________________
અર્થ શનિદેવીઓ
મુંબઇ - ભાયખલામાં બિરાજમાન ચક્રેશ્વરી દેવી.
ચક્કસરી અજિયા દુરિઆરી, કાલી મહાકાલી શ્યામા સારી, શાન્તા ભૃકુતિ સુતારી, શ્રી અશોકાને માનવી ચંડા, વિદિતા અંકુશા તેજ અખંડા, કંદર્પ નિર્વાણિ દંડા, બલાધારણી ધ્યાઓ નરનારી, ધરણીપ્રિયા નરદત્તા ગંધારી, અંબિકા પદ્માવતી સારી, સિદ્ધાયિકા ઇતિ દેવી ચઉવીશ, હંસવિજય બુદ્ધરાયનો શીશ, ધીરની પૂરો જગીશ. – શ્રી હંસવિજયજી | મુંબઇ મધ્યે ભાયખલા સ્થિત શેઠ મોતીશા આદીશ્વરજી જૈન દેરાસર છેલ્લા ૧૬૫ વર્ષ જુનું પ્રાચીન મંદિર છે. આ દેરાસર. બંધાવનાર સુરતના ઝવેરી મોતીશા અમીચંદ સાકરચંદે પોતાની યુવાનવયમાં ઘણા જ પૂણ્ય કાર્યો કરેલા. શત્રુંજય ઉપરની મોતીશાની ટૂંક એમણે બંધાવેલી. આ ભાયખલાના મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વરજી ભગવાનનાં મુખ્ય ગભારાની જમણી બાજુમાં બિરાજમાન શ્રી ચક્રેશ્વરી માતાજી - જે પ્રાચીન મૂર્તિ છે. જૈનોએ આ મંદિરના દર્શનાર્થે એકવાર અવશ્ય લાભ લેવા જેવો છે.
r શેઠ મોતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - ભાયખલા. મંબઈ-૨૭ નાં સૌજન્યથી.