SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] [ શાસનનાં શ્રમણીરત્ને પછી તેણીએ મુનિમહારાજને પોતાના પુત્રનુ વૃત્તાંત પૂછ્યું એટલે જણાવ્યું કે, · પૂર્વજન્મમાં અત્યંત પ્રીતિવાળા એ બંધુઓ હતા. અને પુણ્યની પ્રબળતાથી દેવતા તરીકે ઉત્પન્ન થયા. એક દેવલાકમાંથી આવીને પદ્મરથ રાજા થયા અને બીજો તારો પુત્ર થયા છે. એટલે પદ્મરથ રાજા તારા પુત્રને લઈ ગયા છે. પૂર્વજન્મના સ્નેહથી રાજાએ તેને જન્મમહાત્સવ પણ ઊજવ્યેા હતેા. ' ત્યાર પછી આકાશમાર્ગે થી એક વિમાન પસાર થઇ રહ્યું હતું. તે વિમાન સૂર્યચંદ્ર કરતાં પણ અધિક તેજસ્વી અને રત્નમણિથી દેીપ્યમાન લાગતું હતુ. તેમાંથી ગ'ધ દેવ નીચે ઊતરીને મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા કરીને ચરણે પડયો. પછી મુનીશ્વરને વંદન કરીને ધર્મોપદેશ સાંભળવા બેઠા. આવા અવિનય જોઇને વિદ્યાધરે વિચાયું કે દેવે પણ નીતિને વિસ્તૃત કરીને અવિનયયુક્ત વન કરે છે. પછી મુનિને આ ખાખત પ્રશ્ન પૂછતાં જણાવ્યું કે, આ દેવ ઇન્દ્રના સામાજિકદેવ છે. પૂર્વ ભવમાં યુગમાડુ રાજા હતા, અને તેની તેના ભાઈ એ હત્યા કરી ત્યારે મદનરેખાએ અતિમ આરાધના કરાવી ધ દેશના સંભળાવી હતી. એટલે તે દેવ થયે છે. સામાજિકદેવ તેણીને પોતાના ગુરુ માને છે, એટલે આમ થયું છે. તેમાં કોઈ અવિનય નથી. મુનિ પાસેથી વાત જાણીને શંકાનું નિવારણ થતાં સત્ય સમજાયું અને દેવાની ક્ષમાયાચના કરી. દેવે મનરેખાની જે ઇચ્છા હોય તે પૂર્ણ કરવા જણાવ્યુ ત્યારે તેણીએ કહ્યું કે, મારી ઇચ્છા જન્મ-જરા-મૃત્યુથી પાર પામીને મેાક્ષસુખ મેળવવાની છે, જે તમે આપી શકે તેમ નથી. પણ મને મિથિલાનગરીમાં મૂકી આવે. ત્યાં પુત્રમિલન થશે અને સયમ અગીકાર કરીશ. દેવની કૃપાથી મદનરેખા મિથિલાનગરીમાં આવી. આ નગરીમાં મલ્લિનાથ ભગવાનનાં જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ત્રણ કલ્યાણક થયાં હતાં. ભૂમિની પવિત્રતા પણ કાઈ અલૌકિક હતી. ભગવાનને નમસ્કાર કરીને સાધ્વીજી પાસે ગયા. ત્યાં તેને ધર્મોપદેશ સાંભળવાથી વૈરાગ્યભાવ વૃદ્ધિ પામ્યા. દેવે પુત્રને મળવા માટે કહ્યું ત્યારે જણાવ્યું કે, પુત્રસ્નેહ એ પણ સંસારનાં બંધનરૂપ છે. એટલે મારા જીવનમાં સાધ્વીના શરણ સિવાય કાંઈ જ ખાકી નથી. એટલે સામાજિક દેવ સ્વ`માં ગયા. મદનરેખાના પ્રભાવશાળી પુત્રને કારણે પદ્મરથ રાજાના પ્રભાવ વધી ગયા. ઘણા રાજાએ તેના શરણે આવ્યા. રાજાએ પુત્રનુ નામ નમિ પાડયું. ધ શાસ્ત્ર, કમ વાદ અને કળાને અભ્યાસ કરાવ્યા. યૌવનવય થતાં રાજાએ નિમકુમારનાં ૧૦૦૮ રાજકન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં. પછી રાજાએ પુત્રને રાજ્ય સોંપીને જ્ઞાનસાગરસૂરિ પાસે દીક્ષા અ’ગીકાર કરી. ચારિત્રનુ વિશુદ્ધ પાલન કરીને તેઓ મેક્ષસુખ પામ્યા. જે રાત્રિને વિશે મણિરથ રાજાએ યુગબાહુની હત્યા કરી હતી, તે જ દિવસે આ રાજાને સ`દશ થયા. પિરણામે મરીને તે ચાથા નરકમાં ઉત્પન્ન થયા. મ`ત્રીએ અને દરબારીએએ બંને જણુની અંતિમવિધિ કરીને યુગબાહુના પુત્ર ચંદ્રયથાને રાજ્યાભિષેક કરીને રાજા તરીકે સ્થાપિત કર્યાં. આ પ્રસંગ બન્યા પછી નિમ રાજાના હાથી નાસી છૂટયો અને ચંદ્રયથાએ પેાતાના બળથી વશ કરીને પેાતાની પાસે રાખ્યા, નિમ રાજાને આ વાતની ખખર પડી એટલે દૂત મારફતે સ ંદેશા કહેવડાવ્યા કે હાથીને છૂટા કરી; નહિતર રાજા યુદ્ધમાં તમારો ઘાત કરશે. છેવટે, નિમ રાજા વાજિત્રાના નાદથી ગાજતા યુદ્ધ કરવા નીકળ્યા. ચંદ્રયથાને આ વાતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy