SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ 330 રગરગમાં વ્યાપી વળેલો છે તેવા શ્રી વિજયપ્રભાકરવિજયજી મહારાજ પણ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વિનય, વિવેક, મમતા, ઉદારતા, વિદ્વત્તા, વ્યવહારકુશળતા, પરોપકારિતાને લીધે અત્યંત લોકપ્રિય મહાત્માની ખ્યાતિ ધરાવે છે. જ્યાં ૨૫ જેટલાં જિનમંદિરો જિનશાસનની આલબેલ પોકારી રહ્યાં છે, જ્યાંથી અસંખ્ય ભવ્યાત્માઓ પ્રવ્રજ્યાના પુનીત પંથે પળ્યા છે, તે વિરાગનગરી રાધનપુરમાં શેઠ રતિભાઈ ભૂરાભાઈ દોશીનાં સુશ્રાવિકા ધર્મપત્ની હીરાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૯૨ના ફાગણ વદ ૧ (ધૂળેટી)ને દિવસે તેઓશ્રીનો જન્મ થયો. પૂજ્યશ્રીનું સંસારી નામ બાબુભાઈ હતું. બાબુભાઈ કુસંગને પ્રતાપે બાલ્યકાળમાં ઉન્માર્ગે ચડી ગયા હતા, પરંતુ પૂ. મુનિવરોના સત્સંગે તરત જ સન્માર્ગે ચડી ગયા. છ વર્ષની કુમળી વયે આયંબિલની ઓળી કરવાનું મન થયું અને હોંશે હોંશે કરી. નાનપણથી જ ધાર્મિક સંસ્કારો સુર્દઢ અને સુવિકસિત થયા. કુટુંબ ધંધાર્થે મુંબઈ આવ્યું, તેમાં પરમ શાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોની પ્રગાઢ અસર થઈ. માતાપિતાની ધાર્મિક વૃત્તિએ બાબુભાઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેઓ સંયમજીવનના પૂર્વસંસ્કરણ રૂપ અનેક વ્રત-નિયમો ધારણ કરવા લાગ્યા. જીવન સંયમ માટે, મોક્ષ માટે જ છે એવી દૃઢ શ્રદ્ધા સેવવા લાગ્યા. રાત્રિભોજન કે હોટલમાં ખાવાનું બંધ કર્યું. આસો વદ ૮થી કારતક સુદ ૫ સુધી મિષ્ટાન્ન લેતા નહીં. પોતાને વાપરવા મળતા પૈસા દીનદુઃખીને આપી દેતા. ૧૪ વર્ષની ઉંમરે ચાર મિત્રોએ થોડા પૈસા ભેગા કર્યા અને મહાવીર જન્મકલ્યાણકના દિવસે ૭૦ પુણ્યવાનોને એક આનાની પ્રભાવના કરી હતી. બાબુભાઈની આ ધર્મપ્રવૃત્તિ અને ચારિત્રપ્રવૃત્તિથી પિતા રતિલાલ પણ ખૂબ જ રાજી રહેતા. તેઓ ઇચ્છતા કે પોતાની હયાતીમાં જ બાબુલાલની દીક્ષા થાય અને બન્યું પણ એમ જ. ભવતારિણી દીક્ષાદાતા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં દાદરમુંબઈમાં સં. ૨૦૧૦ના મહા સુદ ૪ને શુભ દિવસે પ્રવ્રજ્યા સ્વીકારીને બાબુભાઈ ૧૭ વર્ષની યુવાન વયે પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી પ્રભાકરવિજયજી નામે ઘોષિત થયા. અત્યાર સુધી તેમણે પાંચ ઉપવાસ પાંચ વખત, છ ઉપવાસ છ વખત, સાત ઉપવાસ, આઠ ઉપવાસ અગ્યાર વખત, નવ ઉપવાસ ત્રણ વખત Jain Education International વિશ્વ અજાયબી : તેમજ ૧૬ ઉપવાસ, ૩૦ ઉપવાસ, ૩૩ ઉપવાસ, ૪૨ ઉપવાસ કરીને જૈન જગતમાં તપસ્વીઓને પ્રેરણા માટે ક્રાંતિ સર્જી છે. અત્યાર સુધી આયંબિલો ૫૦૭૦ તેમજ તીર્થંકર તપના આયંબિલો પણ ૧૦૦૦ કરેલ છે. ૬૦ હજાર કિલોમીટરથી વધારે પગપાળા વિહાર તેમજ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર ભારતના દસથી બાર રાજ્યમાં તેમણે ધર્મ પમાડ્યો છે. ગુરુકૃપાના બળે અને ફળસ્વરૂપે પૂજ્યશ્રીમાં સાધના– સ્વાધ્યાય–શાસનસેવાના અનેકાનેક ગુણોનો વિકાસ થયો. સ્વપર કલ્યાણની પ્રવૃત્તિઓમાં તપશ્ચર્યા એ સંયમજીવનનો પાયો છે. પૂજ્યશ્રીએ તો સંસારીપણામાં પણ તપ-સાધના પર વિશેષ રુચિ દર્શાવી હતી. સાધુપણામાં તો આ ગુણનો અનેકગણો વિકાસ થયો. પૂજ્યશ્રીએ આજ સુધીમાં છટ્ટનાં પારણે છ— એક માસ, ચારનાં પારણે ચાર–એક માસ, પાંચ ઉપવાસ પાંચ વારથી માંડીને ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૦, ૩૦, ૩૩, ૪૨ ઉપવાસની આરાધના દોઢ વર્ષમાં કરી છે. આજ સુધીમાં સત્તર સો ઉપરાંત ઉપવાસ કર્યા છે. વીશસ્થાનક તપની ઓળી, ૧૦૮ અઠ્ઠમ પૂર્ણ કર્યાં. ૨૪ ભગવાનના ચઢતા ઊતરતા, વળી ચઢતા આ સો-ઓળી ઉપરાંત એક હજાર આયંબીલ કર્યાં છે. આયંબિલ, ૧૦૦ ઓળી પૂરી થઈ ગઈ છે. પૂજ્યશ્રીની વર્ધમાનતપની ૯૫મી ઓળી નિમિત્તે ૯૯ છોડનો ભવ્ય ઉઘાપન મહોત્સવ તેમ જ ૯૪ અને ૯૬મી ઓળી નિમિત્તે ભવ્ય ઉજમણાં અમદાવાદ-નવરંગપુરામાં ઊજવાયાં હતાં. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં ૨૦ જેટલાં ઉજમણાં, ૧૫ છ'રીપાલિત યાત્રાસંઘો અમદાવાદ, જામનગર, બોરસદ આદિ સ્થાનોમાં ઉપધાનતપની આરાધના, અનેક ભવ્યાત્માઓને દીક્ષાપ્રદાન, ૧૫ જેટલા નવા સંઘોની સ્થાપના અને સ્થિરતા, ૪૦ જેટલાં નાનાંમોટાં જિનમંદિરોનાં નિર્માણ, પાંચ દેરાસરોના જીર્ણોદ્ધાર, અનેક ઉપાશ્રયોનું નિર્માણ, ૧૩/૧૪ પાઠશાળાઓની સ્થાપના આદિ મહાન પ્રભાવક કાર્યો થયાં છે. પૂજ્યશ્રીએ અમદાવાદમાં શ્રી કૃષ્ણનગર જૈન સંઘ અને શ્રી બાપુનગર જૈન સંઘ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રી દ્વારા જ્યાં સંઘો સ્થપાયા, એ આજે સારી રીતે વિકાસ પામ્યા છે. ૨૦ ઘરોનો સંઘ ૧૬૦૦ ઘર સુધી પહોંચ્યો છે. જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં છે, ત્યાંના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy