SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીને તેરાપંથની સાધ્વીએ તેરાપંથની શરૂઆત રાજસ્થાનમાં આચાય ભિક્ષુએ કરી હતી. આ સંપ્રદાયમાં કેટલીક સાધ્વીએ વિશેષ ખ્યાતિ ધરાવે છે. [ ૧૫૫ માતા દીપાબાઈ : એશવાલ જ્ઞાતિના બાલુજી ગૃહસ્થની પત્ની હતી. બાળક ભીખણુજી જ્યારે માતાના ગČમાં આવ્યે ત્યારે તેણીએ સ્વપ્નમાં સિંહ જોયા હતા. ભીખણજી યુવાન થયા એટલે માનાપિતાએ તેના લગ્ન કરાવ્યા. કેટલાક સમય વીત્યા પછી પિતા અને પત્નીનું અવસાન થયું. પછી ભીખણુજીને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે એટલે માતાની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. પુત્રની દીક્ષા લેવાની ભાવના થતાં આત્મકલ્યાણને માર્ગે જતા પુત્રને હિંમત રાખીને દીક્ષાની આજ્ઞા આપી. દીપાબાઈ ભારતીય જૈનસમાજની ત્યાગ અને તપસ્યાની મૂર્તિ સમાન છે, આચાય ભાણજીએ અબુજી અને અન્ય બે સાધ્વીઆને પણ દીક્ષા આપી હતી. ભીખણજીએ સાધ્વી આચારસંહિતાની સ્પષ્ટ સમજૂતી આપતાં જણાવ્યુ કે, તમારે ત્રણ સાધ્વીઓએ જ સાથે રહેવાનુ છે. ગુરુની આજ્ઞાને શિરાધાય કરીને હિંમતથી જવાબ આપ્યા કે, જો અમારામાંથી કોઈ એક કાળધર્મ પામશે તે બાકીનાં બે સાધ્વીસ લેખના કરશે. આવી કઠિન પ્રતિજ્ઞા ગુરુ સમક્ષ કરી હતી. આમ, ત્રણ સાધ્વીઓના દૃઢ સકલ્પથી તેરાપથી મતની સાધ્વીસસ્થાની ઉત્પત્તિ થઈ. વમાનમાં ૫૦૦ સાધ્વીએ પ્રવૃતિની સાધ્વીજી કનકપ્રભાશ્રીજીની નિશ્રામાં ચારિત્રની આરાધના કરે છે. આચાર્ય તુલસીના આ સાધ્વી-પરિવાર જ્ઞાન, ધ્યાન અને તપમાં અન્ય સાધ્વીએ કરતાં વિશેષ પ્રગતિશીલ ગણાય છે. સરદાર સતિયાજીએ સાધ્વી-પરિવારમાં અનુશાસન અને અન્ય રીતે ત્યાગ, તપ, જ્ઞાન અને ધ્યાનની વિશેષ પ્રવૃત્તિએ વિકસાવી હતી. એમના પિરવારમાં ૫૦૦ સાધ્વીએ છે. પ્રકરણ ૭ મહાવીરાત્તર જૈન સાધ્વીએ અને શ્રાવિકાઓના પરિચય ભગવાન મહાવીર ઈ. સ. પૂર્વે પ૨૭માં નિર્વાણ પામ્યા. ભગવાને જૈનશાસનની સમગ્ર જવાબદારી પોતાના પાંચમા ગણધર સુધર્માસ્વામીને સેાંપી હતી. આચાર્ય શ્રી સુધર્માસ્વામીએ ચતુવિ`ધ સંઘનુ નેતૃત્વ સંભાળ્યુ હતુ. વમાન સાધુ-સાધ્વીએ સુધર્માસ્વામીની પરંપરાના છે. ભગવાન મહાવીરના સમયમાં ચ`દનબાળાના પિરવારમાં ૬૦૦૦ સાધ્વીએ હતી. જૈનધર્મની આ એક ઐતિહાસિક ગૌરવપ્રદ ઘટના છે કે, આટલી મોટી સંખ્યામાં સ્ત્રીએએ દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણ કર્યું હતું. ચતુર્વિ`ધ સંઘમાં દ્વિતીય ક્રમે સાધ્વીજીનું સ્થાન છે. ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી ચંદનબાળા. પછીના કાળમાં પણ કેટલીક સ્ત્રીઓએ તેમનું જ અનુસરણ કરીને આત્મકલ્યાણ કર્યું છે તેની ઐતિહાસિક વિગતે આ વાતની સાક્ષી પૂરે છે. માત્ર ભગવાન મહાવીરના સમયમાં નહિં, પણ વમાનમાં સાધુએ કરતાં સાધ્વીએની સખ્યા ત્રણથી ચાર ગણી વધારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy