SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ( “ભારતીય અસ્મિતા-ગ્રંથ શેઠશ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ જે બહુધા શ્રી બકુભાઇના નામથી જાણીતા છે. તેમને જન્મ અમદાવાદમાં સને ૧૯૧૮માં થયે હતો. મેટ્રીક સુધી અભ્યાસ કરી પિતાના પગલે ચાલી તેમણે કાપડ ઉદ્યોગમાં ઝુકાવ્યું અને તેને ભાવનગરની મહાલક્ષ્મી મીલના ડીરેકટર અને જનરલ મેનેજર તરિકે નિમાયા. ૧૯૩૭ની સાલમાં કાપડ ઉદ્યોગના અભ્યાસ માટે જાપાનનો પ્રવાસ ખેડશે. ૧૯૪૦માં ભાવનગરમાં માસ્ટર સિટક મિલ્સની સ્થાપના થઈ તેના મેનેજીંગ ડીરેકટર તરીકે નીમાયા અને તેમની રાહબરી નીચે માસ્ટર સિક મીલે અપ્રતિમ પ્રગતિ સાધી છે. ભાવનગરની સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક છે પ્રવૃત્તિઓમાં શ્રી બકુભાઈને હિસ્સો નાને સને નથી. ભારત સેવક સમાજના ભાવનગર જિલ્લાના સંયોજક તરીકે એમણે ૧૯૫૪ થી ૧૯૬૫ સુધી લાગલગાટ સેવા આપી અને ભારત સેવક સમાજની પ્રવૃત્તિઓ વિકસાવી. મ્યુનિસિપાલીટી સુધરાઈની ૧૯૬૩ની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિથી ચુંટાઇ આવ્યા હતા અને નાગરિક જીવનમાં પણ આગળ પડતો ભાગ લીધો હતો. *:*BESKRB*8BBETTERSS&GREEB: સંગીત મંડળના તથા અભિનવ સંગીત કળા મંડળના પ્રમુખ તરીકે સંગીતની પ્રવૃત્તિઓમાં તેઓ આગળ પડતો શેઠશ્રી બકુભાઈ ભોગીલાલ શાહ ભાગ લે છે. વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ એમને કાળે મોટો છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કૅમસના પ્રમુખ તરીકે એમની સેવા ચેમ્બસને ધણી ઉપયોગી થઈ છે. ઓલ ઈન્ડિયા મેન્યુફેકચર્સ એસોસીએશનના સૌરાષ્ટ્ર રીનલ બર્ડના પ્રમુખ તરીકેની પણ એમની સેવા ઘણી ઉપયોગી બની છે. પર ડર, કોકો ની રે શ્રી ભોગીલાલ મગનલાલ વાણીજન્ય વિદ્યામંદિર ટ્રસ્ટ અને શ્રી ભોગીલાલ મગનલાલ એજ્યુકેશન સોસાયટી દ્વારા કેળવણી વિશ્યક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને બાળમંદિરથી માંડી એસ. એસ. સી. સુધીની કેળવણી શ્રી ભોગીલાલ મગનલાલ કોમર્સ હાઈસ્કૂલમાં અપાઈ રહી છે. - તેઓશ્રી દ્યોગિક ક્ષેત્રે આઠ જેટલી લીમીટેડ કંપનીઓમાં ડીરેકટર તરીકે છે. લેક શિક્ષણ ટ્રસ્ટ, ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટ, શ્રી જૈન બાલ વિદ્યાર્થી ભવન, શ્રી તાલધ્વજ જેને વિધાથી પહ, શ્રી તાલધ્વજ જૈન શ્વેતાંબર તીર્ય કમીટી વગેરે સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે છે. આ ઉપરાંત ધણી જાહેર સંસ્થાઓમાં તેઓ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટી તથા વેજ બર્ડ ફોર સિલ્ક ઇન્ડસ્ટ્રી - વગેરેમાં તેઓ સભ્ય છે અને સેવા આપી રહ્યા છે. શ્રી અચલ ભારતીય તત્ત્વ દર્શનના આશ્રયદાતા મુરખી છે. એમની ધર્મ ભાવના જાણીતી છે. જયાં જ્યાં લોકહિતનાં ધાર્મિક કામો થતાં હોય ત્યાં તેઓ યથાશક્તિ સહાય આપવાનું પોતાનું કર્તવ્ય સમજે છે એટલું જ નહિ પરંતુ સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં પણ એમણે આજ સુધીમાં અસાધારણ ફાળો આપ્યો છે. ઉગતા લેખકોને અને કવિઓને પ્રોત્સાહન આપ્યું છે અને હજી પણ એમનો એ પ્રવાહ ચાલું છે. | ગુજરાત સરકારે શ્રી બકુભાઇની સેવાઓને લક્ષમાં લઈ ઓનરરી મેજીસ્ટ્રેટ (જે. પી.) બનાવ્યા છે. તો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy