________________
અભિવાદન ગ્રંથ |
[ ૩૯૫
જૈિન ઇતિહાસ દર્પણમાં
' છે. એક નજર..
–પૂ. પં શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.
જૈનશાસનનો ઈતિહાસ ગૌરવવંતો રહ્યો છે. બનેલી ઘટનાઓ બોધપ્રદ છે. ભૂતકાળના અનેક પાત્રોની અનેક રહસ્યમય વાતો ખરેખર જાણવા-માણવા જેવી છે. તપોવનના પ્રણેતા અને ધર્મસંસ્કૃતિના સનાતન મૂલ્યો માટે સતતપણે ઝઝુમનારા સમગ્ર જૈન સમાજમાં જાણીતા પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજશ્રી જેઓ સિદ્ધાંતમહોદધિ સચ્ચારિા ચૂડામણિ સ્વ. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના વિનેયશિષ્ય તરીકે પણ વિશિષ્ટ ખ્યાતિ પામ્યા છે. | કમલ પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પૂજયશ્રીએ “જૈન” ઈતિહાસની ઝલકો” નામના પુસ્તકમાં પ્રેરણાદાયી પ્રસંગોની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી છે. તેમાંથી થોડા પ્રસંગો અત્રે રજૂ કર્યા છે જે ભાવી પેઢીને ખરેખર પ્રેરણાદાઈ બની રહેશે એવી અમને શ્રદ્ધા છે. પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાંસારિક જીવનમાં કરોડપતિના પુત્ર હતા, ભરપૂર ભોગ સામગ્રી અને સમૃદ્ધિને પામ્યા હતા, પણ એક દિવસ પાપભરપૂર આ સંસારદર્શન થયા પછી કરોડોની સંપત્તિ અને દોમદોમ સાહ્યબીને તિલાંજલિ આપી. અઢાર વર્ષની કુમળી ચંદ્રશેખરવિજયજી મ. વયે સંયમયાત્રી બન્યા. પછી સોળ વર્ષ સુધી સતત જ્ઞાનપ્રાપ્તિમાં રહીને કુલ ૨૦ હજાર સંસ્કૃત-પ્રાકૃત વગેરે જૂદાં જુદાં વિષયોના શ્લોકો તથા જેન-અજૈન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. ૪૮ વર્ષનાં દીક્ષાકાળમાં તેમણે ધર્મસંસ્કૃતિના મલ્યોની રક્ષાના જંગમાં સિંહગર્જનાઓ કરવાપૂર્વક સક્રિય બની ઝંપલાવ્યું રામાયણ અને મહાભારતના વિષયો ઉપર તેમની ગજબની માસ્ટરી છે. તેમની રવિવારીય યુવાશિબિરોમાં જોડાવા લાઈનો લાગે છે. મડદાને પણ ઊભા કરી દેવાની તેમની વ્યાખ્યાનશૈલીમાં ગજબની તાકાત જોવા મળે છે.
તીર્થરક્ષા, ધર્મરક્ષા અને સંસ્કૃતિરક્ષા માટે પૂજ્યશ્રીએ એક જબરજસ્ત વર્તુલ ઊભુ કર્યું છે. સાઘર્મિકબંધુશ્રાવક પરિવારોના વસવાટ વગેરે માટે પણ પૂજ્યશ્રી પ્રેરણારૂપ બન્યા છે.
તેઓશ્રી વિદ્વતા, લેખન અને વક્નત્વ શક્તિથી જેટલા પ્રભાવક છે એટલી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org