________________
[13]
તવારીખની તેજછાયા પૂર્વકાલીન પ્રતાપી પૂર્વાચાર્યોના જે તે સમયકાળ દરમ્યાન પ્રાપ્ત થતા ઉલ્લેખો જોઈએ.
મુનિ સંમેલનમાં સાધ્વીજી મ. : વિ. સં. ૧૦૦ની આસપાસમાં વજરવામીના શિષ્ય આચાર્ય વજસેનસૂરિ મ. ના સ્વર્ગગમન પછી મુનિ સંમેલન થયું. આ મુનિ સંમેલનમાં ૪ આચાર્ય ભગવંત, ૭ ઉપાધ્યાય, ૧૨ વાચનાચાર્ય, ૨ પ્રવર્તક, ૨ મહત્તર, ૨ મહત્તર, ૧૨ પ્રવર્તિની, ૫૦૦ સાધુ, 900 સાધ્વીજી મ. હાજર હતાં.
મહા– ગુરુવારના નિર્માણમાં સાધ્વીજી મ. : પૂર્વધર આચાર્યદેવ સ્થૂલિભદ્રસૂરિ મ. સા.ના પટ્ટધર આર્ય સુહસ્તિજી અને આર્ય મહાગિરિજી. આય યક્ષા વગેરેથી એમનું પાલન-અભિવર્ધન થયું તેની સ્મૃતિમાં સુહસ્તિજી અને મહાગિરિજી આગળ આર્ય શબ્દ યોજવામાં આવ્યો છે, એમ જેન ઇતિહાસના ગ્રંથો સાક્ષી આપે છે.
આગમવાચના – મોટા મુનિ સંમેલનમાં સાધ્વીજી મ. : કુમરગિરિ ઉપર આચાર્યદેવ સુસ્થિત-સૂરિજી તથા આ. દેવ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં આ મુનિ સંમેલન ભરાયેલ તેમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો-પ્રશિષ્યો આ. બલ્લિસહસૂરિ-દેવાચાર્ય વગેરે ૨૦૦ શ્રમણો આ. સુસ્થિત વગેરે ૩૦૦ સ્થવિર કલ્પી શ્રમણો, આય પોઈણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકા વગેરે હતાં. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વેના પીઠોને વ્યવસ્થિત કરવામાં આવેલ.
મહત્તરા તથા ગણિની : આચાર્ય જિનચંદ તથા આચાર્ય અભયદેવની બહેનોએ પણ દીક્ષા લીધી. તેઓ કલ્યાણથી મહત્તરા તથા મરુદેવી ગણિની તરીકે પ્રખ્યાત થયાં. મરૂદેવી ગણિી વગેરે કુલ્પાક તીર્થમાં પધારેલ છે.
વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિમાં સાધ્વીજી મ : સં. ૧૧૭પમાં ૨૮૦૦ શ્લોકપ્રમાણ વિશેષાવશ્યક બ્રહવૃત્તિ રચવામાં પં. અભયકુમાર, ૫. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, ૫. લક્ષ્મણ ગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદશ્રી મહત્તરા, સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી.
મહત્તરા-ગણિની : ભંડાર નિવાસી પોઢકની બે પુત્રીઓએ દીક્ષા લીધી, જે યશ શ્રી ગણિની અને શિવાદેવી મહત્તરા નામે ખ્યાત થયેલ.
આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ : તેમના શ્રમણી-સમુદાયમાં સાધ્વી પ્રભાવતીશ્રી મહતરા, સા. જગશ્રી મહત્તરા, સા. ઉદયશ્રી મહત્તરા, સા. ચારિત્રથી મહત્તરા વગેરે હતાં. આચાર્યશ્રીએ શેઠ ગણિયાક ધાકડની પત્ની ગુણશ્રીની પુત્રીને દીક્ષા આપી, સા. પ્રભાવતી મહત્તરાની શિષ્યા બનાવી. તેનું નામ સા. નિર્મલમતિશ્રી આપ્યું હતું.
આચાર્ય પદ્યદેવસૂરિ : સાધ્વી નિર્મલમતિ ગણિનીએ સં. ૧૨૯૨ના કાર્તિક સુદિ ૮ ના રવિવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આ. હેમચંદ્રસૂરિના સટીક “યોગશાસ્ત્ર”ના બે પ્રકાશની પ્રતિઓ લખી આ. પધદેવસૂરિને આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org