SearchBrowseAboutContactDonate
Page Preview
Page 971
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ ८६६ શ્રી સુરજરામ હીરાલાલ બચકાનીવાળા શ્રી સુરજરામ બચકાનીવાળાની પ્રથમવાર મુલાકાત લેનાર પણ તેમની સાથે સતત સંપર્કમાં રહેનારાઓની જેમ, તેમના શાંત સજન્યશીલ, સહદયી અને ઉત્સાહપ્રેરક વ્યવસાય કે સંસ્થાના ગમે તેવા કુટ પ્રશ્નો હલ કરવામાં તેઓશ્રી જે પ્રગતિક વિચારસરણી ગંભીર ધીરજ, અદમ્ય ઉત્સાહ અને અવિરત ખંત દાખવે છે. તે ખરેખર અનુકરણીય લેખા, ય છે. પિતાના પેઢીગત કાપડ વણાટ ઉદ્યોગને નવો વળાંક આપવાના અરમાન સહીત ટેકનીકલ ક્ષેત્રે બી. ટેસ્ટની ઉચ્ચ પવી ૧૯૫૧ માં મેળવી આર્ટ સીલ્ક સીઘેટીક કાપડના ઉત્પાદન અને વિકાસ ક્ષેત્રે અગ્ર અને સુપ્રસિદ્ધ ‘હિમસન હઉસ” તરીકે ઓળખાતા હીરાલાલ મંછારામ એન્ડ સન્સ પ્રા. લી ના ટેકનીકલ ડીરેકટર તરીકે જોડાઈ પોતાના પિતાશ્રી અને વડીલ બંધુ શ્રી પ્રાણલાલ બચકાનીવાળાના માર્ગદર્શન હેઠળ અને અન્ય લઘુબંધુઓનાં સંપર્કમાં રહી કંપનીની સમૃદ્ધિ અને વિકાસમાં સારો ફાળો આપે. સીન્ટેટીક કાપડ ઉદ્યોગના વધુ અભ્યાસાથે યુનેની મેરીટ સ્કોલરશીપ મેળવી ઈગ્લેન્ડમાં સફળ ટ્રેનીંગ પુરી કરી શૈક્ષણિક ક્ષેત્રે તેમની કારકીદિ ઉજજવળ રહી હતીપોતાની બૌદ્ધિક શકિત પિતાના કે કુટુંબના હિતાર્થે મર્યાદિત રાખવાને બદલે તેનો લાભ ખાસ કરીને વ્યાપાર ઉદ્યોગ સમુદાય સમાજના વિશાળ હિતમાં પણ કામે લગાડવાની તેમની ધગશ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ પીછાણ ૧૯૬૫માં પ્રમુખ તરીકે તેમની વરણી કરી. પચ્ચીસ વર્ષથી દક્ષિણ ગુજરાત વેપાર ઉદ્યોગ અને વિકાસમાં ફાળો આપનાર આ સંસ્થા માટે પિતાનું મકાન મેળવવાની પ્રવૃત્તિના મંડાણ મંડાયા બાદ તેને સાકાર કરવાની જવાબદારી તેમને શીરે આવી. આ કાર્ય પાર પાડવા તેમને સંસ્થાના ખાસ ગ્રહને વશ થઈ એકધારી બે વર્ષ પ્રમુખ તરીકે સેવા આપી ચેમ્બર માટે ‘સમૃદ્ધિ” ઈમારતનું સમગ્ર આયેાજન પુરૂ કર્યું અને ચેમ્બરને ખૂબ પ્રવૃત્તિમય રાખી નવી ચેતના જગાવી વેપાર સમુદાયની સારી ચાડના મેળવી. આજના શિક્ષિત યુવાન પોતે સમાજના તથા વેપાર ઉદ્યોગના પ્રશ્નમાં ઉડે રસ કેળવી આગળ આવશે તે જ વિચારહિતમાં કામ કરતી નેતાગીરી મળી રહેશે તેમ તેઓનું મંતવ્ય છે. સુરત ટેટાઇલ માર્કેટની સ્થાપના માટે રચાયેલી એડહક સમિતિની રચનાથી જ ચેરમેન તરીકે વ્યવસ્થાપક સમિતિના પોતાના સાથીઓમાં સંઘ બળની ભાવના પ્રેરી માકેટના આજનને વેગવંતુ અને હેતુલક્ષી બનાવવા તેઓ ખૂબ જ પ્રયત્નશીલ છે. આટસીલ્ક વણાટ ઉદ્યોગ હિતમાં શહેરના યુવાન વર્ગને ટેકનીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીના પણ તેઓશ્રી ચેરમેન અને એક આદ્ય પ્રણેતા છે. મુંબઈની સાશમીરા, સુરતના વણકરસંઘ, પ્રોડકટીવીટી કાઉન્સીલ તેમજ અનેક સંસ્થાઓની મેનેજીંગ કમીટી પર તેઓ સ્થાન ધરાવી સક્રિય ફાળે આપે છે. ગુજરાત સરકારે તેમજ બીજી વિવિધ સલાહકાર સમિતિના સભ્ય તરીકે શહેરના અનેક પ્રશ્નમાં તેઓશ્રી ઉડે રસ લઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટમાં તેઓ સભ્ય છે બેક ઓફ બરોડા લીમીટેડ, સુરત તથા સુરત પીપલેસ કે. ઓપ. બેંક લી.ની સલાહકાર સમિતિના તેઓ સભ્ય છે. જુનીયર ચેમ્બરના તેઓ સ્થાપક પ્રમુખ હતા. તેમણે ૧૯૬૦માં જાપાનના સીઘેટીક ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીના અભ્યાસાર્થે દૂર પૂર્વના દેશોમાં પ્રવાસ કર્યો હતે. ઉદ્યોગમાં ટેકનીકલ શિક્ષણ અને મેનેજમેન્ટ એમના ખૂબ પ્રિય વિષય છે. દક્ષિણ ગુજરાતના સર્વાગી વિકાસ માટે તેઓ ખૂબ આશાવંત છે અને તે માટે તેઓ સદા કાર્યશીલ રહે છે. શ્રી સુખદેવજી રાજેશ શ્રી સુખદેવજી રાજેરાને જન્મ રાજસ્થાનમાં આવેલા કુચમન રોડ ખ તે સને ૧૯૨૧માં થયે હતા. તેમના માતાનું નામ શ્રીમતિ કૌશલ્યાદેવી અને પિતાનું નામ શ્રી લુણા રામજી છે. સામાન્ય વ્યકિતમાંથી આજે ગણનાપાત્ર વેપારી બન્યા છે. શ્રીમંત હોવા છતાં પહેલાંની સાદાઈ અને ભાવભર્યો વર્તાવ આજ પર્યત તેઓએ જાળવી રાખે છે. શ્રી રાજેરા દસ વર્ષની બાલ્યાવસ્થામાં રાજસ્થાનથી તેમના મોટાભાઈ સાથે અમદાવાદ આવેલા અને પાટી કંતાનને વેપાર શરૂ કરેલો. કિમતે તે ધંધામાં સાથ ન આપે, છતાં હતાશ થાય એ બીજા, શ્રી રાજેરાએ અન્ય ધંધામાં ઝંપલાવ્યું અને તેમની સાહસિક વૃત્તિ તેમજ ગણતરી પૂર્વકના વેપારમાં અગ્રણી બન્યા. ધીરે ધીરે પિતાની કુશળતા તથા સાહસથી તેઓએ લેખંડનો વેપાર ચાલુ કર્યો તેમના પુરુષાર્થને પ્રારબ્ધને સાથ મળે જેથી આજે તેઓ આ ધંધામાં સારું એવું સ્થાન ભેગવે છેતેમની જ્ઞાતિના પ્રમુખપદે આજ પર્યત વર્ષો સુધી રડીને કુરીવાજે નાબુદ કરીને મૃત્યુ ભેજન નાબૂદી, દારૂબંધી વગેરે માટે ઝઝૂમતા રહ્યા છે, એજ રહેલા અનેક ગુણોના સુમેળની સાબિતી પુરી પાડે છે. શુભ અને સમાજ કલ્યાણના કાર્યોમાં તેઓએ અનેક દાને આપ્યા છે. તેમના ગામમાં તેમણે ધર્મશાળા, પુસ્તકાલય વગેરે જેવાં કામમાં ઉદાર હાથ લંબાવીને પિતાના નામને રેશન કર્યું* છે. ભાગ્યમાં મળતી લક્ષ્મી સુમાગે વપરાવી જોઈએ એ મત ધરાવે છે. કાંકરીયા–અહેરામપુરા વિસ્તારમાં રહીને તેમને કેમી તેફાને તથા અન્ય સંકટોમાં પિતાની ઉદારતા બતાવી આપી છે અને મા :વતાની જ્યોત જલાવવા હંમેશા તત્પર રહ્યા છે. શ્રી સુલ્તાન અલી કાસમઅલી લાદીવાલા. ભાવનગરના વતની શ્રી લાદીવાળાએ ઈન્ટર સાયન્સ સુધી જ અભ્યાસ કર્યો પણ પિતાની હૈયા ઉકલત અને કાર્ય કુશળતાને લઈ નાનપણથી જ ધંધામાં પ્રવિણ્યતા મેળ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy