SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૩૯ * પલ્લિવાલ જૈનો –ભરતપુરના ગામમાં પલ્લિવાલો જૈનધર્મ પાળવા લાગ્યા છે. આચાર્યશ્રી વિક્રમસૂરિજી મહારાજ, આચાર્યશ્રી ભદ્રંકરસૂરિજી મ.ના પ્રયાસોથી જનતામાં ધર્મભાવના સારી રીતે વધવા પામી છે. કુમારપાળ વી. શાહના અથાગ પ્રયત્નોથી અને સાધ્વીશ્રી શુભોદયાશ્રી મહારાજના વિહારથી ૨૫ નગરોમાં જૈન દેરાસરો થઈ ગયાં છે. પાઠશાળાઓ ચાલુ છે. સાધુ-સાધ્વીજીઓનાં ચાતુર્માસ પણ થવા લાગ્યાં છે. પલ્લિવાલ, સરાક, પરમારોના નગરોમાં દાનગંગા વહાવી જોઈએ. * પરમાર ક્ષત્રિય જેનો –પંચમહાલ-વડોદરા જિલ્લામાં પરમાર ક્ષત્રિયો જૈનધર્મનું પાલન હજારોની સંખ્યામાં કરે છે. અમારી પ્રેરણાથી ભુવન-ભટૂંકર પાઠશાળા ભેંસાવી ગામમાં ચાલે છે. તેવી જ રીતે તેઓ શાસન-પ્રભાવના અને સંયમ-આરાધના કરી ધન્ય બની રહ્યાં છે. અમારો સિદ્ધાંત એ છે કે જ્યાં કોઈ ન જાય ત્યાં જવું. જે કોઈ ના કરે તે અનુષ્ઠાનો કરાવવા પ્રયત્ન કરવા તે અનુસાર સરાક, પલ્લિવાલ, પરમારના ક્ષેત્રો જેવા અનેક નગરોમાં જવાનો પ્રથમવાર લાભ મળ્યો ને વર્ષોથી અટકી ગયેલા મંદિરોના જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉદ્યાપન ઉત્સવોનો લાભ પામી શક્યા છે ત્યાંના જૈનોના જૈનત્વની ઝલક અનુમોદનીય બની છે. શક્તિશાળી વ્યક્તિઓએ અજાણ્યા ક્ષેત્રોમાં પ્રચાર-પ્રસાર માટે ઉત્સાહ રાખી જૈનશાસનની જ્યોત વધારવી હજારો આયંબિલો, માસક્ષમણો, પૂજાદિ ઉત્સવો કરાવવાનો લાભ મળે છે. ભવોભવ આરાધના કરવામાં સહાયક થવાય છે. આચાર્યશ્રી ઇન્દ્રન્નિસૂરિજી આદિ ૪૦ સાધુ-સાધ્વીજીઓ પરમાર ક્ષત્રિય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy