SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૦૧ કારણ કે તે સાધુ હતા'' == = == = = = ( એક અભિનવ વિચારધારા ) સંકલન : આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ ભૂમિકા :–પ્રસ્તુત ગ્રંથમાં કેટલીક પ્રતિભાનું દર્શન કરાવવાનો ઉદ્દેશ છે, જેમાં વર્તમાનકાલીન શ્રાવક-શ્રાવિકાની વિશિષ્ટ પ્રતિભાના પ્રચુર પ્રસંગો છે. તેની સામે દીવાદાંડી રૂપ “આગમકાલીન શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કવન' રૂપ કિંચિત વક્તવ્યતા પણ છે. જૈન ધર્મથી પ્રભાવિત થયેલા રાજવીઓના ઉલ્લેખો છે તો ધર્મપ્રિય મંત્રીશ્વરો પણ નજરે ચડે છે. મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થીઓની સાથે પ્રાગૈતિહાસિક કાળની અમર પ્રતિભા પણ મૂર્તિમંત કરાઈ છે. જૈન દર્શનમાં દર્શાવાયેલ સર્વોચ્ચ પદને પ્રાપ્ત કે તદ્ અભિમુખ આર્યારત્નો કે મહાસતીઓના ચરિત્રોને પણ લિપિબદ્ધ કરાયાં છે. આવા વિશિષ્ટ કોટિના પ્રતિભા ગ્રંથને અલગ મોડ આપવા કેટલાંક તેજસ્વી પાત્રોને અભિનવ દષ્ટિએ મૂલવવાના પ્રયાસ રૂપે આ લેખમાં કંઈક ચિંતન રજૂ થયું છે. આ બધાં જ પાત્રોની કથાવસ્તુ અતિ પ્રચલિત છે. અનેક ગ્રંથકારે તેનું શબ્દચિત્રણ કરેલું છે. તેથી મૂળ કથાનકને અહીં અત્ય~ શબ્દોમાં પ્રસ્તુત કરી કથાનકના પડછાયામાં રહેલી ઉપદેશાત્મક બાબતને અલગ દષ્ટિકોણથી અને તે પણ તલસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે. કથાનકોના સંખ્યાત્મક પાસાનો સ્પર્શ તો ક્ષિતિજના આદિત્યને ગ્રહણ કરવા સમાન છે. કેમકે ભવિ જીવોના પ્રતિબોધ માટે ઉપદેશાવેલ છઠ્ઠા અંગસૂત્ર “જ્ઞાતઘર્મકથા'માં જ મૂળ સ્વરૂપે ત્રણ કરોડ પચાસ લાખ (૩,૫૦,૦૦,૦૦૦) કથાનકો હતાં, પણ તેનાં ગુણાત્મક પાસાને વિચારીએ તો પરમાત્માએ આ આગમસૂત્રમાં કથાના માધ્યમથી વિભન્ન સ્વરૂપે વૈરાગ્યનો બોધ આપવાના દષ્ટિબિંદુથી જ આ કથાનકોનું વ્યાખ્યાન કરેલ હતું. આ વિભિન્ન દષ્ટિબિંદુમાંથી એક અભિનવ દષ્ટિબિંદુ એ આ લેખનું વિષયવસ્તુ છે અને તે છે––“કારણ કે તે સાધુ હતા.” - અનેક પ્રકારની પ્રતિભાને દર્શાવતા આ દળદાર ગ્રંથમાં ચતુર્વિધ સંઘનાં અગ્રેસર એવાં સાધુ ભગવંતો કે સાધ્વીજી મહારાજોનાં જીવન-નિષ્કર્ષ રૂપે રજૂ કરવા પાછળનો એક માત્ર ઉદ્દેશ શ્રમણજીવનની ઉત્તમતા અને અનુકરણીયતા દર્શાવવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy