SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સમાધિ મરણ ભવ-પરભવમાં, મન-વચન કાયાથી કરેલ હોય-કરાવેલ હોય કે કરતાની અનુમોદના કરી હોય તેનું હુ ત્રિવિધ મિચ્છામિદુક્કડમ્ આપુ છું. (૩) અદત્તાદાન વિરમણ વ્રત – अल्पं भूरि च यत्क्वापि, परद्रव्यमदत्तकम् आत्तं रागादथ द्वेषात् तत्सर्व व्युत्सृजान्थहम સ્થળ પર દ્રવ્ય હરણ વિરતિમાં, પ્રમાદ કે લોભાવેશે, ચારેને પ્રેર્યા, માલ ખરીધા, માલમાં ભેળસંભેળ કર્યા. રાજ્ય વિરુદ્ધાર કર્યા વળી, તલ માપ બેટા કીધાં ત્રીજા અણુવ્રતના અતિચારે, દિવસતણું આવું સી. અપ મૂલ્યવાળી કે બહુ મૂલ્યવાળી, પ્રમાણમાં નાની કે મોટી, સચિત્ત કે અચિત્ત વસ્તુ જે નહીં આપેલી એવી મેં ગ્રહણ કરી હોય તે સંબંધી અદત્તાદાન દેષની હું આલોચના કરું છું. આ અદત્તાદાન નહીં આપેલું ગ્રહણ કરવા રૂપ-ચારી] વ્રત શ્રી વીતરાગ પરમાત્માએ ચાર પ્રકારે દર્શાવેલ છે. દ્રવ્યથી ગ્રહણ કરી શકાય કે ધારણ કરી શકાય તેવા દ્રવ્યને વિશે, ક્ષેત્રથી ગામમાં-નગરમાં કે અરણ્યમાં, કાળથી દિવસે અથવા રાત્રે, ભાવને આશ્રીને માયા-લોભ રૂપ રાગથી અથવા ધ-માનરૂપ છેષથી મેં આવી કોઈ પણ રીતે અદત્તાદાન એટલે કે કેઈએ ન આપેલી એવી વસ્તુ ગ્રહણ કરી હોય–તેનું હું મિચ્છામિદુક્કડમ્ આપુ છું. ચોરીનો માલ લીધે, ચોરને ઉત્તેજન આપ્યું, માલમાં ભેળસેળ કરી વેચ્યા હોય, (રાજ્યના કાયદા વિરુદ્ધ વેપાર કર્યો હોય) ખોટાં તોલમાપ વાપર્યા હોય, કપટ વડે–ખેટું બોલવા વડે કે અન્ય કઈ પણ રીતે પારકાને ઠગીને કંઈ પણ દ્રવ્ય દીધા વિના ગ્રાહ્ય કે ધારણ કરવા યોગ્ય પદાર્થો લીધા હોય, રસ્તે પડેલી વસ્તુ લીધી વગેરે કઈપણ પ્રકારે અદત્તાદાન વિરમણ વ્રત પંડયુ કે વિધ્યું હોય. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત કે ગુરુ અદત્ત એ ચારમાંથી કઈ પણ પ્રકારે મેં અદત્ત સેવ્યું હોય. આવી કોઈપણ રીતે જાણતા-અજાણતા, આ ભવે કે પરભવે, મનથી–વચનથી કે કાયાથી અદત્તાદાન વિરમણ વ્રતને વિશે જે કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy