SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ ૦ નિર્મલ ચારિત્રની આચરણ રૂપ અને સતાવીસ ગુણને ધારણ કરતા સાધુના તે મૂળગુણ-ઉત્તર ગુણ રૂપ સાધુપણુની હું અનુમેદન કરું છું. ૦ સાધુ ભગવંતની માફક સાદવજી મહારાજના પણ સાધ્વીપણના ગુણેની હું અનુમોદના કરું છું - સમતિ મૂલ દેશવિરતિને ધારણ કરતાં, જિનકથિત ધર્મના આરાધક એવા શ્રાવક-શ્રાવિકાના શ્રાવકપણુ ગુણોની હું અનુમોદના કરું છું. અવિરતિ છતાં પણ સમક્તિ દૃષ્ટિને ધારણ કરતાં આત્માના તત્વ શ્રદ્ધા રૂપ સમ્યક્ દર્શન ગુણની હું અનુમોદના કરું છું. - દેવતાના ભવને પામેલા પણ સમક્તિ દૃષ્ટિ એવા દેના શ્રદ્ધા રૂપ ગુણ, જિનવરની સેવા અને સાધર્મિક પણું એવા તે દેવના સમક્તિાદિ ગુણોની હું પ્રશંસા કરું છું. 0 તિર્યચપણને પામેલા પણ સમક્તિ ગુણવાળા, દેશવિરતિને ધારણ કરેલા પંચ પરમેષ્ઠિને સ્મરણ કરતાં, અંતકાલે સંલેખના કરી રહેલા, જાતિસ્મરણ જ્ઞાન પામીને મોક્ષમાર્ગ આરાધન રત એવા તિર્યંચના સમકિતાદિ તે ગુણોની હું પ્રશંસા કરું છું. ૦ કર્મચગે ઘણું દુઃખ પામેલા છતાં નરકમાં દુર્લભ એવા સમક્તિને પ્રાપ્ત કરતા નારકી જ ના સમક્તિ ગુણની હું અનુમોદના કરું છું. . કેઈપણ ગતિમાં અને સ્થિતિમાં રહેલા છતાં એક–એ ભવમાં મોક્ષને પામનારા એકાવતારી કે નિકટભવી–જેના આમોક્ષપણાની હું અનુમોદના કરું છું. ૦ આ ઉપરાંત જે-જે માં રહેલા દયા–દાનાદિ ગુણ, તીવભાવે પાપ નહીં કરતાં પાપભીરૂપણું, ભવને વિશે રાગ નહીં ઘરતા વિરાગીપણું, અલ્પ કષાયી, મોક્ષની ઈરછાવાળા–જન્મ મરણમાંથી છુટવા ઈચ્છતા, ભદ્રિક પરિણામ આદિ અનેક ગુણો જિન વચનાનુસાર જે-જે બીજા કોઈ પણ જીવમાં રહેલા હોય તે–તે જીના તે સર્વે ગુણ– સુકૃતોની હું અનુમોદના કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy