________________
૧૦૨૫
વ્યાપાર ધંધામાં ઝંપલાવ્યું તેમાં તેઓશ્રીએ ઉત્તરોત્તર પ્રગતિ સાધી– અને હરહમેશા પિતાનું કાર્યક્ષેત્ર વિસ્તૃત કરતા રહી. પિતાની કર્મ શક્તિને લાભ જુદા જુદા ક્ષેત્રમાં આપે છે. સતત પરિશ્રમ અને કુશળતાથી તેમણે થોડા જ સમયમાં ધંધાને વિકાસ કર્યો. પોતાની કાર્યશક્તિને ઉપયોગ માત્ર અર્થોપાર્જન માટે જ કરેલ નથી. વ્યાપારી ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે તેઓશ્રી જોડાયેલા હતા સાર્વજનિક સંસ્થાઓમાં નાની મોટી રકમો અનેક વખત દાનમાં આપવા ઉપરાંત તેઓશ્રીએ પાલીતાણુની કેટલીક ધાર્મિક જગ્યાઓમાં પણ સારે એ ફાળે આપેલે છે. તા. ૧૦-૭-૭૦ ના તેઓ સ્વર્ગવાસી બન્યા. ઉદાર ચરિત-ધર્મનિષ્ઠ અને વ્યવહાર કુશળતાની સુંદર સુવાસ જેને અને જૈનેત્તર સમાજમાં મુકતા ગયા. એ વારસે તેમના સુપુત્રએ પણ જાળવી રાખે છે.
શ્રી રમણભાઈ ભાઈલાલભાઈ અમીન,
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ છે. શ્રી ભાઈલાલભાઈ મોહનભાઈ બાવીશી
ચૂડા (ઝાલાવાડ)ના વતની અને હાલ ઘણું વર્ષોથી પાલીતાણામાં તબીબી ક્ષેત્રે પોતાના વ્યવસાય ઉપરાંત પાલીતાણુ મેડીકલ એસોસીએશનના પ્રમુખ છે. ઓલ ઇન્ડિયા મેડીકલ એસોસીએશનના વર્ષોથી સભ્ય છે અને સૌરાષ્ટ્ર કાઉન્સીલના સભ્ય છે. ઉપરાંત સામાજિક ધાર્મિક શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે શક્ય સેવાઓ આપવા હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. શ્રી અખિલ ભારતીય જૈન વેતામ્બર કોન્ફરન્સની મહાસમિતિ અને કારોબારીના ચુંટાયેલ સભ્ય છે. પ્રસ્તુત કોન્ફરન્સના ગોહિલવાડ વિભાગના પ્રતિનિધિ છે. “પૂના જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ”ની ઓલ ઇન્ડિયા કારોબારીના સભ્ય છે. શ્રી શખેશ્વર પાર્શ્વનાથની પેઢી મુંબઈ સંચાલિત શ્રી નવપદ આરાધક મંડળ પાલીતાણાના પ્રમુખ છે. પાલીતાણા તાલુકા શાળા માટેની “શાળા સમિતિના પ્રમુખ છે. “ધી એડ બોયઝ યુનિયન” મહાવીર જૈન વિદ્યાયલ મુંબઈ, લીંમડી જૈન બોર્ડિંગ, બોટાદ યુ. કે. જૈન બોર્ડિંગ, આત્માનંદ જૈન સભા ભાવનગર, પૂના તત્વજ્ઞાન વિદ્યાપીઠ, ગુલાબ બાલ માસિક ગારીયાધાર આદિ સંસ્થાઓના આજીવન સભ્ય છે. સાહિત્ય ક્ષેત્રે જૈન એ ખ બા રે મા સિ કે ખાસ કરી ને
જૈન મેઈક સેવા સમાજ “સુષા” “આત્માનંદ પ્રકાશ” “ગુલાબ” વગેરેમાં ખાસ માગણીથી વિશેષાંકમાં લેખે વાર્તાઓ-કાવ્ય વગેરે લખે છે. ભૂતકાળમાં અન્ય જૂદા જૂદા શ્રેત્રે જૈન ગુરૂકુળ સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ જિનદત્તસૂરિ, બ્રહ્મચર્યાશ્રમ મેઢ બ્રાહ્મણ બેડિંગ આદિમાં પ્રમુખ-મંત્રી તરીકે સેવાઓ આપી છે. પાલીતાણા તાલુકા કેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે મંડળ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી છે. પાલીતાણુ હોમગાર્ડઝના લેકલ કમાન્ડર તરીકે કાર્યવાહી કરી છે. પ્રાથમિક સારવારના વર્ગો અને તાલીમ શિબિરો ચલાવેલ છે. ઓલ ઈન્ડિયા જૈન - તામ્બર કોન્ફરન્સનું બાવીશમું અધિવેશન પાલીતાણામાં ભરાયું ત્યારે તેના સ્વાગતમંત્રી તરીકે યશસ્વી કામ કર્યું. મણિમહોત્સવ ટ્રસ્ટ તરફથી સન્માન પામ્યા છે. સી. એમ. વિદ્યા લયમાં વિજ્ઞાન વિભાગનું ઉદ્ઘાટન તેમના હાથે થયું. શંખેશ્વર પાર્શ્વનાથ પેઢી તરફથી પાલીતાણામાં થતાં શ્રી કેસરીયાજી વીર પરંપરા મંદિરના ભેજનાલયનું ખાત મુહર્ત સમારંભ પૂર્વક કર્યું. જૈન સમાજના તમામ સમારંભેમાં તેમની કાવ્ય પ્રસાદી મળતી રહી છે,
પશ્ચિમ ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાં જેઓનું આગળ પડતું સ્થાન છે. તેમાં શ્રી રમણભાઈ બી. અમીનને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય, ૧૯૧૩ ના મે માસની ૧૯મી તારીખે વડેદરા મુકામે તેમને જન્મ થયો. બચપણ થીજ શ્રી રમણભાઈએ પોતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાના દર્શન કરાવ્યા. તેમના પિતા સ્વ. રાજમિત્ર ભાઈલાલભાઈ ડી. અમીન કે જેઓ ૧૯૦૭ માં સ્થપાયેલ એલેમ્બિક કેમીકલ વર્કસના મુખ્ય આયેજક હતા. શ્રી રમણભાઈ એ ભારતમાં શિક્ષણ પૂરૂ કરીને મીકેનીકલ એજીનીયરીંગના અભ્યાસ માટે જર્મની તરફ પ્રયાણ કર્યું. અને ત્યાં ચારેક વર્ષ ટેકની. કલ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૩૪માં દેશમાં પાછા આવી ધંધા પ્રત્યેની તેમની આગવી સૂઝ સમજ અને આવડતને બળે વડોદરાના સુપ્રસિદ્ધ એલેમ્બિક કેમીકલ વર્કસમાં જવાબદારીભર્યું સ્થાન સ્વીકાર્યું, નવા મશીનોની શોધ, કેમીકલ ગ્લાસ ફેકટરીમાં નવું આયોજન અને નવી દષ્ટિને પરિણામે અવનવા પ્રયોગો કરતા રહ્યાં. અને તેમનું વાસ્તવિક મંડાણ અનેકેને પ્રેરણાદાઈ બન્યું. ધંધાના વધુ વિકાસ અર્થે ૧૯૩૭ માં જાપાન અને ૧૯૩૯ માં યુરોપ અને અમેરિકા જઈ ત્યાંને કારખાનામાં થતા ઉત્પાદન વેચાણ વગેરે બાબતેને પણ અભ્યાસ કર્યો. માનવજીવન માટે અનિવાર્ય એવા પેનીસીલીન’નું સંપૂર્ણ ભારતીય ઢબે બનાવવાનું માન એલેમ્બિકને ફાળે જાત્ર છે. બરડા અને ગુરાતમાં ઉદ્યોગોના મૂળ ઉંડા નાખવામાં તેમની વિચક્ષણ બુદ્ધિ શક્તિએ કામ કર્યું છે. વડોદરામાં આવેલા ગ્લાસ મેઈકીંગ પ્લાન્ટ એશિયા ભરમાં સૌથી મોટો છે. દક્ષિણ ભારતની માંગ વધતા બેંગલેરમાં પણ આ ઉદ્યોગના મંડાણ કર્યા છે. વિકાસ પ્રગતિ અને વિશિષ્ટ ઉદ્યોગના સંચાલનમાં સતત કાર્યશીલ અને મિક્સ હોવા છતાં અનેક સંસ્થાઓના પ્રેરણાદાતા બન્યા છે. સામાજિક
સ્વ. શ્રી મનસુખલાલ ઓઘડભાઈ શાહ
ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના દેવચરાડી ગામમાં સંસ્કારી જૈન પરિવારમાં તેમનો જન્મ થયે. ધાર્મિક સહિ ગુતા, ઉદારતા વગેરે સગુણે તેમને વારસામાં મળ્યા–ઘણા વર્ષોથી વ્યાપાર ધંધાર્થે મુંબઈમાં વસવાટ કર્યો. નાની ઉંમરમાં
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org