SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] [ શાસનનાં મણીરને સમજવા-જાણવા મળશે. ઘણી વાર એક જ પરિવારમાંથી અનેક સ્ત્રીરત્નોએ પ્રવ્રજ્યા પંથે પ્રયાણ કરી અપ્રતિમ તપશ્ચર્યાના બળે સંયમધર્મ ઉજાળે છે. પ્રજ્ઞાતિ સમા પ્રતિભાસંપન્ન અને કાર્યશૈલીમાં જીવમાત્રના કલ્યાણ માટેની ઉદાત્ત ભાવનાને આત્મસાત કરનારા આ લબ્ધિસંપન્ન સાથ્વીરની ઉત્કૃષ્ટ અને અમર દેન યુગો સુધી પ્રેરણાના અક્ષય સ્ત્રોત સમી બની રહેશે. અનેકાંત દષ્ટિકળા હસ્તગત કરનાર શાસનની આ ધ્રુવતારિકાઓને લાખ લાખ વંદના ! ક્ષમ અને વિનમ્રતાની મૂર્તિ સમાં, ક્ષમાના વિશાળ સાગર જેવાં આ બધાં પૂજ્યશ્રીઓનાં જીવન-ગાન, સંયમજીવનનાં મૂલ્યો અને આદર્શો, શ્રીસંઘના નિર્માણ વિકાસ અને તેની તેજ-છાયાના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરવામાં આવશે. રત્નત્રયીની સાધના પ્રતિ હંમેશાં જાગૃત રહેતા એવા અસંખ્ય કષાયવિજેતાઓના સંયમજીવનની પ્રેરક ઘટનાઓ આ ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલી છે. વે. મૂ. સંઘના તમામ ગચ્છ-સમુદાયનાં આજ્ઞાનુવર્તી પ્રભાવક સાધ્વી ચરિત્રોને આ ગ્રંથમણિ પ્રત્યેક જૈનના ઘરમાં સાંસારિક જીવનને સંસ્કારમય બનાવવા, ઉચ્ચતમ આધ્યાત્મિક જીવન તરફ લઈ જવા ઉપયોગી નીવડશે, એવી અમારી પરમ શ્રદ્ધા છે. Cercocul જૈન શાસનના ઉત્થાનમાં ભ્રમણીઓનું જીવન અનન્ય પ્રેરક બન્યું છે બ્રાહ્મી સુંદરીથી આરંભીને ચંદનબાળા સુધીની સાધ્વીએની મુક્તિ-માર્ગની આરાધના અને આ જ પરંપરાનું વર્તમાનમાં પણ અનુસંધાન થયું છે. તેમાં શ્રમણીઓનું જીવન અને કાર્ય વિશેષતઃ જ્ઞાનમાર્ગની પ્રચંડ પુરુષાર્થ ને નિષ્ઠાપૂર્વકની અનન્ય ભક્તિ પરાયણ ઉપાસનાની સાથે સાથે કઠિન કર્મોના સમૂહને નાશ કરવા માટેના રામબાણ ઇલાજ સમાન ઉગ્ર તપની આરાધનાનું મૂર્તિમંત દષ્ટાંત એ જેન પૂર્વકાલીન સાધ્વીઓ છે, જેમની પરંપરાથી આજે પણ તપધમની આરાધનામાં સાધ્વીઓ પ્રથમ ક્રમે આવે છે. મોક્ષમાર્ગની આરાધનાની સાતત્યતા જાળવીને વર્તમાન અને ભવિષ્યના નારી સમાજને અનંત કર્મબંધનાના કારણે સંસારને ત્યાગ કરીને સંયમજીવન જીવીને મનખાવતાર ચરિતાર્થ કરવાને શાશ્વત માર્ગ ચીંધે છે. આ અમૂલ્ય દિશાસૂચન સંયમમાર્ગની અપૂર્વ આરાધના ને મુક્તિનું ઘાતક બને છે. જેન શાસન એકાંતવાદી નથી, એટલે સ્ત્રીઓને પણ આરાધના માટે શ્રમણી તરીકે સ્થાન આપ્યું છે. મરુદેવી માતાનું કેવળજ્ઞાન એ તે નારી જીવનની આ કાળની સર્વોત્તમ, અસાધારણ ને અપૂર્વ પુણ્યરાશિનું વલંત ઉદાહરણ છે. જૈન શાસન જયવંતું વતે છે. શ્રમણીઓની ઉગ્ર તપશ્ચર્યા અને પાંચ વ્રતનું આ કાળમાં પાલન એ ત્યાગપ્રધાન જિનશાસનને ભારે મોટું ગૌરવ અપાવે છે. ભેગને તીવ્ર બ્રમણના રોગ સમાન ગણીને રત્નત્રયીની આરાધનાને વેગ જીવનમાં સ્વીકારી સૌ કેઈનું પ્રેરક બળ બની રહે છે. અધ્યાત્મવાદની આ એક ધપાત્ર ઐતિહાસિક ઘટના છે કે જૈન ધર્મમાં શ્રમણી પણ મુક્તિમાર્ગનાં આરાધક બને છે. કાળને પ્રભાવ કહો કે પુરુષાર્થની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy