SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો પૌરાણિક વારસો અને इतिहास पुराणाभ्यां वेद समुपबृंहयते । ઇતિહાસ અને પુરાણના અભ્યાસ પછીજ વેદનું અધ્યયન કરવુ જોઇએ. ભારતીય સંસ્કૃતિમાં અને ધાર્મિક બન્ને દૃષ્ટિએ વેદનુ મહત્વ અપાર છે. વેદ અને વૈદિક સંહિતાઓ વિશે ઘણું ઘણું કહેવામાં આવ્યું છે. પાશ્ચાત્ય અને પાર્ઘાત્ય બન્ને પ્રકારના વિધાનો વેદની મહત્તા સ્વિકારે છે અને ભારતીય પરંપરા । વેદને અપેારૂપેય માનીને તેને ઇશ્વર પ્રણીત અથવા ઇશ્વર સ્વરૂપ-શબ્દ બ્રહ્મ તરીકેજ સ્વીકારે છે. આને કારણેજ હજાર વર્ષથી વેદનુ અસ્તિત્વ તેના મૂળ સ્વરૂપમાં સચવાઇ રહ્યું છે. વેને સાચવવા માટે અનેક પ્રકારની ધાર્મિક માન્યતાએ જોડી દેવામાં આવેલી છે. અને સાથે સાથે તેના મૂળ સ્વરૂપમાં સચવાઈ રહે એ માટે જુદા જુદા પ્રકારના પાઠ જેવા કે સંહિતા પદ, ક્રમ, દાન, જટા, માલા, શિખા, રેખા, ધ્વજદંડ વગેરે પાઠની યોજના કરવામાં આવેલી છે. આથી વેદના મંત્રીનું અસલ સ્વરૂપ જળવાઈ રહે. આમ વેદનુ મહત્વ બધીજ રીતે સ્વિકાયુ હોવા છતાં પુરાણને કેટલીકવાર વેદ કરતાં પણ આગળ મુકવામાં આવેલ છે તેનું કારણ તેમાં આવેલ અથઘટનની પધ્ધત્તિ અને લેક ભાગ્યતા જોવા મળે છે. તે છે. ભલે વેદ પ્રથમ સ્થાને હાય છતાં પુરાણુનું મહત્વ તેના કરતાં વધારે છે. કારણ વેદની વિગતો સમજવા માટે પુરાણ ઉપર આધાર રાખવા પડે છે. વેદની ભાષા, વેદમાં આવતા કથાનકો કેટલીકવાર સામાન્ય બુધ્ધિવાળા અને કેટલીકવાર વિદ્વાનોના મનમાં પણ ગેરસમજૂતી ઉભી કરે છે અને એવા પ્રસગે પુરાણા મદદરૂપ બને છે. કારણ જે વસ્તુ-વાર્તા કે કથા વેદમાં રૂપકાત્મક રીતે અને બહુજ સક્ષિપ્ત સ્વરૂપમાં આવેલી હેાય છે જ્યારે પુરાણામાં આજ વસ્તુ-વાર્તાને લઇને વિસ્તારથી કથા ગૂંથવામા આવેલી હાય છે. આમ વેદને સમજવા માટે પુરાણુ જરૂરી બને છે. અને તેથી વેદ કરતાં પુરાણનું મહત્વ વિશેષ છે. પુરાણુ શબ્દના સામાન્ય અર્થ વિચારવામાં આવે તે પુરાણ એટલે પ્રાચીન એવા અર્થ થાય. કેટલાક વ્યાકરણ વિષચક્ર ગ્રંથામાં આપણને પુરાણુ શબ્દની વ્યુત્પત્તિ મળે છે જેમકે Jain Education Intemational પુરાણોમાં એશિયા શ્રી અન’તરાય જ, રાવળ સંસ્કૃતના મહાન વ્યાકરણકાર પાણિનિ પેાતાના ગ્રન્થ અષ્ટાધ્યાયીમાં પુરાભવ’” ઈતિ “પુરણામ્” અર્થાત પ્રાચીન કાળમાં થયેલ એવા અર્થમાં પુરાણુ શબ્દને સમજાવે છે. જ્યારે નિરૂકતના કર્તા શ્રી યાક પુરા નવ મતિ અર્થાત જે પ્રાંચીન હોવા છતાં નવુ છે એવા અં થાય છે. વાયુ પુરાણું ૧/૨૦૩માં પુરા અતિ અર્થાત્ જે પ્રાચીન કાળમાં હતું તે પુરાણુ એવે અથ આપે છે. જ્યારે બ્રહ્મપુરાણ ૧,૧, ૧૭૩માં પુરા પત્ મૂક્ અર્થાત પ્રાચીન કાળમાં આમ થયું એવા અ જણાવે છે. આ ઉપરની અધીજ વ્યુત્પત્તિ અથવા અર્થ આપવાની પરિસ્થિતિના વિચાર કરીએ તે એક વસ્તુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે પુરાણના મુખ્ય વિષય પ્રાચીન સમય સાથે સંબંધ હતા પ્રાચીન સમયમાં પુરાણુ અને ઇતિહાસ એક બીજા સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા હતા કે બન્નેને અલગ પાડવા અશકય હતા. એટલુ જ નહીં પરંતુ બન્નેના નામ સાથે જ ઉપયોગમાં આવતા આથી આ ઇતિહાસ અને પુરાણ કેને કહેવા એ વિષે સ્પષ્ટ મતવ્ય પ્રાચીન ગ્રંથામાં મળતુ નથી. મહાભારત જે સામાન્ય રીતે ઈ તિહાસ ગણાય છે તે પણ પેાતાને માટે પુરાણુ શબ્દના પ્રયોગ કરે છે (આદિ ૧/૧૭) જ્યારે બીજી તરફ વાયુ પુરાણુ જે પુરાણુ છે છતાં પેાતાને ઇતિહાસ ગણાવે છે. (વાયુ ૧૦૩,૪૮,૫૧) આમ એમ કહી સકાય કે પ્રાચીન સમયમાં પુરાણુ અને ઈતિહાસ વિશેની માન્યતા એક બીજા સાથે ભળી ગયેલ બન્નેને જુદા પાડવા અશકય હતા. પરંતુ સમય જતાં તેમના ભેદ નિશ્ચિત કરવામાં આવ્યા શકરાચાર્યે પેાતાના છાંદીચ્ય ઉપનિષદ્ ૭/૧ ઉપરના ભાષ્યમાં આ બન્ને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યાં છે. તેમના મતે વેદમાં ઇતિહાસ અને પુરાણુ બન્ને છે. તેમના મત પ્રમાણે જ્યાં પ્રાચીન આખ્યાયિકાએ તયા આખ્યાનો આપેલા છે તે ઈતિહાસના ભાગ છે જ્યારે જ્યાં સૃષ્ટિ પ્રક્રિયાનું વર્ણન છે તે પુરાણનો ભાગ છે. આ ઉપરોકત વ્યાખ્યા અથવા સમજૂતી આપણને શ'કરાચા આપે છે જે ઈ. સ. ની ૭મી સદીમાં થયા કે જ્યારે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy