SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સમાધિ મરણ તો સામાન્ય માનવીની સ્થિતિ શું હોય? સુખ વખતે સુખમાં આસક્તિ ન રાખે અને દુઃખ વખતે દુઃખમાં દિનતા ન લાવે, જે અવસ્થા જે સમયે હોય તેમાં સમભાવ રાખે, હમેશા ધર્મમાં ચિત્ત સ્થિર રાખે તે મરણ સમયે સમાધિ ટકી રહેશે. ( અંત અવસ્થાએ પણ સમાધિ કયારે ટકશે? જે નિયમિત પણે આરાધનાના વિચાર કર્યા હશે. અમલ કર્યો હશે. તે અંત સમયે પણ ધીરજ ન ગુમાવતાં એમ વિચારે કે પૂર્વકૃત કર્મનું ફળ તીર્થકર સરખાને પણ ભેગવવું પડયું છે. કર્મ આગળ કેઈનું ચાલતું નથી તે. મનોમન યાદ કરે એ મહાત્માઓને કે– T સાતસો વર્ષ સુધી સનતુ ચકી એ વેદના ભેગવી. | ગજસુકુમાલને માથે ધગધગતા અંગારા નાંખ્યા. ]િ પાલકે ૫૦૦ મુનિઓને ઘાણીમાં પીલ્યા. E મેત:રજ મુનિને માથે લીલી નાઘર બાંધી તડકે રાખ્યા. | અવંતિ સુકુમાલને ત્રણ પ્રહર સુધી શિયાળીએ ખાધા. છતાં આ બધાં મહામુનિએ એ અંતિમ સમાધિ ટકાવી રાખી તે મારે પણ હવે આરાધનામાં સ્થિર થવું જોઈએ. જિંદગીના કેઈપણ સમયે સમાધિ ટકાવી હશે તે જ અંત અવસ્થાએ પણ સમાધિ ટકશે. જે પહેલેથી આત્મા નહીં કેળવાય તે અંતે સમાધિ આવશે કયાંથી? ! સમાધિ ટકાવવા માટે અંતિમ આરાધના ના દશ અધિકારનું વારંવાર વાંચન-ચિંતન કરવું.. આત્માથી જીવોએ પૂર્વે સંક્ષેપમાં આપેલા દશ અધિકારની નિત્ય ચિંતવના કરવી અને અવસરે અવસરે કે વારંવાર– અત્રે આપેલી સુવિસ્તૃત અંતિમ આરાધનાને આરાધવી જેથી અંત સમયે જીવને સમાધિ ટકી રહે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy