SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ સમાધિ મરણ દુષ્કર ક્રિયા કરનાર સુઝે, માર્ગને જાણે, કીર્તિને પામે અને પિતાના પાપ છુપાવ્યા વિના તેની નિંદા કરે માટે આરાધના શ્રેય-કલ્યાણકારીભલી કહી છે. ૯૬ તરણાંને સંથારો અથવા પ્રાણુક ભૂમિ તે (વિશુદ્ધિનું કારણ નથી, પણ જે મનુષ્યને આત્મા વિશુદ્ધ હોય તે જ ખરે સંથારે કહેવાય. ૯૭ જિન વચનને અનુસરતી શુભધ્યાન અને શુભગમાં લીન એવી મારી મતિ થાઓ જેમ તે દેશ કાલને વિષે પંડિત થકો આત્મા દેહ ત્યાગ કરે. ૯૮ જિનવર વચનથી રહિત અને ક્રિયાને વિષે આળસુ કઈ મુનિ. જ્યારે પ્રમાદી થાય ત્યારે ઈદ્રિ રૂપ ચેરો (તેના) તપ સંયમને નાશ કરે છે. ૯૯ જિન વચનને અનુસરતી મતિ વાળો પુરૂષ જે વેળા સંવરમાં પેઠેલો હોય તે વેળા વાયરા સહિત અગ્નિની પેઠે મૂલ અને ડાલાં સહિત કર્મને બાલી મૂકે છે. ૧૦૦ જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડનાં વૃક્ષોને પણ બાળે છે, તે મુ પુરૂષાકાર (ઉદ્યમ) સહિત માણસ જ્ઞાનવડે કમને ક્ષય કરે છે. ૧૦૧ - અજ્ઞાની ઘણા કેડે વર્ષે કરીને જે કમ ખપાવે છે તે કર્મને ત્રણ ગુતિએ ગુપ્ત જ્ઞાની પુરૂષ એક શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે. ૧૦૨ ખરેખર મરણ પાસે આવ્યું છે તે બાર પ્રકારનું શ્રુતસ્કંધ (દ્વાદશાંગી) સર્વ મજબુત પણ સમર્થ ચિત્તવાળા માણસથી ચિંતવી શકાય નહિ.૧૦૩ વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સરવેગ કરે છે તે તેનું જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે. ૧૦૪ વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સવેગ કરાય છે, તેનાથી તે માણસ મોહજાને અધ્યાત્મગ વડે છેદે છે. ૧૦૫ વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે, તે પુરૂષ નિરંતર વૈરાગ્ય પામે છે. તેથી સમાધિ મરણે તેણે મરવું. ૧૦૬ જેનાથી વૈરાગ્ય થાય છે તે કાર્ય સર્વ આદરવડે કરવું જોઈએ. અહિઆ સંવેગી જીવ સંસારથી મુક્ત થાય છે અને અસંગી જીવને અનંતે સંસાર થાય છે. ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy