્લામાં કપોળ કેમને મેટો વસવાટ પેઢી બે પેઢીથી. ઘણાં કુટુંબ સાધન સંપન્ન અને સમૃદ્ધ. ઘણાને ઘેર મકાન-માળા અને જર–જમીન ત્યાં તેની લુહાણા જૈન સુરત બાજુન, ચીકલીગર તેમ ગુજરાતી અને મુલતાની જેવી બધી કેમે વચ્ચે કપાળેનું વર્ચસ્વ બધાં મંજિલા અને આનંદપ્રિય, તેવાજ ઉદાર અને ઉત્સાહિ વાર તહેવારે ઉત્સવ ઉજાણીઓ થાય અને મેટા ધાર્મિક તહેવારમાં મહેલે ગોકળયું બને. નવરાત્રી મહોત્સવનો મહિમા મોટો લત્તાની ચારે બાજુ હોરા મેમણ તેમ મુસલમાનની પણ વસ્તી મોટી નવરાત્રીના રાસ-ગરબી અને દાંડિઆ રાસ તેમને મન મોટું જોણું. નામી ગાયકના સંગીતના જલસા થાય અને એક દિવસ અચૂક કવાલીની મહેફિલ જામે. બહેન-બેટિઓ બાળકો સાથેની બધી સ્ત્રી પુરૂષની ચોમેર મટી ઠઠ જામે. બધા શિસ્ત ને પૂરી આમન્યા પાળે રોજ-બ-રોજના જીવનમાં પણ બધા માનની દ્રષ્ટિએ જુએ; વાર તહેવારે ખુશી મનાવે અને સારા-માઠા પ્રસંગે હમદી દાખવે. નદી-નાવ સંજોગે શેઠ વનમાળી જીવાના પૌત્ર મુલજીભ ઈ બધે વાર વધાર્યો. ભણેલા ડું પણ મકાન મિલકતના વહીવટના અનુભવે કાયદા કાનૂનની જાણકારી સારી. અંગ્રેજી ભાષા પર સારો કાબૂ, સ્વભાવે આકરા પણ પૂરા પ્રમાણિક કજીઆ કંકાસ અને વરવાંધા પતાવે. લવાદ તરીકે બધા સ્વીકારે ને પોતે પુરે ન્યાય તોળે. કેઈવાર પિતાને ઘેર પક્ષકારોને બોલાવી કોર્ટની અદાથી લવાદી કરે, કહે ત્યાં અદબથી બેસવાનું, વગર પૂછે કે વચ્ચે વચ્ચે બોલવાનું નહિ, કામ ચાલતું હોય ત્યારે કેઇએ ઉઠબેસ-કરવાની નહિ, પૂછે તેટલે જ જવાબ આપવાનો જાતે કેફિયત નોંધ ને ધારાસર કાગળીયા કરી લાગતા વળગતાને સાક્ષી પાસે સહી સિક્કા કરાવે, ઘણીવાર પારકો કજીઓ ઉછીને લે ને ગાંઠના ગોપીચંદન કરે. કેરટ કચેરીને વકીલ બારિસ્ટરને ત્યાંના આંટાફેરા એ એમને નિત્યને વ્યવસાય. તેમને બે સંતાન; એક ઉત્તમભાઈ અને બીજા નરોત્તમભાઈ. બાળપણુથી જ સ્વતંત્ર દેવભાવના ને તરંગી પણ કુશાગ્ર બુદ્ધિના હરકોઈ હેરત પમાડનારી વસ્તુ જુએ તે તેની કરામતને પાર પામવાની કુતુહૂલવૃત્તિ ભારે. અભ્યાસ તરફ રુચિ ને ભાષા જ્ઞાન તરફ પ્રીતિ ૫ બીજા કેટલાક વિષયે તરફ અણગમે. દાદાવારીનું ઘડિયાળ બગડે કે બંગડી વાળું બોદુ વાગે તે તેને સમારીને જ ઝંપે એમના મનથી એ મેટું ને સૌથી અગત્યનું કામ. નીઓ અને સાંચાનું સમાર કામ–કરનાર ચકલી કારી ગરો ભાડૂત જરુર પડે ત્યાં દોડી જાય. નાના મોટાં હથીયાર -ઓજાર ખરીદી લાવે. લાડ કેડમાં ઉછરે. મન ગમતું કરવાની પૂરી છૂટને સાધન સગવડ સુલભ. આવી સુવિધાઓ સ્વભાવગત ખાસિયત ઉત્તરોત્તર વિકસતી ચાલી ને કંઇને કંઈ સમાર કામની પ્રવૃત્તિએ એમને અભ્યાસખંડ એક નાનું વર્કશોપ બન્યા હેયા ઉકલતે ઘણી ગૂંચ ઉકેલે અને કામ કામને શીખવે પણ તેથી કંઈ કરામતને પાર પામ્યા તેમ ડું લેખાય ! બધી યાંત્રિક રચનાને કળા કરામતના કેઈ સિદ્ધાંતને શાસ્તર તે ખરા જને ! એવા બધા રહસ્ય સમ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy