________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૮૩૫ પ્રીતિશ્રીજી મહારાજ વરસો સુધી ખંભાતમાં સ્થિરવાસ હતાં. પૂ. શ્રી ચંદનશ્રીજી મહારાજ ખંભાતના વતની હતાં. તેમના સંસરી કુટુંબીઓ પછીથી મુંબઈ જઈ વસ્યા. સાંભળવા પ્રમાણે તેઓ સારા ધમરાગી છે. પૂ. શ્રી પ્રીતિશ્રીજી મહારાજને પિતાનાં દાદીગુરુનાં ગુણગાન ગાતાં સાંભળ્યાં છે. દારીગુરુ પ્રત્યે તેમને અવિહડ લાગણી હતી. દર વરસે એમની પુણ્યતિથિએ અવશ્ય પૂજા આદિ ભણાવતા. છેલે ખભાત શહેરમાં જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. તેમના શ્રેય નિમિતે ભાતના શ્રી પાર્ધચંદ્રગચ્છ જૈન સંઘ તરફથી મહોત્સવ ઉજવાયો હતે.
પૂ. શ્રી પ્રીતિશ્રીજી મહારાજ નવકાર મહામંત્રના પ્રેમી હતા. દિવસ-રાત નવકારવાળી હાથમાં હોય જ. વૃદ્ધવયે પણ સંસ્કૃતિ ધરાવતાં. છેલ્લે બેથી ત્રણ વર્ષના સમયમાં અરિહંતપદનો સવા કટિ જાપ કર્યો હતો. છેવટ સુધી અરિહંત રટણપૂર્વક જ પોતાની આયુમર્યાદા પૂર્ણ કરી. દેલે તેમની સેવામાં પરમ તપસ્વી શ્રી મહોદયશ્રીજી આદિ ઠાણા ચાર હાજર હતા. પૂ. શ્રી ચંદન શ્રીજી મહારાજનાં અંતિમ દિશા પૂ. શ્રી મહોદયશ્રીજી મહારાજ ઠાણા ચાર વિસ્થરવાસ ખંભાતમાં બિરાજમાન છે.
વપર-કલ્યાણ – સાધક પૂ. સાધ્વી શ્રી મહોદયાશ્રીજી મહારાજ એક જમાનામાં ગુજરાતની રાજધાની પાટણ હતું, તે જૈનશાસનની રાજધાની ખંભાત હતું. આજે પણ એ શહેરમાં ઊભેલાં ગગનચુંબી ૬૬ જિનાલય, અસંખ્ય ઉપાશ્રયે અને જ્ઞાનમદિર એ વાતની સાક્ષી પૂરે છે. એવા શહેરમાં સાગોટા પાળામાં ઓસવાલ જ્ઞાતિમાં પ્રેમી શ્રાવક શ્રી મગનલાલ ઝવેરચંદ રહેતા. તેમના ધર્મપત્ની હરકેર શેઠાણીની રત્નકુક્ષિએ વિ. સં. ૧૯૫૪ ના વૈશાખ સુદ ૧ ને દિવસે એક પુત્રીરત્નનો જન્મ થયે. માતા-પિતાએ નામ આપ્યું લક્ષ્મી. પરંતુ ઘરના સૌ શકરી કહીને સંબોધતાં. લક્ષ્મીબેન ચાર ભાઈ અને પાંચ બહેને વચ્ચે લાડકોડથી ઉછરતાં હતાં, તેથી માતાપિતા તેને સ્વતંત્રપણે તેની રુચિ પ્રમાણેની પ્રવૃત્તિઓ કરવા દેતાં હતાં. કોઈ પૂર્વ ભવના સંસ્કારે લક્ષ્મીને તે નાનપણથી ધર્મ પ્રત્યે રુચિ કેળવાઈ! ધમભૂમિ ખંભાતમાં તો એ માટે સર્વથા અનુકૂળતા હતી. શકરીબેન નિયમિત દેવદર્શન જાય, ઉપાશ્રય અને જ્ઞાનમંદિરોમાં ધર્મ વિધિઓ અને શાસ્ત્રજ્ઞાન પામવા જાય. ઘણાંએક પ્રકરણ સૂત્ર કંઠસ્થ કર્યા એમ કરતાં કરતાં જીવન પ્રત્યે વૈરાગ્ય ભાવે જમ્યા અને દીક્ષાની ભાવના થવા લાગી. મમતાળુ માતા-પિતા આ વાત સહન કરી શક્યા નહિ. તેઓએ લમીબેનના લગ્ન વિ. સં. ૧૯૬૭ માં ઝવેરી દલપતભાઈ ખુશાલભાઈના સુપુત્ર બાપુલાલભાઈ સાથે કરી દીધા. પતિ બાપુલાલ પણ ધમપ્રેમી જીવ હતા. લક્ષ્મીબેનને સંસાર શેડો સમય સુખપૂર્વક ચા હશે ત્યાં અચાનક બાપુલાલનું પ્લેગની બીમારીમાં અકાળ અવસાન થયું. શકરીએન પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. તે આ આઘાત જીરવી શક્યા નહીં. કર્મરાજાએ સંસારની નિઃસંરતા ફરી સમજાવી હોય તેમ, તેમનું મન વળી પાછું વૈરાગ્ય તરફ વળ્યું. પરંતુ શ્વશુર પક્ષની રજા ન હોવાને કારણે ભાવના ભાવતાં ભાવતાં ૧૭ વર્ષ સંસારમાં જ પસાર કરવાં પડ્યાં.
વિ. સં. ૧૯૮૮-૮૯ માં જગતુચંદ્રજી ગણિવર્ય (બાપાજી) અને પૂ. શ્રી સાગરચંદ્રજીસૂરિવયે (તે સમયે મુનિવર્ય) સપરિવાર ચાતુર્માસ બિરાજયા અને ભગવતીસૂત્રનું વાચન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org