________________
અભિવાદન ગ્રંથ 7
[ ૪૮૯
[કાવ્ય સ્વરૂપે પ્રજ્ઞા-પ્રભાવ-પ્રતિભાનો
ત્રિવેણી સંગમ
---મુનિશ્રી કમલપ્રભસાગરજી મહારાજ શારદાનંદ હે નંદલાલ! ધન્ય શાસન સાહિત્ય હાલ; સદા સપુરુષોને અનુમોદતા, પામજો તમેય મુક્તિ મહાલ.
સાગરને ગાગરમાં સમાવવાનો એક નોખો અનોખો પ્રયોગ આ લેખમાં દેખાશે. પૂર્વેના ઈતિહાસથી લઈને વર્તમાનકાળની વંદનીય વિભૂતિઓને સ્મરણાંજલી અહીં કાવ્યરૂપે અપાઈ છે. આખાય જીવનચરિત્રને માત્ર બે પંકિતમાં રજૂ કરવાની વિશિષ્ટતા આંખે વળગે છે. શબ્દોના પ્રાસ પણ મનમોહક છે. અર્થસભર કાવ્યોમાં પ્રજ્ઞાનું દર્શન પણ થાય છે. ભરફેસરની સજઝાયમાં આવતા પાત્રો ઉપરાંત દાનેશ્વરીઓ, કવિઓ, સાક્ષરો, મહાન ચારિત્રપાલન કરનારા મુનિવરોને વંદના કરાઈ છે.
- કોઈ કવિએ કહ્યું છે તેમ, જેમના નામસ્મરણ માત્રથી પાપના બંધનો નાશ થઈ જાય છે. ઝૂકતા જાઓ અને ભાવથી વંદન કરતા જાઓ...
ઝૂકો અને વંદો...સાલો અને પામોની જુગલબંધીનું સુંદર નિર્માણ---ચિત્રણ જાણે સતત મમળાંવ્યા જ કરીએ એવું લાગે છે..
કથાનુસંધાન...શબ્દાનુસંધાન...ભાવાનુસંધાન પણ બોધક પ્રેરક છે. આ રચનાના કર્તા મુનિરાજશ્રી કમલપ્રભસાગરજી મ. અચલગચ્છ સમુદાયના વિદ્વાન મુનિ છે, અધ્યયન અને અધ્યાપન સાથે મંત્રસાધનામાં પણ તેમણે ખાસ્સી ડુબકી લગાવી છે. શીઘ્ર કવિત્વશકિત પણ અદભુત છે. કલમ અને કાગળ લઈ આંતરસ્કરણાને પામી તીર્થકરચોવીશીની રચના પણ કરી છે. માતા પાર્વતીજીના ચાહક છે. ૭-૮ કલાક જાપમાં ડૂબકી લગાવી રહસ્યોની ખોજમાં છે. માતા પદ્માવતીના ૧૦૮ સ્તવનોની રચના કરી છે, હિન્દી સાહિત્યરૂપે 'ધર્મઘોષ’ માસિકના પ્રેરક માર્ગદર્શક છે, દીક્ષાજીવનના ૨૩ વર્ષોમાં સારૂ ખેડાણ કરી રહ્યાં છે. ૭-૮ પુસ્તકોની સર્જનયાત્રા આગળ ધપી રહી છે.
સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org