SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરનો ] [ ૮૮૩ सब का उदय किया પૂ. અ. સંસ્કારનિધિશ્રીજી મ –મુંબઈ बेंग्लोर में अंजनशलाका के वक्त प्रथम परिचयमें ही उन्होंने मुझे वात्सल्य से नहला दिया था। इतने सुविशाल साध्वीमंडल के शिरक्षत्र होने पर भी बिल्कुल अभिमान नहीं था । उनकी सरलता, सहायकवृत्ति, निरभिमानता आदि गुणों ने बहुत ही प्रभावित किया था । मद्रास में दीक्षा के बाद प्रथम चातुर्मास में ही उनका संयोग मिला । उस में भी कई बार प्रथम उनके स्नेह-वात्सल्यकी वर्षा हम पर होती रही । उनकी वह वात्सल्यभरी मुखमुद्रा बार बार याद आती है । उनके गुण निरंतर उदय अवस्था में रहे और सब का उदय किया ऐसे सर्वोदय करने वाले बा महाराज को हमारी भावभरी श्रद्धांजलि.....। માતૃહૃદય – એ. અતધવજી . – મુંબઈ સમાચારથી થોડીવાર સ્તબ્ધ બની ગયાં. લાગણીના સંબંધે પણ આવી સ્થિતિ નિમણિ કરી તો આપશ્રી લોકોત્તર સંયમજીવનમાં વર્ષોથી સાથે રહેલાં હોવાથી તેમની વિદાયથી કેવો આંચકો અનુભવ્યો હશે તે તો જ્ઞાની જાણે ! આ તો અકાળે જ દૂર કાળે અચાનક શિરછત્ર છીનવી લીધું જેનું દુઃખ આખા સમુદાયને કલ્પનાતીત હશે. આપ વડીલના સ્થાને છો. વિશેષ શું લખું! ખરેખર ! માતૃહૃદયા વિશેષણ તેઓશ્રીને યોગ્ય જ હતું. ૪૦-૪૫ના શિરક્ષત્ર છતાં સાદાઈભર્યું જીવન, પોતાનું કામ જાતે જ કરી લેવાની ખેવનાશાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરવા છતાં નિરભિમાની, ગ્લાન કે તપસ્વી સાધ્વીના સેવપ્રસંગે નિઃસ્પૃહભાવે પાસે બેસીને લેવાતી કાળજી વિહારમાં નાનાં સાધ્વીજી પાસેથી પાણીનો ઘડો આંચકી લઈ પોતે ઉપાડી લેવાની તમન્ના...પરસમુદાય માટે પણ ઝડપી લેવાતી સેવાની તક...અને જીવનભર તપ-ત્યાગથી આત્માને વાસિત કર્યો. આવા કંઈક ગુણોથી પોતે અલંકત હતાં જે મેં મારી નજરે પણ નિહાળ્યા છે. દેવવંદન કરતાં ભૂતકાલીન તે આખી સિરિયલની જેમ સ્મૃતિપટ ઉપર ઊપસી આવી અને આંખે ઝળઝળિયાં આવી ગયાં... સેવાગુણ -પૂ. . વિકલાશ્રીજી મ. – ખંભાત -- સા. સર્વોદયાશ્રીજીના કાળધર્મના સમાચાર જાણી અમોને ઘણું દુઃખ થયું છે. તમોને તો દુઃખ થાય, પરંતુ અમોને પણ તેમના ગુણો યાદ કરતાં હૈયું ભરાઈ આવે છે. અમારા પૂજ્યોની તો તેમણે ખૂબ જ સેવા કરેલી તે કેમ ભુલાય ! તેમની સેવામાં ખૂબ જ અનુમોદનીય અને અનુકરણીય હતો. તમોને વડીલની ખોટ તો ઘણી પડવાની પરંતુ તમો સમજુ છો. કાળ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. તમો બધાં ખૂબ જ હિંમત રાખજો. તબિયતની સંભાળ રાખજો. તમે કેટલાં પુણ્યશાળી! ખંભાત આવ્યાં અને પાછા સેવામાં પહોંચી ગયાં. બધાંને છેલ્લાં દર્શન-સેવાનો પણ લાભ મળ્યો. ભવોભવ આવી “મા' મળજો -પૂ. . નિપુણાશ્રીજી એ –મહાસમુન્દ (સાધુ) આપશ્રીનું વાત્સલ્ય-વૈયાવચ્ચ-જીવનમાં જે લાગણી રાખી છે, અમે જન્માંતરમાં ઋણ અદા કરી શકીએ તેમ નથી. તેઓશ્રીની વાત્સલ્યભરી મુદ્રા અને સદ્ભાવપૂર્ણ વ્યવહાર-સ્મૃતિ સદાને માટે રહી ગઈ. આપશ્રીનું ભીમકાન્તગુણાનુરૂપ અનુશાસન આયમિંડલને આદર્શ રૂપે વાતચીતમાં યાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy