SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન ] [ ૫૮૧ રહેતાં અને તે તે સમુદાયનાં સાધુ-સાધ્વીજીઓને ઉદારતાથી સામેથી મળવા જતાં. ચંદીગઢમાં હતાં ત્યારે દિગમ્બર ઉપાશ્રયમાં રહી ચાતુર્માસ કર્યું. દિગમ્બરોને પણ એમની વિધિ અનુસાર પર્યુષણ પર્વની-દસલક્ષણ પર્વની આરાધના કરાવી હતી. પિતે તપગચ્છના હતાં છતાં ખરતર ગ૭, અચલ ગચ્છના ધાર્મિક પ્રસંગે, શિબિરોમાં હાજરી આપતાં. આવા તે અનેક પ્રસંગો પૂજ્યશ્રીના જીવનમાં જોવા મળે છે. એમના અનુયાયીઓમાં પંજાબના કેટલાયે હિંદુઓ પણ છે. એમની પ્રેરણાથી એવા કેટલાય પંજાબી હિંદુઓએ રહેણીકરણીમાં માંસ-મદિરા છોડી જૈનધર્મને આચાર અપનાવ્યા; દહેજ વગેરે કુરિવાજોને તિલાંજલિ આપી. પૂજયશ્રી પોતે સૌરાષ્ટ્ર-ગુજરાતના વતની પરંતુ ભારતીય પરંપરામાં સાધુઓના હૃદયમાં પ્રદેશભેદ હેતે નથી. પ્રદેશ, ભાષા, જાતિ ઇત્યાદિના ભેદોને તેઓ સહજ રીતે અતિક્રમી જાય છે. પૂ. મૃગાવતીશ્રીજીએ પણ પંજાબ અને દિલને પિતાનાં બનાવી દીધાં હતાં. એમનાં એક શિખ્યાસુજેષ્ઠાશ્રીજી ગુજરાતનાં હતાં, બીજા શિષ્યા-સુત્રતાશ્રીજી પંજાબનાં, ત્રીજાં સુયશાશ્રીજી કચ્છના અને ચોથા શિખ્યા–સુપ્રજ્ઞાશ્રીજી પંજાબનાં હતાં. આ ચારેય શિષ્યાઓ સાથે પૂજ્યશ્રીને નિહાળીએ ત્યારે પ્રદેશ કે ભાષાના ભેદો વિગલિત થઈ ગયા હોય એવી એકરૂપતા જોવા મળે. જેનધમની હજારો વર્ષોથી ચાલી આવતી આ એક ખાસિયત છે. અન્ય આચાર્ય ભગવંતના સમુદાયમાં પણ આ પ્રમાણે જોવા મળશે. આધ્યાત્મિક માર્ગે ગયેલે માણસ નિમ્ન કક્ષાના ભેદ-પ્રભેદથી કેટલે અલિપ્ત અને ઉચ્ચ રહી શકે છે, થઈ શકે છે તેનું આ એક અનુપમ નિદર્શન છે. છેલ્લાં ઘણાં વર્ષો પૂજ્યશ્રી પંજાબમાં વિચર્યા, તેથી લુધિયાણા, જલંધર, અંબાલા, હોશિયારપુર, ચંદીગઢ, લહરા, મારકેટલા જેવાં નગરો ઉપરાંત માગનાં બીજાં નાનાં ગામોમાં પણ અનેક જૈન કુટુ ને સાથે તેમને ગાઢ સંપર્ક રહ્યા હતા. પૂ. મૃગાવતી શ્રીજી મહારાજની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં મોટાં સૌને નામથી ઓળખે. એમાંની એકાદ વ્યક્તિ ક્યારેક વંદન કરવા જાય તો આખા કુટુંબના બધા સભ્યનાં નામ દઈને ખબર અંતર પૂછે અને બધાંને ધર્મલાભ કહેવડાવે. પૂજ્યશ્રીએ એક ચાતુર્માસ હિમાલયમાં કાંગડા તીર્થમાં કર્યું. કાંગડામાં આદીશ્વર ભગવાનનાં પ્રાચીન પ્રતિમાજી છે. પ્રાચીન અવશેષ તરીકે એ સરકારના કબજામાં હતા અને અપૂજ રહેતાં હતાં. પૂજ્યશ્રીએ કાંગડાના ચાતુર્માસ દરમિયાન એવી હવા જમાવી કે જેથી અનેક લોકો કાંગડા આવવા લાગ્યાં. પરિણામે, લોકલાગણીને માન આપીને સરકારે એ પ્રતિમાજીના પૂજનની છૂટ આપી. ચાતુર્માસને લીધે કાંગડા તીર્થમાં ધર્મશાળા વગેરેની સગવડ ચાલુ થઈ. પરિણામે લોકોનો પ્રવાહ હિમાલયના કાંગડા તીર્થની યાત્રા માટે ચાલુ થઈ ગયું. તેઓશ્રી ધાર્યું કામ અનેક લેકેને સહકાર મેળવીને સિદ્ધ કરી શકતાં એવી તેમની શક્તિ હતી. એ જ રીતે, ગુજરાનવાલા (પાકિસ્તાન)માં, જ્યાં સુંદર સમાધિમંદિર બંધાવવામાં આવ્યું હતું ત્યાં ભાગલા પછી જેનો જઈ શકતા ન હતા. પૂજ્યશ્રીએ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને ત્યાં જવાની છૂટ મેળવી આપી હતી. વળી, ગુજરાનવાલાના ભંડારમાં કેટલીયે હસ્તપ્રતે રહી ગઈ હતી; પૂજ્યશ્રીએ પ્રયત્ન કરીને પાકિસ્તાન સરકારી પરવાનગી દ્વારા છ હજાર જેટલી પ્રતે મેળવી. જેન–જેનેતર શ્રેષ્ટિએ, અમલદારે, ધારાસ': પ્રધાને – સૌ પૂજ્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી કાર્ય કરવા માટે તત્પર થઈ જતા. સ્વ. પૂ. ગુરુવર્ય શ્રી વિજયવલલભસૂરીશ્વરજી:::: જે માટે ગ્ય સ્મારક કરવાની યેજના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy