SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1036
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૧ મૃતિ સંદર્ભ ગ્રંથ રાજપૂત સમાજની બેડ"ગમાં યથા શક્તિ ફાળો આપે છે. પાલીતાણુ ગરાસદાર રાજપૂત સમાજના સેક્રેટરી તરીકે ૧૯ વર્ષથી કામગીરી કરે છે. પાલીતાણ ગારીયાધાર રજપૂત સમાજના પ્રમુખ તરીકે અત્યારે ચાલુ છે. તાલુકા પંચાયતમાં સહકારી સમિતિના ચેરમેન તરીકે તથા બીજી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ભારતના ઘણા સ્થળની મુલાકાત પણ લીધી છે. શ્રી ભુપતરાય રામજીભાઈ પિતાશ્રી રામજીભાઈ ધનજીભાઈ ના નામની વ્યાપારી પેઢીમાંથી એકાદ વર્ષ પહેલા જ જૂદા પડી ભાવનગર મીકેનકલ વર્કસના નામે સ્વતંત્ર સાહસ કરનાર–આડત્રીશ વર્ષના યુવાન શ્રી ભુપતભાઈ મિસ્ત્રી ભાવનગરના વતની છે. મેટ્રીક સુધીને તેમને અભ્યાસ પણ ઔદ્યોગિક માર્ગદર્શન નાનપણથી જ પિતાશ્રી પાસેથી મેળવ્યું હતું એટલે ટૂંકા સમયમાં જ ધંધાની પ્રગતિનું બળ મળ્યું. સેલવન્ટ પ્લાન્ટ, એઈલ રીફાઈનરી કેમીકલ ઈન્ક્રમેન્ટ વગેરે બનાવે છે જેની સૌરાષ્ટ્રમાં સારી એવી ડીમાન્ડ છે અને હજી પણ નજીકના ભવિષ્યમાં ખેતીવાડીમાં ઉપયોગી બની રહે તેવા અદ્યતન સાધને ઉભા કરવાનું આયેાજન કરી રહ્યાં છે. ગુજરાત અને બહારના ઘણુ સ્થળેની તેમણે મુલાકાત પણ લીધી છે. ધંધાને વિકસાવવામાં તેમને પિતાને વિશેષ રસ છે. શ્રી મોહનભાઈ ધરમશીભાઈ પટેલ સતત છેલ્લા બાવીસ વર્ષથી ગારીયાધાર પંચાયતના સરપંચપદે કામ કરી રહેલા શ્રી મેહનભાઈ પટેલ પોતાના ખેતીના વ્યવસાયની સાથે તાલુકાના જાહેર જીવન સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. ગાંધીવાદી અગ્રણી સ્વ. શ્રી શંભુશંકર ત્રિવેદીની પ્રેરણાએ જાહેરજીવન તરફ વિશેષ મમત્વ ઉભું થયું. સત્યાગ્રહો અને વખતે વખતની લેક લડતમાં મેખરે રહ્યાં. ૧૯૫૨ માં સૌરાષ્ટ્ર રાજ્યના અસ્તિત્વ દરમ્યાન ધારાસભ્ય તરીકેની કામગીરી ઉપરાંત આજસુધી સહકારી ક્ષેત્રે પણ જૂદી જૂદી સંસ્થાઓમાં તેમનું માર્ગદર્શન શિક્ષણ સંસ્થાઓમાં પણ એટલું જ ઉંડે રસ પંચાયત દ્વારા અનેક વિધ પ્રવૃત્તિઓનું આયોજન અને તેના અમલમાં સતત જાગૃતિ બતાવી છે. તેમની સેવાઓ ધ્યાનમાં લઈને સરકારે તેમને જે. પી. નું બીરુદ આપ્યું છે. શ્રી રામસિંહભાઈ સારાભાઈ ગોહિલ વરતેજના વતની છે. ભાવનગર ગરાસદાર સમાજના અગ્રણી છે. સામાજિક અને સહકારી ક્ષેત્રે ઘણા વર્ષોથી કામ કરી રહ્યાં છે. જેમાં સૌને વિશ્વાસમાં લઈને કામ કરવાની તેમની અનેખી આવડત છે. ભારતના ઘણા સ્થળની મુલાકાત લીધી છે. જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકકળાયેલા છે. જેવી કે ભાવનગર જિ, હ. બેન્ક ભાવનગર તા. સહ, સંધ, જિલ્લા પંચાયત, ગરાસીયા સમાજ, વરતેજ સેવા સમાજ ભાવનગર રાજપૂત પાઈફંડ વગેરે કેળવણીની દિશામાં પણ તેમના સારા પ્રયત્નો રહ્યાં છે. શિક્ષણના હેતુ માટે કેટલીક સંસ્થાઓમાં યોગ્ય રકમ પણ આપી છે. પંચાચત અને સહકારી ક્ષેત્રે તેમના એક સાથીદાર શ્રી સરતાનજી આણંદસિંહ ગોહિલ પણ ઘણા વર્ષોથી કામ કરી રહ્યાં છે. ગ્રામપંચાયતની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લે છે. બાંધકામ અને આરોગ્ય કમિટિના ચેરમેન તરીકે પણ શ્રી સરતાનજીભાઈ કામગીરી કરી રહ્યાં છે. મુનિશ્રી વિદ્યાનંદજી ભારતના સાંસ્કૃતિક ઉત્થાનમાં ઋષિ મુનિઓનું મેટું ગદાન રહેલું છે. મુનિશ્રીને જન્મ મૈસુર પ્રાંતના ગામ શેડવાલ તાલુકા બેલગામમાં ૨૨ એપ્રિલ ૧૯૨૫માં થયે. માતૃભાષા કન્નડ અને શિક્ષણ મરાઠી માધ્યમથી હતું. બ્રાહાણ કુળમાં ઉત્પન્ન તેમના પિતાશ્રી કાલા ઉપાધ્યાય જૈન ધર્મના કટ્ટર અનુયાયી હતા. મુનિશ્રીએ બેલગામની નજીક જૈન ગુરૂકુળમાં શિક્ષણ મેળવ્યું. અધ્યયન અને અધ્યાપનની વિશેષ રૂચિ હોવાને કારણે તેઓ પિતાનું આખું જીવન મનન અને ચિંતનમાં લગાડીને આગળ વધતા ગયા. બાલ્યાવસ્થા પૂર્ણ કરીને યુવાન થતાં વિવાહને વિચાર ત્યાગ કરી પૂર્ણ વૈરાગી બની ગયો મુનિ થયા પહેલાં તેમણે જુદા જુદા સ્થાનનાં જૈન ગ્રંથ ભંડાર તથા વૈદિક વાડમય, જ્ઞાનની બહુવિધ શાખાઓમાં ઉંડો અભ્યાસ કર્યો. કન્નડ ભાષાને ગ્રંથ પમ્પ રામાયણમાં ભગવાન રામનું જીવન ચરિત્ર વાંચી તેમનાં મન ઉપર વિશેષ પ્રભાવ પડ્યું. શરૂઆતનું જીવન અનેક રાજનૈતિક પ્રવૃત્તિઓથી યુક્ત રહ્યું છે. તેઓ ખાદી અને સ્વદેશી વસ્તુ એને જ પ્રવેગ કરતા હતા. શરૂઆતના જીવનમાં તેઓએ મહાત્મા ગાંધીનું રાષ્ટ્રીય આંદોલનમાં પણ સાથ દીધે. તેમણે ભારતની અનેક ભાષાઓને અભ્યાસ કર્યો. તેઓ ડિદિના પ્રબળ સ મ મેં ક છે. મુનિશ્રીનું જીવન કઠોર તપસ્યામય જીવન છે, વીસ કલાકમાં તેઓ ફકત એકજવાર અંતરાય વિહીન ખેરાક લે છે. કમંડળ અને પીંછી પિતે ગ્રહણ કરતા નથી. તૃણશૈયા પર પિતે શયન કરે છે. તેઓ કોઈ પ્રકારના વાહનને ઉપયોગ કરતા નથી કેવળ પગે ચાલીને મુસાફરી કરે છે. શેઠ સાકાર અથવા ઉદ્યોગપતિ જ નહિં પરંતુ તેમને પોતાના તરફ ખેંચવા વાળામાં સર્વ સાધારણ માણસે અને સામાજિક કાર્યકર્તાઓ તથા બુદ્ધિજીવીઓ પણ છે. શ્રી વરસુતભાઈ મહેતા લક્ષમી અને સત્તા નેજ જીવનનું સારસર્વસ્વ ગણવાના વર્તમાન અર્થદાસત્વના પ્રબળ પ્રવાહ વચ્ચે જૂનાં નીવડેલા જીવન મૂલ્યને વળગી રહી તેના જતન અર્થે પોતે જેને પિતાનું જીવન કાર્ય માન્યું છે. તેમાં સતત લગની પૂર્વક લાગી રહેવું એ ધીંગી આદર્શ નિષ્ઠા અને ઉમદા ચારિત્ર્યનું એક વિરલ પણ ઓજસ્વી ઉદાહરણ છે. આજે ૬૬ વર્ષની વયે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy