________________
વ્યાકરણ અભ્યાસ શા માટે ?
વિઘા વ્યાસંગી પૂ. ગુરુદેવ શ્રી સુધર્મસાગરજી મ.સા. ની અનન્ય પ્રેરણાથી ઉદભવેલ આ ગ્રંથ તૈયાર થયો પણ વ્યાકરણ અભ્યાસની આવશ્યક્તા સમજયા વિના માત્ર ગતાનગતિક રીતે બે બુકથી લઘુત્તિ પર્વતનાં અભ્યાસને આપણા નિસ્પૃહી પંડીતવર્ય શ્રી વજુભાઈ કાળી મજુરી સમાન ગણે છે. તેથી વ્યાકરણ અભ્યાસનું મહત્વ માનસમાં પ્રતિપાદિત કરીને બેય સિદ્ધિની દિશામાં કદમ મડિવા ઉચિત ગણાય.
કોઈપણ ભાષાનાં પ્રમાણિક અને સર્વાંગસંપૂર્ણ અભ્યાસ માટે તેના વ્યાકરણનું જ્ઞાન નિતાન્ત આવશ્યક છે. વાણી દ્વારા માનવ પિતાના વિચારોને આકાર આપે છે – વાણીનું નિયમન વ્યાકરણ થકી થાય છે. તેથી વ્યાકરણ અભ્યાસ વિના શિષ્ટ વાણી વ્યવહાર મુશ્કેલ બને. શાસ્ત્રગ્રંથના અધ્યયન અને પરિશીલન માટે પણ વ્યાકરણ જ્ઞાન આવશ્યક છે. તેથી જ કહેવાય છે કે :
“વ્યાકરણ એ ભાષાનું વ્યુત્પાદક શાસ્ત્ર છે. પ્રયાગનું શુદ્ધ-સાચું જ્ઞાન કરાવનાર છે. ભાવમાં મૂર્ત જોત પ્રગટાવનાર છે. સકલ શાસ્ત્રમાં દીપક સમાન છે .... શબ્દ ધાતુરૂપ દરિયે છે. સંજ્ઞા પરિભાષા ન્યાયે–ગણે-ધાતુઓ-કારકે અવ્ય પ્રત્યે આદિને પ્રતિપાદન કરનાર અનુપમ ખજાને છે.-ગ્રન્થ રચનામાં સહાયક છે - ગ્રન્થ માર્ગમાં મુસાફરી કરનારને ભોમિયા તત્ય છે.”
0 લેકમાં અને શાસ્ત્રમાં આવતા શબ્દો જેના વડે સધાય એવું જે શબ્દ શાસ્ત્ર તેનું નામ વ્યાકરણ.”
આવશ્યક વૃત્તિ પૂ. હરિભદ્રસૂરિજી
0 વ્યાકરણ ભણવાથી પદની સિધ્ધિ થાય છે. પદની સિધ્ધિ થવાથી અર્થને નિર્ણય થાય છે. અને નિર્ણય થવાથી તત્ત્વનું જ્ઞાન થાય છે. તત્ત્વજ્ઞાન થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
મેં પોતે સંસારી પણામાં યુનિવર્સિટી માન્ય ચાર ડીગ્રી-B. Com, M. Com, B. Ed. M. Ed. પ્રાપ્ત કરી અને Ph.d. માટે. વાંચન-અભ્યાસ કર્યો તેના નિચોડ રૂપે એક વાત તે સ્પષ્ટ સમજાઈ કે કોઈપણ વિષયના તલસ્પર્શી અભ્યાસમાં તેના પાયાના ચકકસ સિધ્ધાંતો સંકલ્પનાઓ કે મૂળભૂત તને સચેટ ખ્યાલ જરૂરી છે, તે પછી માતૃભાષા સિવાયની અને વાણી વ્યવહારમાં પરોક્ષ બનેલી એવી સંસ્કૃત ભાષાના પથ પર વ્યાકરણ સિવાય કઇ રીતે કદમ માંડી શકાય ?
( )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org