________________
અભિવાદન ગ્રંથ ]
[ ૬૪૯
દેસાઈ પુ. સા. લાલાએ, ભા. લલનાદે સુ. સા. ઉદયકિરણ, રતા, રીડા, વાઘા, મેઘા, વાછા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. - સં. ૧૫૦૦ (૧) પોષ વદિ ૨ના ગુરુવારે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સા. İગર ભા. વરૂ સુ. સા. નરપતિ ભા. જીવણિ સુત દો. લખા સુશ્રાવકે, ભા. ધારી સુ. સા. નીવડ સહિત પોતાના પુણ્યાર્થે પોતાના પિતાએ ભરાવેલી નીલમણિ પાર્શ્વનાથ પ્રતિમાઓનાં પરિકરો કરાવ્યાં, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ પના રવિવારે શ્રીશ્રીવંશી સા. પહિરાજ ભા. રૂપી સુ. સા. સિંઘદત્ત ભા. મગાઈ સુ. સા. અમીપાલ ભા. દીવડ સુશ્રાવિકાએ પુત્ર સા. સહજપાલ, વિજયપાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પપ્રભબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૯ના શનિવારે શ્રીમાલ જ્ઞાતીય મંત્રી સહદ ભા. સહજલદે પુ. મંત્રીવર હાથી સુશ્રાવકે, ભા. નાથી, સા. હાંસા, કાકા, મુખ્ય કુટુંબ સહિત શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ચંપકપુરમાં પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૭૨ (૧) વૈશાખ સુદિ પના સોમવારે ઉપકેશ જ્ઞાતીય મહં. ધરણા પુ. જિનદત્ત ભા. ધારૂ પુત્ર વરસિંઘ ભા. રત્નાદે પુ. ભેદા, નેતાદિ સહિત મહં. રતાએ પોતાના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૭૩ (૧) ફાગણ સુદિ રના રવિવારે શ્રીશ્રીવંશી સા. આસા. ભા. રજાઈ, અપર ભા. મેઘી પુ. સા. કમલસી ભા. વીરાઈ પુ. સા. શ્રીકર્ણ સુશ્રાવકે ભા. સિરિયાદે, કાકા સં. અબૂ, ભત્રીજા સં. દિનકર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૭૪ (૧) મહા સુદિ ૧૩ના શનિવારે ઉસવંશીય પરમાર ગોત્રીય સં. વક્રા ભા. વલદે પુ. સા. પતોલાએ જિનબિંબ ભરાવ્યું.
સં. ૧૫૭૬ (૧) ચૈત્ર વદિ પના શનિવારે પ્રાગ્વાટવંશીય . લખમણ ભા. લખમાદે પુ. શ્રે. જાગા ભા. કવાઈ પુ. છે. ગદા, નાનાભાઈ છે. સહિજાએ ભા. સોભાગિણી; સંપૂ તથા અપર માતા, વડીલ ભાઈ રામા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, પતનસહાનગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૩ના શુક્રવારે શ્રીશ્રીવંશી સા. માલા ભા. ખાઝુ પુ. નીવડ, અદા સમસ્ત કુટુંબ સહિત શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૮૧ (૧) માઘ સુદિ ૧૩ના રવિવારે શ્રીમાલ જ્ઞાતીય સા. રતના ભા. ધાકા પુ. સા. ડાહિયા ભા. પદમાઈ સહિત, પોતાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
અગરચંદજી નાહટાને ૧૬મી સદીની ચૈત્ય પરિપાટી પ્રાપ્ત થઈ છે તેમાં ચિત્તોડના પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિરો અને મૂર્તિઓનો નિર્દેશ છે. ચૈત્યપરિપાટીના ઉલ્લેખાનુસાર એ વખતે ત્યાં ૩ર જૈન મંદિરો અને નવેક હજાર પ્રતિમાઓ આદિ હતાં. ત્યાં શ્રી શીતલનાથનું મંદિર અંચલગચ્છીય હતું, જેમાં તે વખતે ૩૩૮ જિનબિંબો પ્રતિષ્ઠિત હતાં. (જુઓ જૈ. સ. પ્ર. વર્ષ ૧૨, અંક ૭, પૃ. ૨૦૦-૪ માં ચિતૌડકે પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિર' નામક લેખ.)
II.
=
==
=
=
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org