SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર 3 આઠમે માયા [કપટ] પાપસ્થાનક કહ્યું આઠમું સુણે સંતાજી છેડે માયા મૂળ ગુણવંતાજી કષ્ટ કરે વ્રત આદરે સુણે સંતાજી. જ માયા તે પ્રતિકૂળ ગુણવંતાજી જીવને કપટ કરવા રૂપ પરિણામ કે કપટ પ્રવૃત્તિ. જે દગો, વિશ્વાસઘાત, છળ , કુટિલતા કે પ્રપંચ નામે ઓળખાય છે. મેં આ રીતે માયાકષાય આચર્યો હોય, બીજાને માયા કરવા પ્રેરણા આપી હોય, માયા કપટ કરનારની અનુમોદના કરી હોય તે માયા કષાય પાપને હું વોસિરાવું છું. નવમે લોભ [તૃષ્ણા જી રે મારે લોભ તે દોષ અથભ, પાપસ્થાન નવમું કહ્યું છે જી રે મારે સવ વિનાશનું મૂળ, એહથી કિણેયન સુખ લહ્યું છે જીવને તૃષ્ણારૂપ પરિણામ કે ધન-વૈભવ, સત્તા-અધિકાર કે રાજ્યાદિ ઐશ્વર્યની પૃહા કામના કે ઈચ્છા તે લેભ. મેં આવી કઈ પણ રીતે લાભ કષાય સેવ્યો હોય, બીજાની તૃષ્ણને વધારવા પ્રેર્યા હોય કે લોભ કષાય ઉદયવાળાની અનુમોદના કરી હોય તે મારા લેભરૂપ પાપને હું સિરાવું છું. | દશમે રાગ [આસક્તિ આરોગ્ય વિષયને વિશે આસક્તિ કરવી તે રાગ. સ્વભાવથી જ નાશવંત છે તેવા સ્ત્રી અથવા પદગલિક પદાર્થો કે સંબંધે તેને વિષે આકર્ષણ-પ્રેમ કે આસક્તિ હોવી–રાખવી. તે રાગ. દષ્ટિરાગ-કામરાગ કે સ્નેહરાગ ને વશ અપ્રશસ્ત ભાવ કે આસક્તિ થઈ હોય. એ રીતે મેં રાગરૂપ પાપ સેવ્યું હોય, બીજાને પણ શબ્દાદિ દ્વારા રાગ ઉત્પન્ન કરાવ્યું હોય કે રાગમાં વર્તતા જીવોની અનુમોદના કરી હોય તે સર્વે પાપને હું સિરાવું છું. | અગીયારમે દ્વેષ [અણગમો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy