SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ આચાર્યશ્રી એ ગણું અને પન્યાસ પદવીથી વિભૂષીત કર્યા. સં. ચારમાં શાસન સમ્રાટ પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીજીએ હજારોની માનવ મેદનીની હાજરીમાં ઉપાધ્યાય પદથી વિભૂષીત કર્યા. મુંબઈમાં ઉપધાન તપથી માળારોપણના મંગલ અવસરે મુંબઈના સંધની વિનંતીથી ભાયખલામાં સં. ૨૦૦૭નાં પિષવદી ૫ નાં દિવસે ૫૦ હજારની માનવમેદની વચ્ચે ધામધૂમપૂર્વક ગુરૂદેવશ્રી વિજય પ્રતાપ સૂરીજીએ તેમને આચાર્ય પદવીથી વિભૂષીત કર્યા હતા. તેઓશ્રી જ્યારથી મુંબઈ પધાર્યા ત્યારથી ઉપધાન તપની વિશાળ આરાધનાઓ નાનામોટા ભવ્ય ઉજવણાં સાધર્મિક ભક્તિ ફંડ તેમ જ ચેમ્બુર, દહીંસર અને ઘાટકોપર જેવા સ્થાનમાં ભવ્ય આલીશાન તીર્થ ધામ સમા દેવ મંદિરે વિવિધ પ્રતિષ્ઠાઓ લાલબાગની સુંદર ધર્મશાળા, ભોજનશાળા, કલીનીક આ તેઓશ્રીની પ્રેરણાના પ્રતિક છે. સાહિત્ય નિર્માણ અને પ્રકાશન માટે પણ એટલી જ ઝંખના સેવે છે. તેઓશ્રીએ લખેલ ભગવતીસૂત્રના પ્રવચને નવતત્વ પ્રકરણ ઉપર સુમંગલા ટીકા વળી લછુક્ષેત્ર સમાસ, પંચમ કર્મ ગ્રંથ, પ્રશ્નોત્તર મોહનમાળા, શ્રાદ્ધ પ્રતિક્રમણ સુત્ર વગેરે અનેક ગ્રંથોનું સંપાદન કરી પોતાની પ્રૌઢત્વદ્વત્તાનો પરિચય કરાવ્યો છે. સંયમ અને સાધના તપશ્ચર્યા અને પઠન પાઠન જૈન સંઘ અને મધ્યમ વર્ગના ભાઈ બહેનના સમુત્કર્ષ માટેની ઝંખના અને કમપેગ તથા જ્ઞાનયોગના ધારક સાધુ સમાજના જતિર્ધર અને યુગ દષ્ટા જુગ જુગ જીવો. (જન સંસ્કૃતિ કલા કેન્દ્રના સૌજન્યથી) પંજાબ કેસરી, યુગદા, આચાર્યશ્રી વિજયવલ્લભાસૂરિશ્વરજીના પટ્ટપ્રાવક શાન્તસૂતિ આચાર્યશ્રી સમુદ્રસુરિશ્વરજી સં. ૧૯૪૮ના માગશર સુદ ૧૧ મીના એકાદશીના મંગળ દિવસે રાજસ્થાનના પાલીનગરમાં માતાજી ધારીદેવીની કુક્ષે સુખરાજજીનો જન્મ થયો. પિતાશ્રી ઓસવાલ કુલ ભુષણ શ્રી શોભાચંદજી નાગચા મહેતા ગોત્રીથ ધર્મનિષ્ઠ અને સેવાપ્રિય હતા. શ્રી સુખરાજજી માતાપિતાના લાડકા પણ નાનપણથી આચાર્ય ભગવંતોના સુધા ભર્યા પ્રવચનો સાંભળી યુવાન સં. ૧૯૬૭ના સુરતમાં ત્યાગધર્મની દીક્ષા લીધી અને મુનિ સમુદ્રવિજય બન્યા. ગુરૂ ઉપાધ્યાય સહન વિજયજી ક્રાંતિકારી વિચારના પંજાબ માં આત્માનંદ જૈન મહાસભાના પ્રાણપ્રેરક અને પંજાબ કેસરી યુગદ્રષ્ટા પૂજ્ય આચાર્ય શ્રી વિજયવહેલભ સુરિશ્વરજીના અંતેવાસી હતા. ૨૦૦૯માં થાણાનગરમાં ૬૦ હજારની જગી માનવમેદની અને શ્રી ચુનુર્વિધ શ્રી સંધ સમક્ષ પંજાબ કેસરી યુગ દૃષ્ટા પૂ. ગુરૂદેવ આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભ સુરિશ્વરજી મહારાજ સાહેબે તેઓશ્રીને “ આચાર્ય” પદવીથી વિભૂષિત કરી પોતાની પાટ પર સ્થાપના કરતાં ફરમાવ્યું કે “પંજાબકો સંભાવના ” અને આ વચન શિરોધાર્ય કરી પૂ. ગુરૂદેવના સ્વર્ગવાસ સહિત રાજસ્થાનમાં ઉપકાર કરી છ-સાત વર્ષ પંજાબમાં વિસર્યા અને પૂ. ગુરુદેવનો હર્યોભર્યો કર્યો. અને પૂ. ગુરૂદેવના પ્રેરક સંદેશ વાહક તેમજ સમાજ કલ્યાણના પ્રાણપ્રેરક બન્યા છે. એક વખત સરદાર પ્રતાપસિંહજી કેરેની સરકારે હુકમ કર્યો કે વિદ્યાર્થીઓને બળવાન બનાવવા દરેક વિદ્યાથીને બપોરે નાસ્તામાં બે બે ઈંડા આપવા. આ જાણી તેઓશ્રીને દુઃખ થયું અને રથાને સ્થાને ગણિવર શ્રી જનક વિજયજી મ. આદિને સાથે રાખીને જબરજસ્ત વિરોધ કર્યો અને કરાવ્યો. અને છેવટે સફળતા મળી. સરકારે પિતાને હુકમ પાછો ખેંચી લીધે. ૨૦૨૦માં હોંશીયારપુરમાં ચોમાસું કર્યું ત્યારે સ્થાનકવાસી જૈન સમાજ શ્રી સંધ તરફથી સંચાલિત પંચકુલા જૈન ગુરૂકુળની નજીકમાં સરકારે જબરજસ્ત કસાઈબાનું બોલવાનું નકકી કર્યું. આ વાત ગુરૂકુળના ર્યકર્તાઓએ કરી ત્યારે સરકારે સામે વિરોધ કરી સરકારનો નિર્ણય બંધ રખાવ્યો અને કસાઈખાનું થતું બંધ થયું. ઘણાએને માંસ, દારૂ, પરસ્ત્રી ગમન આદિ કુવ્યસનને ત્યાગ કરાવ્યો છે. અને માતા-પુત્ર સાસુ-વહુ આદિ કૌટુંબીક ઝગ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy