________________
ચૈત્યવંદનમાળા
તીર્થ તળેટી ભેટવા. ધર્મરત્ન ઉલ્લાસે, હરખે ગરિવર નિરખતા, મા૫ મેવાસી નાસે...૩..
રાયણ પગલાનું ચૈત્યવંદન આદિ જિનેશ્વર રાયના, છે પગલા મનહાર, ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર...૧... રાયણ રુખ તળે બિરાજી, દીએ જગને સંદેશ, ભવિયણ ભાવે જુહારીએ, દૂર કરે સંકલેશ...૨... પગલે પડીને વિનવું પૂરજે મારી આશ, જ્ઞાન તણી વિનંતી સુણે, જે શિવપદ વાસ...૩...
ઘેટી પગલાનું ચૈત્યવંદન સર્વ તીર્થ શિરોમણી, શત્રુજય સુખકાર, ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર...૧ પૂર્વ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત, તે પગલાને વંદીએ, આણિ મન અતિખંત ૨.... ચેવિહાર છઠ કરી, ઘેટી પગલે જાય, ધર્મરત્ન પસાયથી, મનવાંછિત ફળ થાય ૩
અજિત શાંતિનું ચિત્યવંદન સિદ્ધાચલ ગીરી સમરીએ, ભેટે ભવદુઃખ જાય નેમ વિના ત્રેવીશ પ્રભુ, પુનિત કરે ગીરિરાય ...૧ ઈશુ ગીરિ ચોમાસું રહ્યા, બીજા અજિત નાથ, તિમ વળી ચકી પાંચમાં, સોળમા શાંતિનાથ ૨.... નદિષેણુજી મહામુનિ, આવે વંદન કાજ, દેહરી દેખી તેહની, મનમાંહે અતિ લાજ ૩... અજિત- શાંતિ સ્તવના કરે, એક મને ઉદાર, તીરથ જિનવર ભક્તિથી થાયે દેવની વહાર ૪... પૂરવ પશ્ચિમ જે હતા, આજુ બાજુ થાય, બીલીમેરામાં તે શુણે, દીપિવિજય કવિરાય પન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org