SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ આ સંસ્થામાં પ્રાચીન પદ્ધત્તિથી ચાલતા સંસ્કૃતના વર્ગોમાં અધ્યાપનનું કામ કરે છે. ધર્મ, તત્વજ્ઞાન અને સાહિત્ય પ્રતિ રસ હોઈ સંશોધન લેખ લખવાનું કામ પણ કરે છે. શ્રી જયવંતસિંહ ડી. જાડેજા ધીરગંભીર અને સ્પષ્ટ વકતા શ્રી જાડેજા મૂળ રાજકોટ પાસેના રાજપરાના વતની છે. સુખી અને ગીરાસદાર કુટુંબના નબીરા હોવા છતાં નાનપણથી જ તેમનું જીવન ઘડતર અનોખી રીતે થયું. ભાવનગર લહાણુ વિદ્યાર્થી ભવનના સુર્વણુ મહોત્સવ પ્રસંગે બંને ભાઈઓ તરફથી તેમના પિતા શ્રીગેકુલદાસ નોત્તમદાસ ચાંદારાણુ . સ્મરણાર્થે સંસ્થામાં નામ જોડવાની શરતે રૂા. ૨૫૦૦૦ આપેલ છે. આ ઉપરાંત અન્ય જ્ઞાતિ સંસ્થાઓ-ડ્રેસવાળા છાત્રાલય-ધારી, લેહાણે વિદ્યાર્થી ભવન, ધોલેરાને તેમના પિતાશ્રીનું નામ જોડવાની શરતે સારી એવી રકમ આપેલ છે. જ્યારે મુંબઈની માતુશ્રી કાનબાઈ લેહાણા કન્યાશાળા અને બાલિકાગ્રહમાં પણ નોંધનીય ફાળો આપ્યો છે. શ્રી જયંતીલાલભાઈ ૧૯૬૨ માં ભાવનગર લહાણું બેડિંગના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સ્વાગત પ્રમુખ હતા અને હાલમાં મેંગ્લેર ગુજરાતી મહાજન એસોશીએશનના સલાહકાર છે. શ્રી જયંતિલાલ ભીમજીભાઈ વિઠલાણી સ્વ. પુજ્ય નાનાભાઈ અને શ્રી મનુભાઈ પંચોળીની પાયાની કેળવણીએ તેમને રાષ્ટ્રીય વિચાર ધારાનો રંગ આપે. છેલ્લા ઘણા વર્ષોથી તળાજા તાલુકામાં અને ભાવનગર જિલ્લાના સક્રિય રાજકારણમાં, સહકારી અને રચનાત્મક પ્રવૃત્તિમાં દોઢેક દાયકાથી તાલુકા અને જિલ્લાની જૂદી જૂદી કમિટિઓમાં રહીને કામ આપ્યું છે. સઘનક્ષેત્ર યોજના સમિતિ મણુરના ઉપપ્રમુખ તરીકે ભાવનગર જિલ્લા સહ. બેન્કના ઉપપ્રમુખ તરીકે, ત્રાપજ વિભાગ ગોળ ખાંડસરી સહકારી મંડળી મણારના મેનેજીંગ ડીરેકટર તરીકે જિલ્લાની અને તાલુકાની ખાદી ગ્રામોદ્યોગ અને બુનિયાદી શિક્ષણની યોજનામાં હાથબ બંગલા લેકશાળાના સફળ સંચાલનમાં, જિલ્લા અને તાલુકાની કાંગ્રેસ વકીગ કમિટિમાં તેમજ નાની મોટી અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં કામ કરતા રહ્યા છે. ગ્રામ પ્રદેશમાં લેક જાગૃતિ અને પ્રગતિશીલ ખેતીના નવા અખતરાઓ માટે તેમનું આયોજન અને વ્યવસ્થાશકિત જાણીતા છે. શ્રી જયંતિલાલ ગોકુલદાસ ચંદારાણુ ! “સંપત્તિ વહેતી સારી” ના સૂત્રમાં માનનારા, મેંગ્લરના શ્રી જયંતિભાઈને જન્મ વરતેજમાં ઈ.સ. ૧૯૦પ ના જાન્યુઆરીમાં થયે હતો. પ્રાથમિક કેળવણી લીધા પછી શ્રી જયંતિલાલભાઈ માત્ર તેર વર્ષની વયે તેમના કાકા શ્રી ગીરધરલાલ. નત્તમદાસ સાથે મેંગ્લેર ગયા અને તેમની સાથે કાપડના વ્યાપારમાં જોડાયા ઈ.સ ૧૯૩૮ માં તેઓશ્રીએ તેમના ભાઈ સ્વ. શ્રી વનમાળીદાસભાઈ સાથે “જયંતિલાલ બ્રધર્સ' ના નામથી સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી અને સારી એવી પ્રગતિ સાધી. મુંબઈ ખાતે પણ એજ નામથી ઓફીસ કરી છે. સૌરાષ્ટ્રમાં ચલાલા, લાઠી, ધારી, રાજકોટ અને અમરેલીમાં જેમની પાંચ વ્યાપારી પેઢીઓ ચાલી રહી છે. તે શ્રી જયંતિલાલભાઈએ મેટ્રીક સુધીને અભ્યાસ કરી નાની વયમાંજ વ્યાપારમાં ઝંપલાવ્યું. વિદ્યાભ્યાસ દરમ્યાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પુસ્તકાલય પ્રવૃત્તિનો ભારે શોખ હતું જે આજ સુધી જાળવી શકયા છે. મહેનત અને પ્રમાણિકતાથી ધંધામાં જીવનની શરૂઆત કરી. આ સાહસિકવીર નાની ઉંમરથીજ તેલ, તેલીબીયા, અનાજ તથા કમીશન એજન્ટના ધંધાને અનુભવ મેળવવાને સદ્ભાગી બન્યા, બર્માસેલ મુડીશ ચા, ખાતર વગેરે અન્ય એજન્સીઓમાં મન પરોવ્યું. પિતાને આજે એક પટેલ પંપ છે. ધંધાને કમે ક્રમે ગણના પાત્ર પ્રગતિમાં મૂકતા ગયાં અને બે પૈસા કમાયા. અમરેલીની લહાણુ બેન્કિંગમાં સારી એવી રકમનું દાન કરી તેની સાથે પિતાશ્રીનું નામ જોયું. પિતાના સ્વ. પુત્ર શ્રી દિનકરરાયની સ્મૃતિરૂપે લેહાણ બેડિંગમાં “દિનકરરાય યંતિલાલ વિઠલાણી પુસ્તકાલય” માં સારી એવી રકમ આપી, સાર્વજનિક પુસ્તકાલયની શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં આખું કુટુંબ લાઈફ મેમ્બર તરીકે રહ્યું છે. રાજુલાની લહાણુ મહાજન વાડીમાં પિતાશ્રીને નામે રકમ આપી છે. અમરેલીની લહાણું મહાજનવાડીમાં સેન્ટ્રલ હોલમાં પણ માતુશ્રીના સ્વર્ગવાસ વખતે રકમ આપી છે. બાલમહિલા અને સાર્વજનિક પુસ્તકાલયના પ્રખર હિમાયતી છે. રતનબાઈ સેવક મંડળના દવાખાનામાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ગૌશાળાની કારોબારીમાં રસ લેવા ઉપરાંત પ્રસંગોપાત એગ્ય રકમનું દાન કરતા રહ્યાં છે. હોસ્પીટલમાં પણ તેમનું દાન હોય જ. અમરેલી નાગરિક બેન્કમાં ડાયરેકટર તરીકે પણ છેક શરૂથી આજ સુધી સેવા આપી રહ્યાં છે. ચેમ્બર્સ ઓફ કોમર્સની કારબારીના સભ્ય તરીકે સારું એવું માન-પાન પામ્યા છે. ધાર્મિક વૃત્તિવાળા બંને ભાઈઓએ વરતેજમાં શ્રી ચત્ર. ભૂજ ભગવાનનું નવું શિખરબંધ મંદિર આગેવાનીભર્યો ભાગ લઈ, ચંદારાણા કુટુંબ તરફથી રૂા. ૨૫૦૦૦/- ના ખર્ચે બંધાવી આપેલ છે. જ્યારે મેંગ્લરના શ્રદ્ધાનંદ સેવાશ્રમને રૂ. ૨૫૦૦૦, ની માતબર રકમ આપવા ઉપરાંત સક્રિય સેવા આપે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy