SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ સમાધિ મરણ કઠેર મુજ મન હું ગણું, જડ જેવું યે નહીં; ચન્દ્રકાન્ત પત્થર છતાં, દ્રવે ચાંદની માંહી. ૧૪ ભવ ભમતાં હું પામીએ, આપ કૃપાથી સારરત્નત્રય દુર્લભ મહા, ભાવ દયા–દાતાર. ૧૫ પ્રમાદરૂપ નિદ્રા વશે, યાં એ ત્રણ રત્ન કેને કહું તે છે? પ્રભુ? કે કરૂં પ્રયત્ન? ૧૬ વૈરાગ્યસંગે જન ઠગ્યા, દઈ જન–રંજન બોધ; વાદ કર્યા વિદ્યા ભણી, કરણી હસવા જેગ. ૧૭ પરનિંદા-વિષ્ટા વડે ખડાયું મુખ પૂર્ણ પરનારી નિરખી નયન, અંજાયાં વિષ-ચૂર્ણ. ૧૮ પરનું બૂરું ચિંતવ્ય, મન મુજ થયું મશીન, શીય વલે મારી થશે? દીનબંધુ હું દીન. ૧૯ કામ–પીડા વશ થઈ, અરે ! વિષય વિષે બની અંધ, આત્માને વૈરી થયે, બાંધી. કર્મના બંધ. ૨૦ આ કહું આપ સમક્ષ હું, આણી મનમાં લાજ; વગર કહ્યું જાણે છતાં, સર્વજ્ઞ ગુરુ રાજ. ૨૧ મંત્ર તંત્ર મિથ્યા ભ, આત્મ–હિત હણનાર; તજી પરમ ગુરુ” મંત્ર જે, ઉતારે ભવપાર. ૨૨ કુશાસ્ત્ર વચનો વડે, ઉત્થાપ્યાં સન્શાસ્ત્ર આરાધ્યા કુદેવને, મિથ્યા વર્તન માત્ર! ૨૩ પ્રભુ દર્શન પામ્યા છતાં બ્રાન્ત–મતિ મોહાંધ, ચિંતવ ચંચળ નયન, નારી અંગે પાંગ ૨૪ મૃગ-નયના નિહાળતાં, લાગે લવ ઉર રાગ શાસ્ત્ર–સમુદ્ર મગ્ન મન, તેય તજે નહિ ડાઘ. ૨૫ મળે ન મુજમાં રૂપ, ગુણ, કળા, પ્રભા, પ્રભુતાય; તે પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. ૨૬, ક્ષણ ક્ષણ જીવન જાય પણ, પાપ બુદ્ધિ નહિ જાય; વચ ગઈ, તેય ન વિષમની, અભિલાષા દૂર થાય. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy