SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1239
Loading...
Download File
Download File
Page Text
________________ લવ સ ગ્રહગ્ર - ત્રિવેણી સંગમ થયો છે. તેમને જન્મ મોટુકા (સાબરકાંઠા) ગામમાં થયો હતો. સમયાનુસાર પ્રાથમિક શિક્ષણ પ્રહણ કરી વારસાગત માનવતા આદિ સૌજન્ય ભરપૂર સંસ્કારોથી સંસ્કારિત થઈ વ્યવસાયાર્થે મુંબઈ ગયા. પ્રારંભમાં તેઓશ્રી નેકરીમાં જોડાયા અને બહુ જ થોડા સમયમાં ધંધાથી જ્ઞાન પ્રાપ્ત કરી નોન-ફેરસ મેટલના ધંધામાં ઝંપલાવ્યું. તેઓશ્રીની કાર્યદક્ષતા, અવિરત પુરુષાર્થ અને સાહસિકતાને ધારી સફળતા મળી અને તેઓશ્રી અગ્રગણ્ય ઉદ્યોગપતિ બન્યા. માત્ર ધન ઉપાર્જિત કરવાથી જ જીવન સાર્થક થતું નથી કે ધન એ જ જીવનનું સર્વસ્વ છે તેમ તેઓશ્રીએ માન્યું નથી. તેઓશ્રીનાં શુભ કાર્યો કેળવણી ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે અનેક છે. ધાર્મિક ક્ષેત્રે પણ છે. મોટુકામાં પ્રાથમિક સ્કૂલ, પક્ષી ભવન, હિંમતનગરમાં બોડિગ, મુંબ (મલાડ)માં દેવચંદનગર પ્રાથમિક સ્કૂલ, જૈન મંદિર ઉપાશ્રય પાઠશાળા તથા સમેતશિખરજીને સંઘ કાઢી ઘણું ભાઈબહેનોને ઘણા તીર્થોની યાત્રા કરાવવાને અમૂલ્ય લહાવો પ્રાપ્ત કર્યો છે. હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પણ સારું દાન આપેલ છે. તેઓશ્રી દયાળુ, પરગજુ, નિખાલસ, ભૂતપૂર્વ શાલિભદ્ર શેઠ જેવા ભદિક છે. તેમને જીવનની સુવાસ આથી વધુયે પ્રસારે તે માટે પ્રભુ વધુ ને વધુ શક્તિ આપે અને દીર્ધાયુષ્ય બક્ષે તેવી અમે પરમકૃપાળુ પરમાત્માને અંતરથી પ્રાર્થના કરીએ છીએ. શ્રી ધીરૂભાઈ દોશી (અંતરીક્ષ) સૌરાષ્ટ્રના વણિક કેમના તરવૈયા યુવાન કાર્યકર શ્રી ધીરુભાઈ દોશી મુંબઈના લોખંડના વ્યવસાયમાં પડેલા છે. છતાં સામાજિક અને ધાર્મિક કાર્યોમાં વિશેષ રસ ધરાવે છે. મુંબઈમાં વિલેપાર્લા (ઈસ્ટ)માં આત્મજ યાતિ ભક્તિ મંડળના પ્રમુખ તરીકે, શ્રી સંધ પ્રભુ સ્નાત્રના મંડળના મેમ્બર તરીકે, વિલેપાર્લા ઘોઘારી જૈન મિત્ર મંડળના મેમ્બર તરીકે, તેમજ બીજી અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સંગીતના પ્રિય શોખની સાથે ધાર્મિક તેમજ દેશભક્તિના કાવ્ય બનાવવાને તેમને જબરે શોખ જાણીતા છે. એ માદરે વતનીઓ ઉપરનું એક દેશભક્તિનું તેમણે બનાવેલું કાવ્ય હમણાંજ મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલું છે. તેના ઉપરથી તેમની વિશેષ પ્રતીતિ થશે. છે. શ્રી ધનવંતરાય તિલકરાય શાહ જૈન વિચાર-પ્રચારના આગેવાન મર્મજ્ઞ અને ઉદ્યોગપતિ શ્રી ડો. ધનવંતરાય તિલકરાય શાહ ભાવનગરના વતની છે. તેમની ઉંમર ૪૩ વર્ષની છે. તેઓએ એમ એ. પીએચ. ડી. સુધીને અભ્યાસ કરી સમાજ જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે શિક્ષણ, સાહિત્યકલા, ઉદ્યોગ વગેરેમાં ઝંપલાવીને પિતાની કાર્યક્ષમતા દ્વારા યશસ્વી સિદ્ધિ હાંસલ કરી છે. જે ૩૭ ૧૯૬૫થી જાહેર સેવા કાર્યની શરૂઆત કરી. ૧૯૬૮થી ધંધાના શ્રી ગણેશ કર્યા. વિદેશમાં ભારતીય ઔદ્યોગિક શાખા શરૂ કરવાને પ્રબળ ઉત્સાહ છેક શરૂઆતથી જ રહ્યો છે. ૧૯૭૩ માં મુંબઈના ધણું જિલલામાં એરિસ્ટો કેમીકલ્સ પ્રા. લી. ના નામે ટેક્સટાઇલ બાઈન્ડર અને એરોકોલ (Arrocol) લુને પ્લાન શરૂ કર્યો જેમાં પણ સારી પ્રગતિ સાધી. | નાટય, કાવ્ય અને સાહિત્યના પણ જબરા શોખીન. ૧૯૭૦ થી સીડનહામ કોલેજમાં (મુંબઈ) ગુજરાતી પ્રાધ્યાપક તરીકેની યશસ્વી કારકિર્દી પણ જાણીતી છે. જ્ઞાનસત્ર, શિબિરે અને વ્યાખ્યાન માળાઓ ગોઠવવામાં તેઓ હંમેશાં મોખરે રહ્યાં છે. જૈનીઝમ ઉપરના વિવિધ પાસાંઓ ઉપર તજજ્ઞોને નોતરી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે જૈન સાહિત્ય સમારોહના આયોજન કરી તેને અમલી બનાવવા સારી જહેમત છેલલા વર્ષોમાં લઈ રહ્યાં છે. સ્વભાવે પણ ખૂબ જ નમ્ર, વિવેકી અને સંવેદનશીલ છે. પોતાના ક્ષેત્રમાં પ્રગતિ થવામાં પુરુષાર્થ, અભ્યાસ, કોઈને દુઃખ ન લાગે તે સમભાવ, જવાબદારી સમજી કામમાં નિષ્ઠા રાખવી, ગુરુજન-વડીલો પ્રત્યે આદર, વ્યવહારમાં પ્રમાણિકતા વગેરે પરિબળોએ સારે એ ભાગ ભજવ્યો છે. જીવનને ગતિ આધ્યાત્મિક અભ્યાસે જ કરાવી છે. ૧૯૮૧માં યુરોપના દેશોમાં દેશાટન કર્યું છે. તેમના કુટુંબમાં પત્ની, ૧ પુત્ર અને ૨ પુત્રીઓ છે. પિતાના ક્ષેત્રમાં યશભાગી બનવા કોઈની પ્રેરણા મળી હેય તેવા શુભ નામે નીચે મુજબ છે. પૂ. મુનિ કલ્યાણચંદ્રજી, પૂ મુનિ જિતેન્દ્ર વિજયજી, પૂ. શ્રી દુલેરાય કારાણી, પૂ. શ્રી રામપ્રસાદ બક્ષી, અને પૂ. મુનિ તત્વાનંદ વિજયછે. જીવન સ્વપ્નની ફલશ્રુતિ પછીનું મનન છે શાંતિની શોધ, નિજાનંદ મસ્ત રહેવું. વર્તમાનને વફાદાર રહેવું. શ્રી ધીરૂભાઈ અમૃતલાલ શાહ મોરબીના વતની અને હાલ ૬૧ વર્ષની ઉંમરના શ્રી ધીરૂભાઈને બાલ્યકાળ તથા શાળા-કોલેજને અભ્યાસ મુંબઈમાં યશસ્વી રીતે પૂરી થયા હતા. તેઓશ્રીના પિતા વિમા વ્યવસાયમાં હતા તેથી તે લાઈનમાં ઓફિસર તરીકે શરૂઆત કરી, સાથે ધંધા-ઉદ્યોગમાં પણ રસ લેતા હતા. વખત જતા તેઓ સ્વીડનની વિખ્યાત વિમા કુ. કેડીયા ઈસ્યુરન્સ કુ. ના વડા અધિકારી નિમાયા. અને તેથી તેમણે તેમના પત્ની જયાબહેન સાથે સ્વીડન, અમેરિકા અને યુરોપના અન્ય દેશોની યાત્રા કરી. તેઓ રાષ્ટ્રીય હિંદી વિમા કુ. નેશનલ ઈનસ્યુરન્સ કુ.માં મેનેજર તરીકે અને પછીથી ૧૯૮૨માં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નિમાયા. તેમની નિવૃત્તિ વેળાએ ભવ્ય વિદાય સમારંભ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું. તેમણે તેમના બધા પુત્રોને ઉચ્ચ Jain Education Intemational national For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy