________________
૩૯૪
એ સૂરિજી ગઈ કાલે જીવંત હતા. આજે અક્ષરદેહે જાગૃત છે ને આવતી કાલે તેઓ ચિરંજીવ છે.
આવા ચિરંજીવ સાધુપુરુષનો જન્મ સં. ૧૯૩૩ના પોષ સુદી ૧૫ના દિવસે તીર્થાધિરાજની છત્રછાયામાં પાલિતાણા ખાતે થયો હતો. તેઓનું વતન કાઠિયાવાડમાં બોટાદ પાસેનું પાળિયાદ ગામ હતું. તેમના પિતાનું નામ માધવજીભાઈ નાગજીભાઈ હતું ને માતાનું નામ પાનબાઈ હતું. જેમનાં પગલાંથી ભાગ્યોદય થવાથી, તે લક્ષ્મીરૂપમાં પલટાઈ ગયું હતું. તેઓ જ્ઞાતિએ વિસાશ્રીમાળી અને ધંધે વેપારી હતા. માતાપિતા ધર્મના પૂરા પ્રેમી હતા. એવા માતાપિતાને ત્યાં બાળક કેશવજીનો જન્મ થયો. તેમનું મોસાળ પાલિતાણા હતું. તેણે ત્રણ ચોપડી સુધી અહીં અભ્યાસ કર્યો. સં. ૧૯૪૦માં બધું કુટુંબ વઢવાણ કેમ્પમાં રહેવા આવ્યું. અહીં કેશવજીનો છ ચોપડી સુધીનો અભ્યાસ થયો, પણ તેટલામાં કાળનું ચક્ર આવ્યું અને માતાપિતાનો ત્રણ-ત્રણ દિવસના અંતરે સ્વર્ગવાસ થયો. કેશવજીનું હૃદય સંસારથી ઘવાયું ને વૈરાગ્ય ભાવના પ્રબળ બની.
આ વખતે તેમને વડોદરા ખાતે શ્રી વિજયકમલસૂરીશ્વરજીનો મેળાપ થયો અને સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦ના દિવસે તેમની પાસે જ દીક્ષા લીધી. ગુરુજીએ તેમનું નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. શ્રી કેશરવિજયજીએ એક સમર્થ ગુરુનું શરણું સ્વીકાર્યું હતું. તેમની પાસે વડોદરા અને સુરતમાં રહીને તેમણે ખૂબ અભ્યાસ કર્યો. જ્ઞાન વિશાળ થતું ગયું. તેવામાં તેમનું મન યોગ તરફ દોરાયું અને જીવનભર યોગપ્રાપ્તિ માટે ગમે તેવાં સંકટો સહેવામાં તેમણે મઝા માણી છે. અનેક ચમત્કારો તે દ્વારા તેમને પ્રાપ્ત થયેલા કહેવાય છે. ઓમકારનો જાપ તો પોતે કરોડોવાર કરેલો ને જે મળે તેને તે કરવા ઉપદેશ આપેલો.
સં. ૧૯૬૩માં સુરતમાં તેમને ગણિ પદવી અપાઈ અને સં. ૧૯૬૪માં પંન્યાસ પદવીનો ઉત્સવ થયો. આ પછી અચાનક ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં, તેમ જ ગુરુદેવની ઇચ્છા મુજબ પાછળનો બધો ભાર તેમને સોંપાતાં કાર્યભાર વધ્યો. રાજયોગ જાણવાની ઇચ્છા અહીં દબાઈ ગઈ. પોતાના સમુદાયનું બંધારણ કરવા તેમણે વઢવાણ કેમ્પમાં સાધુસંમેલન ભર્યું. આ પછી ઘણી દીક્ષાઓ તેમને હસ્તે થઈ. તેમની વિદ્વતા અને યોગીપણાની ખ્યાતિ બધે પ્રસરી વળી હતી. ધરમપુર સ્ટેટ તથા બીજા રાજાઓ તેમના ભક્તો બન્યા હતા. પારસી, મુસલમાન, ઘાંચી, મોચી તો તેમને પોતાના જ હિતૈષી ગણતા.
Jain Education International
વિશ્વ અજાયબી :
તેમના ગુણોથી આકર્ષાઈ તથા સ્વર્ગસ્થ સૂરિજીની ઇચ્છાને માન આપી સં. ૧૯૮૩ના કારતક વદી ૬ના રોજ તેમને આચાર્ય પદવી ભાવનગરમાં અપાઈ. આ પ્રસંગે ખૂબ મહોત્સવ, માનપત્રો તેમ જ લખાણો થયાં હતાં. આ વખતે તેમની સાહિત્ય
લેખન-પ્રવૃત્તિ ચાલુ હતી ને તેમના ગ્રંથો જૈન જૈનેતર સમાજમાં સારો આદર પામ્યા હતા. તેમણે લગભગ ૨૦ ઉપરાંત પુસ્તકો નીતિ, ધર્મ, સ્થાનક ને યોગને અંગે લખ્યાં છે.
વિ. સં. ૧૯૮૫નું વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ તારંગાજી ગયા. અહીં ગુફામાં ધ્યાન અવસ્થામાં બેસતાં શરદીએ ભયંકર હુમલો કર્યો, હૃદયમાં દર્દ પેદા થયું ને આ દર્દો છેવટે પ્રાણ લીધા. ઉપચાર કરવા અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં તે ચાતુર્માસમાં શ્રાવણ વદી પાંચમે તો સૂરિજીએ તમામ ત્યાગ કરી ઓમકારનો જાપ શરૂ કર્યો અને જીવનની છેલ્લી ક્ષણે પણ ઓમકાર. શોકની અમાવસ્યા છવાઈ ગઈ, છતાં તેમની પવિત્રતાની પૂર્ણિમા તો આજે પણ સદોદિત છે. જૈનશાસનના જ્યોતિર્ધર, સુવિશાળગચ્છાધિપતિ,
સમર્થ- પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જન્મ : વિ.સં. ૧૯૫૨, ફાગણ વદ ૪, દહેવાણ.
વતન : પાદરા (જિ. વડોદરા). દીક્ષા : સં. ૧૯૬૯, પોષ વદ ૧૩, ગંધારતીર્થ. ગણિ-પંન્યાસ પદ : સં. ૧૯૮૭, કારતક વદ ૩, (મુંબઈ).
ઉપાધ્યાય પદ : સં. ૧૯૯૧, ચૈત્ર સુદ ૧૪, રાધનપુર.
આચાર્ય પદ : સં. ૧૯૯૨, વૈશાખ સુદ ૬, મુંબઈ. સ્વર્ગવાસ : સં. ૨૦૪૭, અષાઢ વદ ૧૪, અમદાવાદ. દીક્ષાપર્યાય : ૭૭ વર્ષ અને ६ મહિના.
સાપર્યાય : ૭૭
સુવિશાળ ગચ્છાધિપતિ, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષનો દીક્ષાપર્યાય
For Private & Personal Use Only
www.jainelibrary.org