SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીર ] [ ૨૫ ગુજરાતને છોડીને તે સમયના દિગંબરો દક્ષિણ તરફ સિધાવ્યા. આ પ્રકરણ ઇતિહાસની આલબેલ છે. આજે પણ વિશાળ પ્રમાણમાં દક્ષિણમાં દિગંબર જૈને છે. કેટલાંક ગામો તે સંપૂર્ણ દિગંબર જેનાં છે. જેને જેમના માટે પરમ ગૌરવ અનુભવે છે.... કાલિકાચાર્યએ સરસ્વતી સાધ્વીના રક્ષણ માટે ગર્દભીલ રાજા સામે એક ભયંકર ઐલાન કર્યું. છેવટે જૈનાચાર્યએ સાધ્વીજી મ.ના રક્ષણ માટે ભારતમાં હૂણ અને શકને પણ સરસ્વતી સાધ્વીની રક્ષાથે લાવ્યા. પ્રત્યેક જૈન પૂર્વવિદ્ બાલદીક્ષિત વ્રજસ્વામીના ગુણ ગાતા ધરાતાં નથી. તે મહાન વ્રજસ્વામી સાધ્વીજીથી સ્વાધ્યાય રૂપે થતાં આગમસૂત્રે સાંભળી બાયવયમાં જ આગમવિદ્ બન્યા. ગુજરાતની ધરાને અહિંસક બનાવનાર સિદ્ધરાજ-યસિંહ અને કુમારપાળના મહાન ગુરુદેવ હેમચંદ્રાચાર્ય મહારાજે પિતાની માતા સાધ્વી પાહિનીને પાટ પર બિરાજિત કર્યા હતાં અને તેમના અંતિમ સમયે આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે વાગુદાનમાં એક લાખ નવકારમંત્ર ગણવાનું વ્રત લીધું હતું. આ ગુજરાતની ધરાનું પવિત્ર પ્રખ્યાત તીર્થ માતરમાં પણ પૂ. સાધ્વીજી મ. ની પ્રતિમા છે. જેમાં માથુરી વાચના વલ્લભી વાચનાનું ખૂબ મહત્ત્વ છે. તેમાં પણ મહત્તરા પ્રર્વતિની અને સાધ્વીજી મ. ઉપસ્થિત હતાં અને તેમાં મહત્ત્વનો ફાળો આપે છે. આંતરરાષ્ટ્રીય જગતમાં જે ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથનું અદ્ભુત સ્થાન છે, ૧૬૦૦૦ પાત્રનું આ મહાન અદૂભુત નાટક છે, તે ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથની મૂળ કૉપીનું આલેખન ગણા નામનાં સાધ્વીજી મ. કર્યું છે. આ ગ્રંથના સર્જક સિદ્ધર્ષિસૂરિ ગણા સાધ્વીજી મ. માટે લખે છે – સરસ્વતીનુલ્યા આર્યા તેમના અક્ષર માટે આરીસા જેવા અક્ષર અને મુક્ત દિલે લખ્યું છે. પુષ્પચૂલા-રત્નચૂલા-મિલાપસુંદરી વગેરે સાધ્વી જગતની અદ્દભુત તારલિકાઓ છે. મરુદેવા -ગણિી વગેરેએ તે સમયે દક્ષિણ જેવા દૂર-સુદૂર પ્રદેશમાં વિચરી જૈનધર્મને પ્રભાવ ફેલાવ્યું છે. આ ભયંકર વિષમકાળમાં પણ આ સાધ્વીસંઘ પવિત્ર છે, નિર્મળ છે. તપ-ત્યાગસંયમ પરિણતિ, ચારિત્રપાલનમાં તથા તપશ્ચર્યામાં મેખરે છે. સાધ્વી ભગવંતે નિર્મલતા દ્વારા વંદનીય-પૂજનીય રહ્યાં છે. સૌથી અધિક અને અદ્ભુત ઘટના એ છે કે આ અવસર્પિણીકાળમાં ૧૯મા તીર્થંકર મલિનાથ પ્રભુ સ્ત્રી હતા. અનંતકાળે આવું એકાદ આશ્ચર્ય બને છે, જેને ૧૦ આશ્ચર્યમાં એક આશ્ચર્ય ગણાવ્યું છે. અમદાવાદની નજીકનું ભંયણી તીર્થ દેવાધિદેવ મલ્લિનાથ પ્રભુનું પવિત્ર તીર્થધામ છે... વર્તમાન સમયે સમસ્ત જૈનેના મહાન તીર્થ સમેતશિખર તીર્થને જીર્ણોદ્ધાર પુણ્ય નામધેયા રંજનશ્રીજી મ.ની પ્રેરણા અને ઉપદેશને આભારી છે. રાજસ્થાનમાં નાકેડા તીર્થનું અતિ મહત્વ છે. આ નાકોડા તીર્થનાં ઉદ્વારિકા સાથ્વી હેતશ્રીજી છે. પૂનાને સંઘવી પરિવાર આ સાધ્વીજી મ.ને માતાતુલ્ય ગણે છે. શા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy