SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૨૫ વારાણસી નગરીમાં સુભદ્રા સાર્થવાહની પત્ની હતી. પુત્રના અભાવથી પીડાતી તે સ્ત્રીએ સાધ્વીજીના ઉપદેશથી દીક્ષા લીધી. સ્વાધ્યાયમાં તત્પર અને સુંદર ચારિત્રપાલન કરતી હોવા છતાં અપત્યમોહમાં ગળાડૂબ એવી તે સુભદ્રાને વૃદ્ધા સાધ્વીની અનેક સમજાવટ નિષ્ફળ નીવડી. છેવટે પાક્ષિક અનશન કરી પ્રથમ સ્વર્ગે દેવી થઈ. પરમાત્મા મહાવીરને વાંદવા આવી ત્યારે પણ પૂર્વભવના બંને અભ્યાસ આ ભવે પ્રગટ થયા. સાધ્વીપણાના અભ્યાસે ભગવંત મહાવીરની ભક્તિ પણ અદ્ભુત હતી અને બાળકના રાગને લીધે નાટ્ય કરતી વખતે પણ ઘણાં બાળકોને વિકુર્તીને જ ભક્તિનૃત્ય કરતી. આ બહુપુત્રિકા દેવીને જોઈને ગૌતમસ્વામીને પ્રશ્ન થયો કે, હે ભગવન્! આમ કેમ? પરમાત્માએ મિષ્ટ વાણીથી સમગ્ર પૂર્વભવ જણાવી કહ્યું કે, આ દેવી હવે સોના બ્રાહ્મણી થશે. ત્યાં તેને પ્રતિવર્ષ પુત્ર-પુત્રીનું જોડલું જન્મશે. એવું સોળ વર્ષ ચાલશે અને ૩૨ પુત્ર-પુત્રીની માતા થશે. સંતાનોના પ્રભાવે દુઃખી થયેલી સોમા પૂર્વભવનું સ્મરણ થતાં દીક્ષા ગ્રહણ કરશે. પોતાના વિરાધક ભાવોની આલોચના કરી તૃતીય ભવે મહાવિદેહે મોક્ષમાં જશે. આ હતી તેની મોક્ષયાત્રા. મોક્ષયાત્રામાં નિમિત્ત હતો તેનો દુઃખગર્ભિત વૈરાગ્ય. દુઃખગર્ભિત વૈરાગ્યમાં નિમિત્ત હતું તેનું બહુ સંતાનપણું—બહુ સંતાનપણામાં નિમિત્ત હતો તેનો મોહગર્ભિત વૈરાગ્ય. મોહગર્ભિત અને દુઃખગર્ભિત વૈરાગ્ય જ તેના માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બન્યો. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અર્પી ગયો તેને મોક્ષમહેલનું ચિર સ્થાપિત્વ. પણ બધાના મૂળમાં અજ્ઞાત કથાના વિષયવસ્તુનો નિષ્કર્ષ જોવો હોય તો આ લેખમાળાનું મૂળ શીર્ષક જ યાદ કરવું પડે.-~~‘કારણ કે તે સાધુ હતા.'' * * * આ જ છે મારી કલમની યાત્રા. આ જ છે જ્ઞાત કથાઓનાં અજ્ઞાત વિષયવસ્તુ. આ જ છે તેનો નિષ્કર્ષ--“કારણ કે તે સાધુ હતા.” આવી અનેક ઘટના જૈનશાસનની તવારીખમાં નજરે પડે છે. જરૂર છે માત્ર હકારાત્મક વિચારણાયુક્ત નિર-ક્ષીર દૃષ્ટિની. જો હૃદયમાં સમ્યક્ શ્રદ્ધા ધારણ કરીને મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી તરફ સર્ચ-લાઈટ ફેંકશો તો તમને મળી રહેશે આવા અનેક પ્રતિભાવંત આત્માનાં જીવન અને કવન. નિર્મલ એવા દર્શનપદને નમસ્કાર કરી આપણે સૌ નિર્મળ દૃષ્ટિથી જીવનની પવિત્રતા તરફ નજર ફેંકીએ અને બની જઈએ ભાવિમાં નિર્મળ દૃષ્ટિ પામનાર જીવો માટેની પ્રાગૈતિહાસિક પ્રતિભા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy