SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીર ] [ ૧૫૧ નીતાદેવી : ગુજરાતના રાજા શાંતિદેવના પુત્ર વિજયપાલની નીતિપરાયણ અને સંસ્કારસંપન્ન રાણી. મુનિ વિદ્યાકુમારના સદુપદેશથી નીતાદેવીએ પાટણમાં પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય અને પૌષધશાળાનું નિર્માણ કરાવ્યું હતું. પ્રકીર્ણ સાધ્વી પરિચય અંચલગચ્છની સ્થાપના આર્યશક્ષિતસૂરિએ ઈ. સ. ૧૦ ૭૯માં કરી હતી. એક વખત આચાર્ય મહારાજ વિહાર કરીને બે પાનગરમાં પધાર્યા, અને ધર્મોપદેશ આપે. ત્યાં સમાઈ અત્યંત ધનાઢચ પરિવારની હતી અને એક કરોડ રૂપિયાની કિંમતનાં આભૂષણો શરીર પર ધારણ કરતી હતી. આચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને સંસારને ત્યાગ કરી, અંચલગચ્છની સર્વ પ્રથમ સાધ્વી સમયશ્રીજી બની. તેણીના પરિવારમાં ૧૧૩૦ થ્વિીઓ હતી. તેણીને આચાર્ય મહારાજે મહત્તર પદ પર સ્થાપિત કરી હતી. તિલકપ્રભા ગણિની, મેલક્ષ્મી અને મહિમાશ્રીજી પણ અંચલગચ્છની ઉલ્લેખનીય સાધ્વીઓ છે. મે લક્ષ્મીજીએ આદિનાથ-સ્તવન અને તારગામંડન સ્તવનની રચના કરી હતી. ગુણ જી : અંચલગચ્છના ધર્મમૂર્તિસૂરિના સમયમાં આ સાધ્વીજી થયાં હતાં. ગુણથીજીએ “ગુરુગુણાવીશી ” નામના ગહલીની રચના કરી છે. તેમાં આચાર્યશ્રીના ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. ઈ. સ. ૧૭૨ ૧માં કપડવંજના ચાતુર્માસ દરમિયાન ઉપરોક્ત રચના કરવામાં આવી હતી. ખરતરગચછની સાધ્વીઓ અને શ્રાવિકાઓને પરિચય ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ધર્મનો પ્રચાર વધુ થયું હતું. ગુજરાતના દુર્લભસેન રાજાના સમયમાં પાટણમાં વર્ધમાનસૂરિનું વર્ચસ્વ હતું. એમના શિષ્ય જિનેશ્વરસૂરિજીને દશવૈકાલિક આગમના સાધુ-આચારના નિયમો રાજાને રદ કરાવ્યા એટલે રાજાએ ખરતરગચ્છ નામના બિરુદથી સન્માન કર્યું હતું. કલ્યાણમતિ ગણિ : ઈ. સ. ૧૨૪૮માં જિનેશ્વરસૂરિએ પિતાની બહેન કલ્યાણમતીને રીક્ષા આપીને પ્રવતિનીપદ પર સ્થાપિત કરી હતી. તેણીના અસલ સ્વભાવથી આકર્ષાઈને કેટલીક શ્રાવિકાએ સંયમ સ્વીકાર્યો હતો. મદેવી મહત્ત : આ તપસ્વી સાધ્વીએ જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરીને શાસ્ત્રાભ્યાસ કર્યો હતો. તેણુએ ચાલીસ દિવસની સંલેખના કરીને દેહત્યાગ કર્યો હતે. જિનેશ્વરસૂરિએ આ સાધ્વીજીને લેખના કાળમાં અંતિમ આરાધના ભક્તિભાવની વિશુદ્ધિપૂર્વક કરાવી હતી. મહત્ત હેમદેવી : આચાર્ય જિનચંદ્રસૂરિએ હમદેવને મહત્તર પદ પર સ્થાપિત કર્યા હતાં. તેણીના પ્રવચનથી પ્રભાવિત થઈને જગી, સરસ્વતી અને ગુણશ્રી દીક્ષા ગ્રહણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy