________________
૭૪
શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
-
આ બધી વાતો પૂરી કરીને હવે આ પુસ્તકમાં છાપેલી મૂર્તિઓના પરિચય બાબત થોડું જાણીએ. વિવિધતાનું દર્શન
ફોટાઓના દર્શન વિભાગમાં મૂર્તિઓમાં જોવા મળતાં મતમતાંતરો અને
વિવિધતાના આછેરા દર્શનમાં જે પ્રશ્રો ઉપસ્થિત થાય છે તે જોઈએ: પ્રશ્ન: શું માથા ઉપરની ફણાઓની સંખ્યાઓનું ધોરણ એક સરખું હોય છે કે ઓછું વધતું? ઉત્તરઃ અત્રે એકસરખું ધોરણ જોવા મળતું નથી. અહીંયાં કોઈએ નવ, કોઈએ સાત, કોઈએ પાંચ,
કોઈએ ત્રણ આ રીતે ફણા કરેલી હોય છે. પ્રશ્ન : હાથ ચાર હોય છે? ઉત્તર :
હા, પણ કોઈએ બે હાથવાળી પણ બતાવી છે. પ્રશ્ન : ચાર હાથમાં રાખવામાં આવતાં આયુધો સહુનાં એક સરખાં હોય છે? ઉત્તર : ના, ચાર હાથનાં આયુધોમાં થોડા ફેરફારો છે, પણ તે વ્યવસ્થિત નથી. કેટલાંકમાં જમણી
બાજુના નીચેના હાથમાં માળા પણ આપી છે તે મૂર્તિ જોવાથી સ્પષ્ટ સમજાઈ જશે. પ્રશ્નઃ પગનું આસન એક જ પ્રકારે છે? ઉત્તર : ના, બે પ્રકાર છે: (૧) પદ્માસન, (૨) ભદ્રાસન. પ્રશ્ન: વાહન એક જ પ્રકારે છે? ઉત્તર : વાહન માટે શું કહેવું? એક સમયે મૂર્તિક્ષેત્રમાં કેવો અંધકાર વર્તતો હતો કે કાં તો એકલો સર્પ
બતાવવો જોઈએ, કાં તો કૂકડાના મુખવાળો સર્પ બતાવવો જોઈએ. તેને બદલે બધાએ એકલો કૂકડો મૂકી દીધો. પક્ષી મૂક્યું પણ એથી તે વાહન ખોટું થઈ ગયું છે. કોઈ કોઈ મૂર્તિમાં
પદ્માવતીજીના માનાર્થે - સેવાર્થે ઉપરના ભાગે વિમાનો સહિત દેવો પણ બતાવ્યા છે. પૂજ્ય ગુરુદેવના વરસોથી પરિચિત જયપુરના સુપ્રસિદ્ધ શિલ્પકાર શ્રી નારાયણ રામધના પરિવારે ગુરુદેવની સૂચનાથી પદ્માવતીની મૂર્તિઓ કયાં કયાં સ્થળે, કેટલા ઇંચની બનાવી
તેની પૂ. ગુરુદેવ ઉપર મોકલેલી તે ચાદી અહીં આપી છે. (૧) ગોવાલિયા ટેન્ક જૈન દેરાસર, મુંબઈ - ૩૬. સાઇઝ ૪૧ ઈચ. (૨) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર, જૂના કુર્લા, મુંબઈ. ૩૧ ઈચ. (૩) શ્રી ભીલડિયાજી જૈન દેરાસર મંદિર, ભીલડી. ૩૧ ઈચ. (૪) શ્રી આદિનાથ જૈન સંઘ, શ્વેતાંબર સંઘ, સોનઈ - ૪૧૪૧૦૫. ૩૧ ઈચ. (૫) શ્રી સિહોર જૈન સંઘ, સિહોર ભાવનગર). ૩૧ ઈચ. (૬) શ્રી મહાવીરનગર જૈન દેરાસર ટ્રસ્ટ, જવેરી સડક, નવસારી. ૩૧ ઈચ. (૭) શ્રી શેઠ મિશ્રીલાલ હેમાજી બાફના, રિલિક્સ ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, બ્લોક નં. ૩, બીજે માળે, કોટાવાળા બિલ્ડિંગ, ૭/૧૦, હોર્નમન સર્કલ, મુંબઈ. ૩૧ ઈચ. (૮) શ્રી જૈન મંદિર આદીશ્વર ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org