SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૧૧ સહુનું સર્વાગી રીતે કલ્યાણ કરનારો ભગવતી શ્રી પદ્માવતીજી પૂ.આ.શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ જૈન સમાજમાં સાહિત્ય-કલા-રત્ન' એવા ગૌરવવંતા વિશેષણ અને 'યશોવિજયજી એવા હુલામણા નામથી ઓળખાતા પૂજ્ય આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરિજી મહારાજ સાહિત્ય, કલા અને સંશોધનના ક્ષેત્રે અવલ ખ્યાતિ ધરાવે છે. તેઓશ્રીએ વિવિધ વિષયના ઘણા ગ્રન્થોનું સંપાદન કર્યું છે. જૈન સમાજના શ્રદ્ધેય પુરુષ છે. કલિકાલ કલ્પદ્રુમ ભગવાન શ્રી પાશ્ર્વનાથના ભકત તથા ભગવતી શ્રી પદ્માવતીજીના અચ્છા ઉપાસક પણ છે. શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિકલા, ચિત્રકલા, મ7-યન્સ કલા, આકૃતિઓની વિશેષતા- નવીનતા માટે પૂજ્યશ્રી પાસે ખૂબ ઊંડી, માર્મિક અને વ્યાપક સૂઝ-સમજ છે. તેઓશ્રી પાસે સમયનો અભાવ હોવા છતાં તેઓશ્રીએ થોડા સમય પહેલાં પદ્માવતીજી અંગે એક લેખ લખેલો, જેમાં પદ્માવતીજી કયાં રહે ? કોના રક્ષક ? કયું શરીર અને કહ્યું જ્ઞાન ધરાવે છે? ઈત્યાદિ પ્રશ્નોની છણાવટ કરી હતી. સુધારા - વધારા સાથે તે લેખ અને તે ઉપરાંત ખાસ જાણવા જેવી મૂર્તિશિલ્પ રચનાના ઈતિહાસમાં બનેલી કેટલીક રોમહર્ષ, રોમાંચક અને ગૌરવાસ્પદ વિગતો ઉમેરીને અમને આપ્યો છે તે અહીં પ્રગટ કર્યો છે. મુંબઈ-વાલકેશ્વરના શ્રી આદીશ્વરજીના દહેરાસરે ભગવતીજીની ભારતપ્રસિદ્ધ બેનમૂન અને અજોડ મૂર્તિનું આયોજન કરનાર અને પૂજ્ય ગુરુદેવો સાથે રહીને મૂર્તિની સ્થાપના કરાવનારા પૂજ્યશ્રી જ છે ! એટલું જ નહીં જૈનસંઘમાં છેલ્લાં ૨૫ વરસમાં સર્વત્ર પદ્માવતીજીનું જે ભારે મોજું ફરી વળ્યું છે તેમાં પ્રધાન કારણ પૂજ્યશ્રી જ છે ! જિનશાસનમાં શાસ્ત્રોકત રીતે દેવ-દેવીઓની સાધના-આરાધના પણ છે જ અને તેને ધર્માચાર્યો પણ જ૫, સાધના અને અનુષ્ઠાન દ્વારા ઉપયોગમાં લે છે. પ્રતિક્રમણમાં દેવવંદન વગેરેની ક્રિયાઓમાં પણ દેવ-દેવીઓની સ્તુતિ-પ્રાર્થના કરે છે. એમાં અહીંયા વર્તમાનમાં વધુ પ્રભાવ બતાવી રહેલાં ભગવતી શ્રી પદ્માવતીજીનો સંક્ષિપ્ત પરિચય પદ્માવતીજીના પરમ ઉપાસક અને પરમ કૃપાપાત્ર પૂજ્યશ્રી અહીં કરાવે છે. ભગવતીજીનાં અનેક રહસ્યોનો ભંડાર આ સૂરિદેવ પાસે હોવાનું કહેવાય છે. -સંપાદક, જૈનસંઘમાં ભગવતી શ્રી પદ્માવતીજીની નિયુકિત કયારે થઈ ? આજથી ૨૮૬ર વર્ષો ઉપર જન્મેલા અને કલિકાલમાં કલ્પવૃક્ષ જેવા સાહજિક રીતે જ લોકપ્રિય, આદેય નામકર્મવાળા ત્રેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુને યોગ્ય સમયે કેવલજ્ઞાન એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy