________________
૫૧૦ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
ખંભાતની ત્રિ-વિરલ જૈન દેવી-પ્રતિમાઓ
ડૉ. જે. પી. અમીન | ડૉ. અમીન ઘણી ઉપાધિ (પદવી)ઓથી અલંકૃત છે. તેમણે પોતાના આ અભ્યાસપૂર્ણ લેખમાં ચાર શાસનરક્ષક દેવીઓ તથા 'પદ્માવતી કલ્પ” અને 'પદ્માવતી દંડક’ને આધારે શ્રી પદ્માવતીજીનાં વર્ણનો આપી, ખંભાત મધ્યે વિરાજિત ત્રણ દેવીમૂર્તિઓનું શિલ્પ અને મહિમા હૂબહૂ વર્ણવેલ છે. અહીં શ્રી પદ્માવતી દેવી, શ્રી અંબિકા દેવી અને શ્રી શ્રુતદેવી સરસ્વતી)નાં પૂબ જ અસરકારક વર્ણનો પ્રાપ્ત થાય છે.
– સંપાદક
ચોવીસ તીર્થકરોનાં ચોવીસ શાસનરક્ષક દેવો થયા અને ચોવીસ શાસનરક્ષિકા દેવીઓ થઈ. તેમાં શાસનરક્ષક દેવો કરતાં શાસનરક્ષિકા દેવીઓ અધિક લોકપ્રિયતાને વરેલી છે. અને આ શાસનરક્ષિકા દેવીઓમાં પણ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની શાસનરક્ષિકા દેવી શ્રી ચક્રેશ્વરી દેવી, આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસનરક્ષિકા શ્રી જ્વાલામાલિની, બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિની શાસનરક્ષિકા શ્રી અંબિકા દેવી અને ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની શાસનરક્ષિકા શ્રી પદ્માવતી દેવી વિશેષ લોકપ્રિય થયેલી છે. આ ચાર શાસનદેવીઓમાં પણ વધારે લોકપ્રિયની પસંદગી કરવાની હોય તો તેનો કળશ પદ્માવતી દેવીના શિરે ઢળે એમ છે. તાત્પર્ય કે જૈનધર્મનાં સર્વ શાસનરક્ષક દેવો અને દેવીઓમાં શ્રી પદ્માવતી દેવીની આરાધના-ઉપાસના તથા પ્રસિદ્ધિ સહુથી વધુ જોવા મળે છે.
પદ્માવતી કલ્પ'માં પદ્માવતીની એક સ્તતિમાં આ પ્રમાણે વર્ણન જોવા મળે છે : પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતીના ચાર હાથમાં કમળ, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલાં છે. તેમને કૂકડો અને સર્પનું વાહન છે. માથે ત્રણ કે પાંચ ફણા છે. રફત પુષ્પના વર્ણવાળી એવી પદ્માવતી દેવી અમારું રક્ષણ કરો.' અલબત્ત, પદ્માવતી દંડક'માં પદ્માવતીનું વર્ણન જુદા પ્રકારનું જોવા મળે છે. 'ભૈરવ પદ્માવતી કલ્પ'માં પદ્માવતીનાં છ પર્યાયનામો આપેલાં છે : તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી. આ છ સ્વરૂપોનાં આયુધોમાં થોડી થોડી ભિન્નતા છે અને એમની કાર્યસિદ્ધિ પણ ભિન્ન છે. આ રીતે જોવા મળતી વૈવિધ્યતા એક રીતે તેમની વ્યાપકતા જ સૂચવે છે.
ખંભાતની ત્રણ વિરલ દેવીમૂર્તિઓ સ્તંભતીર્થ (ખંભાત) પ્રાચીન પવિત્ર જૈન તીર્થધામ ગણાય છે. ખંભાત અને તેના પરિસરમાં હાલ ૭૧ જિનાલયો વિદ્યમાન છે. આ જિનાલયોમાં સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે, જેના મૂળનાયક પાર્શ્વનાથ ભગવાન છે. અહીં આવેલી પદ્માવતી દેવીની મૂર્તિ પ્રાચીન અને ખૂબ ચમત્કારી મનાતી હોવાથી જૈન સમાજમાં ખૂબ શ્રદ્ધય બની છે. આથી આ જિનાલય પદ્માવતીના દેરા તરીકે પ્રસિદ્ધ છે. પદ્માવતીની આ મૂર્તિ લગભગ ૨ ફૂટ ૩ ઈચની ઊંચાઈ ધરાવતી મનોહર, નયનરમ્ય અને આગંતુક ભક્તના હૃદયને આનંદવિભોર કરે તેવી દિવ્ય છે.
ખંભાતમાં જિરાળાપાડામાં આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ઘણું ભવ્ય અને વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org