________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૩૨૫
દેવી પદ્માવતીનું હુમ્બજ ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. તથા અહીંની શ્રી ધરણેન્દ્ર - પદ્માવતીની ભવ્ય મૂર્તિઓ ચમત્કારિક ગણાય છે. રાજકુમાર જિનદત્તાચાર્યે ઉત્તરી મથુરાથી આવીને દક્ષિણમાં એક રાજ્યની સ્થાપના કરેલી. હુમ્બજ તે રાજ્યની રાજધાની હતી. પરન્તુ પરિસ્થિતિવશ તેણે મથુરા છોડવું પડેલું. ત્યારે તે પદ્માવતી દેવીની મૂર્તિને પીઠ પાછળ બાંધી ભાગ્યો હતો. પદ્માવતી દેવીના આશીર્વાદને લીધે જ તેનું પગેરું દબાવી રહેલી સેના તેનું જરીકે અનિષ્ટ કરી શકી ન હતી. આ વિસ્તારની બીજી વિશેષતા છે તેનાં લાંબાં લાંબાં વૃક્ષો. આ વૃક્ષો હેઠળ બેસીને જિનદત્તાચાર્યે સ્વપ્નો નિહાળ્યાં હતાં. આ ઊંચાં ઊંચાં વૃક્ષોનાં મૂળ પદ્માવતી દેવીની મૂર્તિ હેઠળ રહેલાં છે. મુકિતનગર સરોવરમાં જળ કદી સુકાતું નથી. તુંગભદ્રા નદીની સંગી નદી છે કુમુદવતી. આ આખું વર્ણન પં. નેમિચંદ્ર શાસ્ત્રી વર્ણિત હુમ્બજ પર આધારિત છે. એક બીજી બાબત પર પણ ધ્યાન ખેંચવાનું મને ઉચિત જણાય છે. જે જે ભકતજનો શ્રી લંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે પર્વત ચઢે છે તેમણે પદ્માવતીજીનાં દર્શન કરવાં અનિવાર્ય બની જાય છે. પદ્માવતીદેવીનું મંદિર ખૂબ જ લોકપ્રિય છે. દક્ષિણ ભારતનાં અનેક મંદિરોમાં ભગવતી પદ્માવતીજીની મૂર્તિઓ આજે ય મોજૂદ છે. જો કે, કેટલાક ગ્રંથોમાં એવું લખાણ વાંચવા મળે છે કે શાસનદેવી-દેવતાઓની પૂજા-અર્ચના મિથ્યાવાદી છે. આવી ટીકા સદાસુખજીના રત્નકરંડક શ્રાવકાચાર અને ટોડરમલજીની વ્યાખ્યામાં જોવા મળે છે. જો કે આપણે આ વિતંડાવાદમાં ઊતરવા માંગતા નથી. હું તો એટલું જ કહીશ કે શાસન દેવી-દેવતાઓનો મહિમા અપાર છે. દેવભકિત ગ્રંથના પાણ્વનાથ સ્તોત્રમાં લખેલ છે, “પૂWત્યાન્વિત વાળે પળે યક્ષ ભગવાન પાર્શ્વની ડાબી બાજુએ પદ્માવતી વિરાજમાન છે.
(નોંધ :- આ સંક્ષિપ્ત નિબંધ લખવા માટે જૈનાચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજના જૈનધર્મનો મૌલિક ઈતિહાસ' તથા આચાર્ય મહાવીરકીર્તિ સ્મૃતિગ્રંથ' વગેરેનો આધાર લેવામાં આવ્યો છે.)
te-
હયા.
tપરીકથ્થકર.
દારુડયા
กัน ดั
૮- મયદ્રથા.
SUGBO.
งนี้
5 ye
7
પણ.
ગીગાયક.
- જયા:
રમિય
? સુની- I-
શીમય. -સુરત શ્વસંત.
.
ಇನ೪) ಕ ನಡ
_
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org