SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] T ૫૧૫ જિનશાસન મોતી મોતીશાહ, દાનતણા બાદશાહ સિદ્ધગિરિ ટુંક, મંદિર અનેક, આજેય બોલતા વાહ મહામાનવ મોતીશાહના મહાન મંદિરો –પ. પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી રાજરત્નવિજયજી મહારાજ જાતને કાજે જ જીવન જીવનારાઓની આ જગતમાં કયારેય કમી નથી હોતી, જયારે જગતને કાજે જીવન કુરબાન કરી દેનારા ઝિંદાદિલ જવાંમર્દોને તો ધોળે દિવસે દીવો લઈને શોધવા જવું પડતું હોય છે. કારણ કે એમના અંતરમાં સ્વાર્થના સ્થાને પરમાર્ચની પ્રતિષ્ઠા થઈ હોય છે. ‘સ્વ'ના સ્થાને “સર્વ ના સુખની કામના કિલ્લોલની હોય છે. આવી હાર્દિક ભવ્યતા તો કોઈ વિરલાને જ વરે ને! દિલની એ દિલાવરી દરેકને ન વરે. દોઢ સૈકા પૂર્વે થઈ ગયેલા શેઠ મોતીશાહ અમીચંદ આવા વિરલ વ્યક્તિત્વના સ્વામી હતા. માત્ર ચોપન વર્ષના જીવનપટમાં એ શાહ સોદાગરે કરેલા શકવર્તી સત્કાર્યોએ એમના નામને ચિરંજીવી ચમક બક્ષી છે. એ જેમ પરમાત્માના પરમભક્ત હતા તેમ પ્રાણીઓના પણ મિત્ર હતા. જીવદયાના ક્ષેત્રમાં એમણે કરેલું અદ્ભુત કાર્ય આજેય ઈતિહાસને પાને સુવર્ણાક્ષરે ઝળહળી રહ્યું છે. મોતીશાહ નોખી માટીના માનવી હતા. ઘર્મનિષ્ઠાને આંચ આવે તો સત્તાધીશોનેય પડકારવામાં એ પાછી પાની કરે તેવા ન હતા. એમની સૂઝ-બૂઝ અજબની હતી, શાણપણભરી કળા એમને વરી હતી. વ્યક્તિત્વનાં પ્રભાવ અને પ્રતિભાથી શ્વાનહત્યા બંધનું વચન લઈ શ્વાનોની સુરક્ષા માટે પાંજરાપોળનો નિર્ણય મહાજન પાસે કરાવ્યો અને આમ કરીને તેમણે એ જમાનામાં પ્રાણીસંહાર ઉપર પૂર્ણવિરામ મુકાવી દીધો. પારસીઓ અને અન્ય કોમો સાથેના સંબંધો ઘનિષ્ઠ હતા. - મોતીશાહ તો કાળની ગોદમાં વિલીન થઈ ગયા, કિંતુ એમણે કરેલું જીવદયાનું ભગીરચ કાર્ય ચાંદની ચમકી રહ્યું છે. શત્રુજ્ય ગિરિરાજ ઉપરની મોતીશાહની ટુંકનાં જિનાલયો તેમની સ્વપ્નસિદ્ધિની પ્રતીતિ કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy